________________
ઉપ૮
વાકયપદીય
जातिमन्ये क्रियामाहुरनेकव्यक्तिवर्तिनीम् ।
असाध्या व्यक्तिरूपेण सा साध्येवोपलभ्यते ॥२१॥ બીજા કેટલાક વિદ્વાનો) અનેક ક્રિયા) વ્યક્તિઓમાં રહેનારી ક્રિયાને જાતિરૂપ કહે છે. (નિત્યજાતિ રૂપે) અસાધ્ય એવી તે ક્રિયા) વ્યક્તિ રૂપે સાથે જ છે એમ) સમજાય છે. (૨૧).
अन्ते या वा क्रियाभागे जाति: सैव क्रिया स्मृता ।
सा व्यक्तरनुनिष्पादे जायमानेव गम्यते ॥२२।। અથવા છેલા ક્રિયાભાગમાં જે જાતિ રહેલી છે તે ક્રિયા છે એમ (શાસ્ત્ર)માં કહેવાયું છે. (ક્રિયા) વ્યક્તિઓ ઉત્પન્ન થયા પછી તે (ક્રિયા) જાતિ ઉત્પન્ન થતી હોય તેમ સમજાય છે (૨૨).
स्वव्यापारविशिष्टानां सत्ता वा कर्तृकर्मणाम् ।
क्रिया व्यापारभेदेषु सत्ता वा समवायिनी ॥२३॥ અથવા પિતાના વ્યાપારેથી વિશેષતા પામેલ કર્તા અને કર્મ સાથે સંબંધ ધરાવતી સત્તા એટલે ક્રિયા અથવા તે જુદા જુદા વ્યાપાર સાથે સમવાયમાં રહેનારી સત્તા એટલે ક્રિયા (કહેવાય છે). (૨૩)
જાતિને અપરા જાતિ અને પરા જાતિ એમ બે પ્રકારે સમજવામાં આવે છે. કારિકા ૨૦ અને ૨૧માં અપરા જાતિને નિર્દેશ કર્યો છે. આ કારિકામાં સત્તા અથવા મહાસામાન્ય રૂ૫ પરા જાતિને ઉલેખ કરવામાં આવે છે. કર્તા અને કર્મના વિશિષ્ટ વ્યાપાર અથવા આવા વ્યાપારથી વિશિષ્ટ બનેલ કર્તા અને કર્મ સાથે સમવાયમાં રહેલ સત્તાને ક્રિયા જાતિ કહે છે. આ સત્તા મહાસત્તા રૂપે છે.
अन्त्ये वात्मनि या सत्ता सा क्रिया कैश्चिदिष्यते ।
भाव एव हि धात्वर्थ इत्यविच्छिन्न आगमः ॥२४॥ અથવા છેલ્લા (ક્રિયા)ભાગમાં જે સત્તા છે તેને કેટલાક વિદ્વાન) ક્રિયા કહે છે. ધાતુનો અર્થ ભાવ છે એવી અવિચ્છિન્ન (વ્યાકરણ) પરંપરા છે. (૨૪)
- ક્રિયાતિ અંગે ત્રીજે મત દર્શાવતાં જણાવવામાં આવે છે કે ફલપ્રાપ્તિ થયા પહેલાંની ક્રિયાક્ષણમાં જે સત્તા છે તે ક્રિયા કહેવાય છે. વાસ્કે નોંધેલ મત પમાવવિશ્વા: મતિ ઉતિ વાળંગળિ: થી શરૂ કરીને પતંજલિએ નોંધેલ માઢવાનો ધાતુ: છે એવા મત સુધીની અવિચ્છિન્ન વ્યાકરણપરંપરા ભાવને ધાતુના અર્થ તરીકે જણાવે છે. સત્તા ધાત્વર્થ પણ છે. અને પ્રાતિપાદિકાળું પણ છે. તેથી સત્તાને કેઈ વખત સત્તા કહે છે તે કઈ વખત ભાવ કહે છે. આ મતને સતાદ્વૈત કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org