________________
८
क्रियासमुद्देशः
ક્રિયાસમુદ્દે.
यावत्सिद्धमसिद्धं वा साध्यत्वेनाभिधीयते ।
आश्रितक्रमरूपत्वात् तत्क्रियेति प्रतीयते ॥ १ ॥
જ્યારે સિદ્ધ અથવા અસિદ્ધને સાધ્ય તરીકે જણાવવામાં આવે છે ત્યારે, (તેણે) ક્રમનુ' રૂપ પ્રાપ્ત કર્યું હાવાથી તેને ક્રિયા કહે છે. (૧)
સાતમા સમુદ્રમાં સાધન અર્થાત્ કારકતી ચર્ચા કરવામાં આવી. સાધનને સાષ્ય અર્થાત્ ક્રિયાની અપેક્ષા હેાવાથી હવે ક્રિયાની ચર્ચા કરવામાં આવે છે.
(મૂવાડ્યો ધાતવ:। ૧૩.૧ સ્વા‹િ ગણમાં પઠિત શબ્દોને ધાતુઓ કહેવાય છે) એવા સૂત્ર ઉપરના ભાષ્યમાં ક્રિયા વિશે સર્વગ્રાહી ચર્ચો કરવામાં આવી છે. પ્રાચીન આચાર્યોએ “ક્રિયા રૂપ અ† દર્શાવનારા વાદિગણમાંના શબ્દો" ધાતુ કહેવાય છે, એવી ધાતુ શબ્દની વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યામાંના ક્રિયા શબ્દના અથ વિશે વિચારતાં અનેક વિકલ્પે પ્રાપ્ત થાય છે.
(૧) ક્રિયાને કાઈ ભૂત રૂપ ન હેાવાથી તે પ્રત્યક્ષ થતી નથી. તેનુ અનુમાન કરવામાં આવે છે. ઘણીવાર બધાં સાધને હાજર હેાય ત્યારે ‘તે રાંધે છે' એવા પ્રયાગ થાય છે. ફાઈવાર આવા પ્રયાગ થતા નથી. જ્યારે સાધને પાસે હાય અને ‘તે રાંધે છે' એવા પ્રયાગ થતા હાય ત્યારે તેને ક્રિયા કહે છે. વધુ વગેરે ધાતુ ક્રિયાને અથ દર્શાવે છે, કારણ કે તે ‘કરવું' એવા ધાતુ સાથે સમાનાધિકરણમાં છે. તે શું કરે છે એવા પ્રશ્નના ઉત્તરમાં, તે રાંધે છે” એમ કહેવાય છે. ક્રિયાવિષયક પ્રશ્નોને ઉત્તર ક્રિયાવિષયક જ હાવાથી, વર્ષે વગેરે ધાતુઓને ક્રિયાવાચક કહી શકાય.
Jain Education International
(૨) ર્, મૂ, અને વિરૂ એવા શબ્દોને ધાતુ કહેવા માટે શાસ્ત્રમાં સ્પષ્ટ થન કરવુ જોઈએ. કારણ કે, તે શું કરે છે?” એવા પ્રશ્નનેા ઉત્તર ‘તે છે,' એમ આપી શકાતા નથી. અર્થાત્ ઉપર જણાવ્યું તે પ્રમાણે 'તે રાંધે છે' (વત્તિ) અને ‘તે કરે છે' (રોતિ)તુ જેવું સામાનાધિકરણ્ય છે તેવુ તે કરે છે’ (રોતિ) અને તે છે’ (સ્તિ)નુ નથી.
(૩) ક્રિયારૂપમાં માત્ર ધાતુ જ ક્રિયાને વાચક્ર બને છે, પ્રત્યય ક્રિયાના વાચક બનતા નથી, કારણ કે, ધાતુના અથ બદલાતા નથી, પણ પ્રત્યયા અથ બદલાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org