________________
૩૪૩
ત્રીજુ કાંડ
કેટ શેષ શબ્દના બે અર્થો કહે છે, (૧) અપ્રધાન અર્થાત ગૌણ અને (૨) બાકી રહેલ. બંને અર્થો ચોગ્ય નથી, એ વાતને ભાષ્યકારની સંમતિ છે. કર્મ વગેરે કારકસંબંધથી જો સંબંધ એટલે શેષ સંબંધ (જનવિભ્યો રેડ : શેષ; I મ. ભા. પા. મું ૨.૩.૫૦) એ મન સ્વીકારી શકાય નહિ, કારણકે કર્મ વગેરે કારાથી જુદો કઈ સંબંધ નથી. રાજ્ઞ: પુn: ! અને ગૃહ્ય શાલી જેવાં ઉદાહરણેને તપાસતાં જણાય છે કે રાજ્ઞ: કર્તા છે અને પુરુષ સંપ્રદાન છે અને વૃક્ષશ્યમાં વૃક્ષ અધિકરણ છે.
તો પછી કમ વગેરેની જ્યાં અવિવક્ષા હોય ત્યાં તે સંબંધને શેષ સંબંધ કહેવો જોઈએ (વઢીનામવિવેક્ષા : ); જેમકે ઢોરમવા પુરા (ઊન વિનાની ઘેટી) અને અનુચરા વા (પટ વિનાની કન્યા). આ ઉદાહરણમાં લોમ અને ઉદરનું અસ્તિત્વ હેવા છતાં વક્તા વડે તે જણાવાતું નથી.
ક્રિયામારઝપૂર્વઃ શબ્દથી શેષ સંબંધને પણ કારકરૂપ સંબંધ સમજવામાં આવે છે, જેમ કે ગg: પુષ: , વૃક્ષ-૨ શાલા, વશો : વાહ: અને પિતુઃ પુત્ર I માં દાનક્રિયા, નિવાસક્રિયા, ઉત્પત્તિક્રિયા વગેરે ક્રિયાઓ વડે સ્વસ્વામિભાવ સંબંધ, અવયવઅવયવિભાવ સંબંધ વગેરે છે.
રાજ્ઞ: પુરુષ: ! ઉદાહરણમાં રાજા પુરુષને આપે છે એવા અર્થમાં સ્વસ્વામિભાવ સંબંધમાં ક્રિયાકારક સંબંધ કારણ રૂપ છે અને શેષ સંબંધ ફળરૂપે છે. રાજા અને પુરુષ, પહેલાં કર્તા અને સંપ્રદાન હતા. શેષ સંબંધના સંદર્ભમાં કર્તા વગેરે વિશેષ કારની પ્રાપ્તિ નથી, તેથી શેષરૂપ સામાન્ય કારક સમજવામાં આવે છે.
द्विष्ठोऽप्यसौ परार्थत्वाद् गुणेषु व्यतिरिच्यते ।
तत्राभिधीयमानः सन् प्रधानेऽप्युपयुज्यते ॥१५॥ આ (શેષ સંબંધ), બે (સંબંધીઓ)માં રહ્યો હોવા છતાં ગૌણ પદાર્થ (વાચક શબ્દો)માં, તે શબ્દ બીજા અર્થાત મુખ્ય માટે હોવાથી, વિશેષતા દર્શાવનારે બને છે (અને) ગણમાં વાચ્ય બનતો તે મુખ્ય સાથે પણ ઉપયોગી બને છે.
ગૌણભાવ અને મુખ્યભાવ એમ બંને પ્રકારે સંબંધ રહેલો છે, તેથી શેષ અર્થે પ્રાપ્ત થતી પછી વિભક્તિ એકને માટે જ છે. આ પછી ગૌણભાવ દર્શાવતા શબ્દને નહિ. આ શેપ સંબંધ ગૌણુભાવમાં જ વિશેષતાઓ દર્શાવે છે અને તેથી ગૌણભાવ દર્શાવતા શબ્દોમાં વિભક્તિનો ફેરફાર પ્રાપ્ત થાય છે. પ્રધાન ભાવ પોતાના સ્વરૂપથી જુદા થયા વિના સંબંધને પ્રાપ્ત કરે છે. રાજ્ઞ: પુનઃ ! એવા ઉદાહરણમાં પ્રધાન એવા પુરુષની વિશેષતા ગૌણ એવા રાજ સાથેના સંબંધને કારણે સમજવામાં આવે છે. પરંતુ આવી સમજણ વાકયાર્થીને આધારે છે. આ ઉદાહરણમાં પુરૂ: એવી પ્રથમામાં પ્રાતિ પદિકના અર્થ ઉપરાંત જે વિશેષતા છે તે રાજ્ઞ: એવા પદના સંનિધાનને કારણે છે અર્થાત રાજ્ઞ: પુરુષઃ | એવા બે પદવાળા વાક્યને કારણે છે. ભાષ્યમાંની આ સ્પષ્ટતા હેલારાજે પોતાના શબ્દોમાં अवतारी छे : एतत्तदुच्यते प्रधानगतस्याधिक्यस्य वाक्यार्थत्व गुणसंबन्धेन प्रतीते: परस्परसाङ्क्षस्य पदसमूहस्य वाक्यत्वात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org