SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ વાકષપડીય उपश्लेषस्य चाभेदस्तिलाकाशकटादिषु । उपकारास्तु भिद्यन्ते संयोगिसमवायिनाम् ॥१४९॥ તલ, આકાશ અને સાદડી (એવા અધિકરણો)માં (આધારાધેય) સંબંધ જુદા જુદા નથી, પરંતુ, સંયોગ અથવા સમવાયથી જોડાયેલા પદાર્થોના ઉપકારો જુદા જુદા સમજાય છે. (૧૪૯) ' ઉપશ્લેષ એટલે આધારને આધેય સાથેનો સંબંધ. તલ, આકાશ અને સાદડીને આધાર તરીકે સમજતાં, આવો સંબંધ બધામાં એક સરખો છે. અધિકરણને ત્રણ પ્રકારે સમજવામાં આવ્યું છે. રેવત: રે માસે. (સાદડી ઉપર દેવદત્ત બેઠો છે') એવા ઉદાહરણમાં સંયમી સાદડીના બધા ભાગમાં દેવદર બેઠે નથી, તેથી અહીં આધાર એ સાદડીને ઓપશ્લેષિક અધિકરણ કહ્યું છે. અહીં આધાર સાદડી અને આધેય દેવદત્ત વચ્ચે સંગ સંબંધ છે. (તિg સેન્ટર ) “તલમાં તેલ છે એવા પ્રગમાં તલના બધા ભાગમાં તેલ છે તેથી આધાર એવા તેલને વ્યાપક અથવા અભિવ્યાપક અધિકરણ કહ્યું છે. અહીં તલ અને તેલ વચ્ચે સમવાય સંબંધ છે. તે રાકુન. (આકાશમાં પંખી ઓ છે) એવા ઉદાહરણમાં આકાશના વાસ્તવિક અવયવ નથી, પરંતુ કપિત અવયવો છે. તેથી અહીં અધિકરણને વૈયિક અધિકરણ કહેવામાં આવ્યું છે. अविनाशो गुरुत्वस्य प्रतिबन्धे स्वतन्त्रत।। दिग्विशेषादवच्छेद इत्याद्या भेदहेतवः ॥१५०॥ પિતે નાશ ન પામવું, ભારને સામને કરવામાં સ્વતંત્રતા, અને ચોક્કસ દિશા સાથે સંબંધ, વગેરે, ભેદનાં કારણે છે. (૧૫) ક્રિયાસિદ્ધિ માટેના ઉપકારો, સંયોગ અને સમવાય સંબંધથી જોડાયેલા પદાર્થોમાં જુદા જુદા હોય છે એમ કહેવામાં આવ્યું. તલ, આકાશ અને સાદડીના સંબંધમાં આવા કયા ઉપકારો છે તે આ કારિકામાં જણાવવામાં આવે છે. તે માટે નાશ ન પામીને તલ, તેલ ઉપર ઉપકાર કરે છે. સાદડી પિતાની ઉપર બેસનારના ભારનો સામનો કરીને અર્થાત્ ભારને સહન કરીને ઉપકાર કરે છે. આકાશ પંખીઓને નીચેના પ્રદેશ સાથે ન પડવા દેવા રૂપી ઉપકાર કરે છે. आकाशमिव केषाचिद् देशभेदप्रकल्पनात् । आधारशक्तिः प्रथमा सर्वसंयोगिनां मता ॥१५१॥ કેટલાકના મતમાં, આકાશ, (તેમાંના) જુદા જુદા પ્રદેશોની કલ્પનાને કારણે, બીજા સાથે સંગ પામતા બધા પદાર્થોની મુખ્ય આધારશક્તિ સમજવામાં આવે છે.(૧૧) બધા મૂત પદાર્થો માટે આધાર હોય છે. આવો આધાર મત હોઈ તેને પણ અધિકરણની જરૂર પડે. આવું અધિકરણ, સવને માટે, આકાશ છે. તારા અને નક્ષત્રોનું અધિકરણ પણ આકાશ છે. બધા પદાર્થોના આધારસમી પૃથ્વીનું અધિકરણ પણ આકાશ છે. અવયયી પદાર્થોને આધાર તેમના અવયવો છે. અવયવોને આધાર તેમના પરમાણુએ છે અને તેમને પણ આધાર આકાશ છે. Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy