________________
બીજું કાંઇ
વૃદ્ધિ તજજ્ઞાતિજજે તુ યુદ્ધિસત્તામથી
प्रत्यस्तरूपां भावेषु क्रियेति प्रतिजानते ॥२५|| બીજા કેટલાક વિદ્વાન) બુદ્ધિાગત ક્રિયાકાર)ને અથવા તેમાંની જાતિને અથવા બુદ્ધિમાં પ્રાપ્ત થતી અને પદાર્થો ઉપર આપવામાં આવતી સત્તાને ક્રિયા તરીકે જાહેર કરે છે. (૨૫)
વિજ્ઞાનવાદીઓ બુદ્ધયાકાર અર્થાત બુદ્ધિમાં પ્રાપ્ત થતા ક્રિયાકારને ક્રિયા કહે છે. આ બુદ્ધથાકાર પદાર્થો ઉપર આરોપવામાં આવે છે. સંબંધ સમુદે શમાં પ્રાપ્ત થતા ઉપચાર સત્તા અંગેના સિદ્ધાન્તને અનુસરીને આ કારિકામાં રજૂઆત કરવામાં આવી છે.
आविर्भावतिरोभावौ जन्मनाशौ तथापरैः ।
षट्सु भावविकारेषु कल्पितौ व्यावहारिकौ ॥२६॥ સત્તાના છ ભાવવિકારોમાં આવિર્ભાવ અને તિરોભાવને અને બીજા મતમાં જન્મ અને નાશને, વ્યવહારકાર્ય માટે યોગ્ય સમજવામાં આવ્યા છે. (૨૬)
યારકે નિર્દેશલ છ ભાવવિકારોમાંથી સત્કાર્યવાદી સાંખ્ય આવિર્ભાવ અને તિરભાવને અને અસત્કાર્યવાદી વૈશેષિક જન્મ અને વિનાશને ભાવવિકાર તરીકે સ્વીકારે. ભાવવિકારો વ્યવહાર માટે જુદા જુદા કલ્પવામાં આવ્યા છેખરેખર તે બે જ ભાવવિકારે સમજવા જોઈએ, જન્મ અથવા આવિર્ભાવ અને નાશ અથવા તિરાભાવ.
ताभ्यां सर्वप्रवृत्तिनामभेदेनोपसङ्ग्रहः ।
जन्मैवाश्रितसारूप्यं स्थितिरित्यभिधीयते ॥२७॥ તે બે (ભાવવિકાર) વડે બધા વ્યાપારને અભિન્નપણે સ્વીકાર થાય છે. એકસરખા રૂપવાળી ક્રિયાક્ષવાળા જન્મને જ સ્થિતિ કહેવાય છે.(૨૭)
અગાઉ કહ્યું છે તેમ જન્મ અને વિનાશને અર્થાત આવિર્ભાવ અને તિભાવને ક્રિયા કહેવામાં આવે છે. પૂર્વ અને અપર ક્લિાક્ષણોની વચ્ચે રહેનાર અને સ્વરૂપને પ્રાપ્ત કરવાની તૈયારીમાં રહેલ ભાવને જન્મ કહેવાય છે. કેઈક ધર્મ સાથે આવિર્ભાવ થવો એટલે જન્મ પૂર્વ અવસ્થાના ત્યાગ અને પર અવસ્થાની પ્રાપ્તિની વચ્ચે રહેવાની સ્થિતિને “' (મતિ) એવા પ્રયોગથી જણાવાય છે.
* जायमानान्न जन्मान्यद्विनाशेऽप्यपदार्थता ।
अतो भावविकारेषु सत्तैका व्यवतिष्ठते ॥२८॥ જન્મ પામવાની સ્થિતિથી જન્મ જુદો નથી. વિનાશ પણ જુદો પદાર્થ નથી. તેથી ભાવવિકારોમાં માત્ર સત્તા જ દઢપણે રહેલી છે. (૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org