________________
૩૪૬
વાષ૫દીય
સાધન સમુદેશના છેલા વિભાગની કારિકાએ ૧૬૩થી ૧૬૭ સુધીમાં સંબોધન અને વિભક્તિના દ્રવ્ય સાથેના સંબંધ વિષે સંક્ષેપમાં વિચાર કરવામાં આવ્યો છે. કારિકા ૧૬૩ અને ૧૬૪માં સાધનની સમજણ આપવામાં આવી છે. કરિકા ૧૬૬માં જણાવવામાં આવ્યું છે કે વિભક્તિનો અર્થ દ્રવ્ય નથી. છેલ્લી બે કારિકાઓમાં જણાવવામાં આવ્યું છે કે ક્રિયા સાથે સંબંધને પામ્યા છતાં દ્રવ્યને સ્વભાવ બદલાતો નથી.
આ પાંચ કારિકાઓ ઉપરના વ્યાખ્યાનની ભૂમિકા બાંધતાં હેલારાજ, કારિકા ૧૬૩ના વ્યાખ્યાનની શરૂઆતમાં પ્રથમ વિભક્તિ અંગેના પ્રતિક્રિશ્નાર્થ રિપરિમાળવચનમા પ્રથમ (પા. સુ. ૨.૩.૪૬, માત્ર પ્રાતિપાદિકાર્થ લિંગ, પરિમાણ અને વચન દર્શાવવા માટે પ્રથમ વિભક્તિ વપરાય છે. સૂત્ર ઉપરનાં વાર્તિક અને ભાષ્યવ્યાખ્યાનને અવતારે છે. ભર્તૃહરિના પ્રથમા અંગેના ચેકસ કારિકાશ્ય કથનના અભાવમાં આવી હેલારાજે રજુ કરેલી વિગતપૂર્ણ ચર્ચા અસ્થાને લાગે છે. તેથી એવો તર્ક કરી શકાય કે પ્રથમ અંગેનાં ભdહરિનાં વિધાન રજૂ કરતી કારિકાનો ગ્રંથપાત થયો હશે.
વાર્તિકકાર જણાવે છે કે વીર: પુઠs: | જેવાં સમાનાધિકરણ પદોવાળા પ્રયોગોમાં પ્રયમાની સિદ્ધિ માટે જુદો ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે આ ઉદાહરણમાં પુરુષવ એવા પ્રાતિપાદિકા ઉપરાંત વીરવ એવો વિશેષ અર્થ પ્રાપ્ત થાય છે. બીજા વાર્તિક દ્વારા આવા જુદા ઉલેખની વાત નકારવામાં આવી છે, કારણકે અહીં વીરવ એ વિશેષ અર્થ વીર: પુરૂ: I એવા વાક્યાથને કારણે છે.
ઉપરની વાતના વિકપમાં સમિતેિ પ્રથમા અર્થાત્ “તિ', કૃત' વગેરેથી અભિહિત કત, કર્મ વગેરે અર્થમાં પ્રથમા થાય છે' એવું સૂત્ર કરવું જોઈએ અને જ્યાં કર્તા, કર્મ વગેરે અર્થ તિવગેરેથી અભિહિત થતા ન હોય ત્યાં પ્રથમ સમજવા માટે જુદું વિધાન કરવું. આમ કરવાથી વૃક્ષ:, ક્ષઃ એવા પ્રયોગો સિદ્ધ થશે. આવું કરવાની પણ જરૂર નથી, કારણ કે, જ્યાં બીજા કેઈ ક્રિયારૂપનો પ્રયોગ ન હોય ત્યાં અત્ ધાતુનું ક્રિયારૂપ પતિ (‘છે) સમજાય છે જ, જેથી વૃક્ષ એટલે વૃક્ષ: અતિ ! એમ સમજાય છે. પદાર્થનું અસ્તિત્વ હેય તો જ તેને વાચક શબ્દ પ્રયોજવામાં આવે છે (ન સત્તાં વાર્થો વિરતિ ).
- ત્રીજા વિકલ્પમાં તિર્લેમાનાધિશ્વરને પ્રથમ છે અર્થાત તિ પ્રત્યય સાથે જે કારક સમાનાધિકરણમાં હોય તેને પ્રથમા થાય છે, એવું સૂત્ર કરવું જોઈએ. આ અંગે પણ પહેલાં કહ્યું છે કે પ્રતિ એવા અસ્તિત્વવાચક શબ્દને પ્રયોગ હમેશાં થાય છે જ. આવાં વૈકપિક સૂવિધાનેનું ભાષ્યકારે ખંડન કર્યું છે અને પાણિનિના પ્રતિપરિયાઈ ! સુત્રને સ્વીકારોગ્ય માન્યું છે.
આ કારિકામાં સંબોધન અંગે ઉલ્લેખ છે. પૂણ બનેલ સ્વરૂપવાળા પદાર્થને ચેકસ ક્રિયામાં જવા માટે આપણી સંમુખ લઈ આવો તેને સંબોધન કહે છે. ગમન વગેરે ક્રિયાઓમાં નિયુક્ત થયેલ કર્તાને સંમુખ કરવામાં આવે છે. આવું સાંમુખ્ય વિશેષ અથ કે તેથી પ્રતિક્રિયા વ્રથમા ! એવું સત્ર જે માત્ર પ્રાતિપદિક વગેરેના અર્થમાં પ્રથમનું વિધાન કરે છે, તે ઉપયોગી થશે નહિ. તેથી સંવોને વI (પા. સ. ૨-૩-૪૭, અને સધન અર્થમાં પણ પ્રથમ થાય છે, એવું જુદું સૂત્ર કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org