SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ વાકય૫રીય द्रव्यस्वभावो न ध्रौव्यमिति सूत्रे प्रतीयते । अपायविषय ध्रौव्य यत्त तावद्विवक्षितम् ।।१३८।। સ્થિરતા દ્રવ્યનો સ્વભાવ છે એમ, ધરમાસૂત્રમાંથી સમજાતું નથી. જે અપાય વિષયક સ્થિરતા છે તે આ (સૂત્રમાં) સમજવામાં આવી છે. (૧૩૮) ધ્રુવમવારે વાનમ્ | સૂત્ર દ્વારા ધ્રૌવ્ય અર્થત સ્થિરતા એ દ્રવ્યનો સ્વભાવ છે એમ સમજાતું નથી, પરંતુ અપાય સાથે સંકળાયેલું જે ધ્રૌવ્ય છે તે આ સૂત્ર દ્વારા વિવક્ષિત છે. सरणे देवदत्तस्य ध्रौव्य पाते तु वाजिनः । आविष्ट यदपायेन तस्याध्रौव्य प्रचक्षते ॥१३९।। ઘોડાની દેડવાની ક્રિયામાં ઘેડ સ્થિર છે જે અપાયના આશ્રયવાળા છે તેમને અધુવ (અર્થાત્ ક્રિયાશીલ) કહેવાય છે. (૧૩) ઉપરનાં ઉદાહરણોમાં સ્થિર દેવદત્ત અને સ્થિર ઘડે અપાય સાથે સંકળાયેલા નથી. તેથી અપાય સાથે સંકળાયેલાને જ અધ્રુવ કહેવામાં આવે છે. उभावप्यध्रुवौ मेषौ यद्यप्युभयकर्मजे । विभागे प्रविभक्ते तु क्रिये तत्र विवक्षिते ॥१४०।। मेषान्तरक्रियापेक्षमवधित्व पृथक् पृथक् । मेषयोः स्वक्रियापेक्ष कर्तृत्व च पृथक् पृथक् ।।१४१।। તેમની બંનેની (સાથે સંકળાયેલી અપસરણરૂપી) ક્રિયાઓથી પ્રાપ્ત થયેલ જુદાઈ અંગે બંને ઘેટાં અધ્રુવ છે, છતાં, અહાં બંને ક્રિયાઓને જુદી સમજવાની વિવેક્ષા છે. (૧૪૦) દરેકમાં (અપસરણ રૂપ ક્રિયાની) અવધિ, બીજા ઘેટાની ક્રિયાના સંદર્ભમાં નિશ્ચિત થાય છે, અને દરેકમાં ઘેટાની પિતાની ક્રિયાના સંબંધમાં કતૃત્વ નકકી થાય છે (૧૪૧). ક્રિયાવિભાગ બે પ્રકારનો છે : એક, બેમાંથી એકની ક્રિયાથી પ્રાપ્ત થયેલો અને બીજે, બંનેની ક્રિયાથી પ્રાપ્ત થયેલો. થાળ : અવસતિ ! (બાજપક્ષી ઠઠાથી દૂર ઊડે છે) એવા ઉદાહરણમાં બેમાંથી એક શિયાધારા પ્રાપ્ત થયેલ ક્રિયાવિભાગ હોઈ, થાણુ ધ્રુવ છે. વરરાન એવી વણરતઃ બે ઘેટાં એકબીજાથી દૂર જાય છે ) અને સર્વતઃ મેવાનું છે: વસતિ (દૂર જનારા એક ઘેટાથી બીજું ઘેટું દૂર જાય છે) એવાં ઉદાહરણોમાં બને ઘેટાં અપાયક્રિયા સાથે સંકળાયેલાં હેઈ અધુવ છે, છતાં અપસર્ષણરૂપ ક્રિયાઓના કર્તા જુદા હોવાથી બંને ધ્રુવ સમજાશે. પહેલા ઉદાહરણમાં દરેક ઘેટું કર્તા અને અપાદાન એમ બે રીતે સમજાય છે. બીજા ઉદાહરણમાં એક ઘેટું કર્તા છે અને બીજું અપાદાન છે. કૈયટ અહીં જણાવે છે કે આવાં ઉદાહરણમાં બીજી અવધિ સમજવી રહી. પહેલા ઉદાહરણમાં દરેક ઘેટ બીજાની અપસરણ ક્રિયા માટે અવધિ બન્યું. બીજા ઉદાહરણમાં બીજા ઘેટાન અપસરણરૂપ ક્રિયા માટે એક ઘેટુ અવધિ બન્યું. આમ બંને ઉદાહરણ મેગ્ય કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy