SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપડીય વાદળમાં ધુમાડા, તેજ, પાણી, વાયુ વગેરે તેના અવયા છે. એમાંના એક અવયવ તેજ માટે, તેજ ચમકે છે” એવા પ્રયાગ થાય છે. આ તેજની જ્યારે અવયવસમુદાય એવા વાદળથી જુદી વિવક્ષા હેાય ત્યારે વાદળને અવિધ સમજવામાં આવે છે અને તેથી તેજ વીજળી વાદળમાંથી છૂટી પડીને પ્રકાશે છે, એવા અથ થશે. જ્યારે વાદળને નિરાધાર તેજને આધાર સમજવામાં આવે ત્યારે ‘વાદળમાં ચમકે છે' ઉદાહરણમાં, ‘વાદળમાં રહીને ચમકે છે' એવાં અવાળા પ્રયાગમાં વાદળ અધિકરણ બનશે. આમ એ જુદાં ઢારકાના પ્રયાગા સ’ભવે છે. આવી સ્થિતિમાં અપાદાન કારકના બીજા કારકા બાધ કરે છે એવા વાર્ત્તિકનિયમ પ્રાપ્ત થાય છે. અહીં પણ વિવક્ષાનિયમ સમજવા જોઈએ. વક્તાને જે અની વિવક્ષા હાય તે અર્થ પ્રમાણે કારકને ઉપયેાગ થાય છે. ૩૩. धनुषा विध्यतीत्यत्र विनापायविवक्षया । करणत्व यतो नास्ति तस्मात्तदुभयं सह ॥ १४५ ॥ ધનુષ વડે વીંધે છે’ એવા પ્રયાગમાં અપાયની વિવક્ષા વિના કરત્વ પ્રાપ્ત થશે નહિ, તેથી (અપાદાન અને કરણ) એવી એ (શક્તિ) એક સાથે પ્રાપ્ત થાય છે. (૧૪૫) ધનુષા વિકૃતિ । (ધનુષ વડે વીંધે છે) એવા પ્રયાગમાં કરણ અને અપાદાન એવી એ સંજ્ઞાએ એક સાથે પ્રાપ્ત થાય છે. ધનુષમાંથી છૂટતા બાણુને અવધિ સમજીને, ખાણુ વીંધવાના કાર્યનું કરણ બની શકે છે, આમ અપાયની વિક્ષા વિના કરણકારક સંભવે નહિ. એક જ સમયે એક જ શબ્દમાં એ કારકશક્તિ દર્શાવવા એ પ્રત્યયેા સંભવે નહિ, તેથી ઉપરના પ્રયેાગમાં કરસના અપાદાનતે બાધ કરે છે એવા નિયમ અનુસાર તૃતીયાન્ત ધનુષા શબ્દ પ્રાપ્ત થાય છે. एकैव वा सती शक्तिर्द्विरूपा व्यवतिष्ठते । निमित्त' संज्ञयोस्तत्र पश्या बाध्यतेऽपरा ॥ १४६ ॥ અથવા એ સંજ્ઞાએના કારણરૂપે રહેલી બે સ્વરૂપેાવાળી તે શક્તિ એક જ છે. તેમાં પછીની સંજ્ઞા અગાઉની સ'જ્ઞાનેા ખાય કરે છે, (૧૪) Jain Education International અગાઉની કારિકામાં કરણ અને અપાદાન એવી એ શક્તિઓના ઉલ્લેખ કરવામાં આવ્યા. તેમાંની એક શક્તિ પરત્વને કારણે બીજી શક્તિનેા બાધ કરે છે, એમ જણાવવામાં આવ્યું. આ વ્યવસ્થા શાસ્રતિયમને આધારે છે. બધે અદ્વૈતને નિહાળનારા ભર્તૃહરિ આ એ શક્તિઓને એક જ સમજે છે. અપાય દર્શાવતી અપાદાન શક્તિ કરણુશક્તિમાં અન્તભૂત સમજવી જોઈએ. ઉપરના ઉદાહરણમાં બાણુને દૂર છૂટવાના કાર્ટીમાં ધનુષ અવધ હાવાથી જ તેને કરણ સમજવામાં આવે છે. વાસ્તવમાં અહીં શક્તિ એક જ છે. એક જ શક્તિ ગૌણ અને પ્રધાન રૂપે એ સ્વરૂપા પ્રાપ્ત કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy