SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ इदमत्रेति भावानामभावान्न प्रकल्पते । व्यपदेशस्तमाकाशनिमित्त संप्रचक्षते ॥१५२॥ પદાર્થો અંગે, “આ અહીં છે, એ શબ્દપ્રયોગ, તેમનો અભાવ હોય તે કલ્પી શકાતો નથી. તે શબ્દપ્રવેગ આકાશને આધારે છે એમ કહેવાય છે. (૧૫) વૈયાકરણનો આદર્શ શબ્દોનો પ્રયોગ છે. શબ્દ જે દર્શાવે તેને તે પ્રમાણુ સમજે છે. “આ નક્ષત્ર અહીં છે' એવા પ્રાગમાં “અહીં ' એ શબ્દ આકાશને વાચક બને છે. આ અવસ્તુ નથી, કારણકે, અવસ્તુ અંગે આ પ્રકારને શખવ્યવહાર થશે નહિ. શબ્દપ્રયોગ, હમેશાં કેકનું નિરૂપણ કરીને કરવામાં આવે છે. નિરૂપણને આધાર પદાર્થ છે. પાત્રોમાં સુલમ્ ! (શત્રુના અભાવે સુખ હોય છે) એવા પ્રગમાં અભાવ પણ આધાર છે. कालात् क्रिया विभज्यन्ते आकाशात्सर्वमूर्तयः । एतावांश्चैव भेदोऽयमभेदोपनिबन्धनः ॥१५३।। કાલને કારણે ક્રિયાઓના અને આકાશને કારણે બધા પદાર્થોના વિભાગ સમજાય છે. આને આ ભેદ અભેદ ઉપર આધાર રાખનારે છે. (૧૫૩) શબ્દબ્રહ્મની કાલ અને આકાશ એવી બે શક્તિ છે. ભતૃહરિએ કાલસમુદેશમાં જણાવ્યું છે તેમ કાલ પ્રતિબંધ અને અનુમતિ દ્વારા સમગ્ર વિશ્વમાં વિભાગે સજે છે. પદાર્થોનાં ઉત્પત્તિ, સ્થિતિ અને ક્ષયરૂપ ક્રિયાઓ માટે કાલ જવાબદાર છે. સઘળા મૂત પદાર્થો આકાશને કારણે જુદા જુદા સમજાય છે. આકાશ અને કાલમાં ભેદની કલ્પના, અભિન્ન બ્રહ્મની તેઓ શક્તિઓ હોવાને કારણે છે. यद्यप्युपबसिदेशविशेषमनुरुध्यते । शब्दप्रवृत्तिधर्मात्तु कालमेवावलम्बते ॥१५४।। ઉપવાસનું કાર્ય ચોક્કસ સ્થાનની અપેક્ષા રાખે છે, છતાં, શબ્દની, તેના વપરાશરૂપી (વાભાવિક) શક્તિને કારણે તે કાલ ઉપર જ આધાર રાખે છે. (૧૫૪) આ કારિકાના વિચારના મૂળમાં યુવા વધ્યાસ; (પા. સૂ. ૧-૪-૪૮, ૩૧, , દ્ધિ અને મા ઉપસર્ગો સાથેના વધૂ ધાતુના આધારની કર્મ સંજ્ઞા થાય છે) ઉપરનું વરશ્યર્થ પ્રતિષેધ: . છે. આ વાર્તિક પ્રમાણે વત્ ધાતુનો અર્થ [ ખાવું થતો હોય એવા પ્રસંગે કર્મ પ્રતિષેધ કરો. જેમકે રામે સાવતિ તે ગામમાં ઉપવાસ કરે છે). આ વાર્તિકમાં મય એવો પ્રયોગ છે તેને અથ ખાવાનો પ્રતિષેધ અર્થાત ઉપવાસ સમજવાનો છે. કયટ જણાવે છે કે સગ્યWહ્ય પ્રયોગને મથવારા સમજવો જોઈએ, અને મને નિવૃત્તિના અર્થમાં સમજીને “ભેજનનિવૃત્તિને વાચક' (મર ધાતુ) એવો અર્થ શ્યર્થયનો કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy