________________
૩૫૫
ત્રીજુ કાંડ
સત્તાને ક્રિયારૂપ વડે સાધ્ય તરીકે જર્ણવવામાં આવે છે ત્યારે હતું, છે, થશે (મમત, અતિ ભવિષ્યતિ) વગેરે કાલફેરફારે સમજાય છે. દ્રવ્ય રૂપ ઘટ સાથે આવા ક્રિયા અને કાલના ભાવ જોડાયેલા નથી.
, , મ ધાતુઓ ક્રિયા સામાન્ય દર્શાવે છે, અને વર્ ધાતુ ક્રિયાવિશેષ દર્શાવે છે. આ વાત સ્વીકારીએ તો વુિં કરોતિ ના જવાબ રૂપે જ્યારે બાસે કહેવામાં આવે ત્યારે બંને વચ્ચેનો વિરોધ, કેવી રીતે, ક્રિયા સામાન્ય અને ક્રિયાવિશેષની દષ્ટિએ સમજાવી શકાય? આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આપી શકાશે. fé રોતિ પ્રવેગ ક્રિયા સામાન્ય નહિ પણ ક્રિયાવિશેષ દર્શાવે છે. જ્યાં ક્રિયાવિશેષ ન હોય ત્યાં ક્રિયા હોતી નથી.
પતંજલિને અનુસરીને કારકેની વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે ક્રિયા એવી વ્યાખ્યા પણ આપવામાં આવી છે. તેથી ક્રિયારૂપમાંથી સત્તાને અથ પણ પ્રાપ્ત થાય છે. પર્વતો ઊભા છે (પર્વતાતિનિત) માં પર્વત પિતાની જગા છોડતા નથી એવો અથ પ્રાપ્ત થાય છે.
व्ववहारस्य सिद्धत्वान्न चेय गुणकल्पना ।
उपचारो हि मुख्यस्य संभवादवतिष्ठते ॥१३॥ (ક્રિયાવયમાં) ક્રિયારૂપ વ્યવહાર પ્રસિદ્ધ હેવાથી તેમનામાં ક્રિયાની આવી કલ્પના ગૌણ નથી. મુખ્ય વ્યવહારના સંભવને લીધે જ ગૌણ વ્યવહાર જણાવવામાં આવે છે. (૧૩)
ગો શબ્દ મુખ્યપણે સાસ્ના વગેરે અવયવોવાળું પ્રાણી એવો અર્થ જણાવે છે. જ્યારે મનુષ્ય માટે તે વપરાય છે ત્યારે તેને ગૌણ પ્રયોજાય છે. ક્રિયા અંગે મુખ્ય કે ગૌણ એવા અર્થે સ્પષ્ટ જણાતા નથી.
आहितोत्तरशक्तित्वात्प्रत्येक वा समूहिनः ।
अनेकरूपा लक्ष्यन्ते क्रमवन्त इवाक्रमाः ॥१४॥ (વાસ્તવમાં) ક્રમ વિનાના અવયવોમાંના દરેક, તેમની પછીના અવયવોની શક્તિને તેમનામાં આરોપ થવાથી અનેક રૂપવાળે અને ક્રમવાળો હોય તેમ જણાય છે. (૧૪)
अनन्तर फल यस्याः कल्पते तां क्रियां विदुः ।
प्रधानभूतां तादादन्यासां तु तदाख्यता ॥१५॥ - જે ક્રિયા)ની પછી તરત જ ફળની કલ્પના કરવામાં આવે છે તેને મુખ્ય ક્રિયા કહે છે. તેવા જ (ફળરૂપ) પ્રજનને કારણે બીજી ક્રિયાઓને પણ તેવું અભિયાન પ્રાપ્ત થાય છે. (૧૫)
જેના પછી તરત જ ફળપ્રાપ્તિ થાય તેને ક્રિયા કહેવામાં આવે છે, કારણ કે, ફળ પ્રાપ્તિ માટે તે ઉપાયરૂપ છે. ચેખા રાંધવાના કાર્યમાં ચેખા છુટ્ટા પડવારૂપી કાય (વિચટન)ને ક્રિયા કહેવાય છે, કારણ કે તેના પછી તરત ચેખાનું પોચા પડેલા ભાત (વિકૂિલત્તિ) રૂપે તૈયાર થવા રૂપી ફલ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org