SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વાકયપદીય જન્મ અને વિનાશ વાસ્તવમાં સત્તાથી જુદા નથી. અસ્તિત્વમાં હોય તે જન્મતું નથી જેનું અસ્તિત્વ ન હોય તેને જન્મ થને નથી અને જે અસ્તિત્વમાં હોય તેને વિનાશ થતો નથી. આમ હોવાથી જન્મ અને વિનાશ, સત્તાનાં બે પાસાં છે. નિત્ય સત્તા જ ભાવવિકારોનું મૂળ છે ક્રિયાપદ વડે વ્યક્ત થતાં તે સત્તામાં ક્રિયા પ્રાપ્ત થાય છે, અને નામ વડે વ્યક્ત થતાં તે સાધનરૂપે સમજાય છે. • पूर्वभागस्तु यज्जातात्तज्जन्मेत्यपदिश्यते । ___ आश्रितक्रमरूपेण निमित्तत्वे विवक्षिते ॥२९॥ કારણે ક્રમનો આશ્રય કરે છે એમ જણાવાતું હોય ત્યારે ઉત્પન્ન થઈ ચૂકેલા ભાવની પૂર્વ અવસ્થા જન્મ કહેવાય છે. (૨૯) પરિનિષ્પન્ન સ્વભાવવાળા પદાર્થને તે ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે. તેની પહેલાંની અવસ્થા જન્મ કહેવાય છે. આવા વ્યાપારને નાચતે એવું ક્રિયારૂપ જણાવે છે. ગાયતેના પ્રયોગથી સાધને અર્થાત ક્રિ ઉત્પન્ન કરનારાં કારણો કાર્યશીલ બન્યાં છે એમ સમજાય છે. आख्यातशब्दैरर्थोऽसावेवंभूतोऽभिधीयते । नामशब्दाः प्रवर्तन्ते संहरन्त इव क्रमम् ॥३०॥ તેવી (ક્રમરૂપ) અવસ્થાવાળા પદાર્થ ક્રિયાશ વડે જણાવાય છે. નામ શબ્દ તે જાણે કમને અટકાવી દેતા હોય તેમ પ્રવૃત્ત થાય છે. (૩૦) ઉત્પત્તિ પહેલાંની અવસ્થા અર્થાત્ જન્મ કારણરૂપ હોય છે. તેનામાં કમ હેતે નથી પરંતુ ગાયતે ક્રિયારૂપથી તે જ્યારે જણાવાય છે ત્યારે તે ક્રમવાનું બને છે. જ્યારે જન્મ એવા નામથી તે દર્શાવાય છે ત્યારે કોઈપણ આંતરક્રમ વિનાના પદાર્થરૂપે તે સમજાય છે. ___ फलं फलापदेशो वा वस्तु वा तद्विरोधि यत् । तदन्यदेव पूर्वेषां नाश इत्यपदिश्यते ॥३१॥ તે (જન્મ)ની ફલ (રૂપ અવસ્થા)ને અથવા તે ફલ છે એવા માત્ર ઉલલેખને અથવા તેના વિરોધી પદાર્થને, પ્રાચીન આચાર્યોના મતમાં, તે (જન્મ)થી જુદો જ (અર્થાત) નાશ કહેવામાં આવે છે (૩૧) જેમ પરિનિષ્પન્ન પદાર્થની પૂર્વાવસ્થાને જન્મ કહેવાય છે. તેમ વિનાશ તેની ઉત્તરાવસ્થા કહી શકાય. પ્રાચીન નૈયાયિકના આવા મતને રજૂ કરતી આ કારિકા છે. કાર્યરૂપ લ કારણનું વિરોધી છે. ફલાદેશ એટલે ફળની ભ્રાન્તિ, તેને કેવળ ઉલ્લેખ થાય છે તેનું વાસ્તવિક અસ્તિત્વ નથી. ઘડા ઉપર હથોડાને ઘા થતાં વિનષ્ટ ઘડાનાં બે ટુકડા માટે ઘડે એવો માત્ર ઉલ્લેખ થાય છે. અથવા તેમનામાં ઘડાની ભ્રાનિ થાય છે. સંગને વિનાશ એટલે તેના વિરોધી બે ભાગે તે પ્રમાણે સુખનો વિનાશ એટલે દુઃખ. આમ વિનાશ અપદાર્થ નથી. ક્રિયાપદ વડે તેને ક્રિયારૂપે જણાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy