________________
ત્રીજુ કાંડ
निर्दिष्टविषय किश्चिदुपात्तविषय तथा ।
अपेक्षितक्रिय चेति त्रिधापादानमुच्यते ॥१३६।। જ્યાં અપાયરૂપી વિષયને સ્પષ્ટ જણાવવામાં આવ્યા હોય, જ્યાં તેને અન્તભેંત ગ હોય અને જ્યાં (અપાયની) ક્રિયાની વિવક્ષા હેય, એમ ત્રણ પ્રકારે અપાદાનને જણાવવામાં આવે છે. (૧૩૬)
પુત્ર સાથે માયાનમ્ (પાસૂ. ૧.૨.૨૪) અપાદાનની વ્યાખ્યા આપે છે. અપાદાન અર્થાત નિગમન ક્રિયા (moving away) સાથે સંકળાયેલા ધ્રુવ એવા કારકને અપાદાન કહેવામાં આવે છે. ગ્રામ મા રતિ 1 (ગામથી આવે છે) પ્રયોગમાં ગ્રામ ધ્રુવે છે, જ્યાંથી નિર્ગમન ક્રિયા સમજવામાં આવે છે. સૂત્રમાં જે પૂત્ર શબ્દ મૂક્યો ન હોય તો વૃક્ષાત્ વર્ષ પતતિ . (વૃક્ષ ઉપરથી પાંદડું પડે છે)માં કર્જ પણ અપાદાન કહી શકાય. એવી જ રીતે પ્રામાણ્ ભાગછતિ શહેન ! (ગાડા વડે ગામમાંથી આવે છે)માં શક્રટેનની અને પ્રામાર્ માર્જીન જંજાથાં પાનના ગોર મુI (ગામથી આવતાં, તે હાથથી, થાળીમાંથી ભાત ખાય છે)માં વંસમાથામ ની પણ અપાદાન સંજ્ઞા થાય.
ગાય એટલે નિર્ગમન અથવા પ્રસ્થાન. એ પ્રસ્થાન કાય જે સ્થિર અર્થાત ધ્રુવ પદાથથી થતું હોય તેનું વાચક કારક અપાદાન કહેવાય છે.
આ કારિકામાં અપાદાનના ત્રણ પ્રકાર જણાવવામાં આવ્યા છે. જયાં અપાયનો ક્રિયા. રૂ૫ વડે સ્પષ્ટ નિર્દેશ થયો હોય તે નિર્દિષ્ટવિષય (જેમ કે 21માત્ સાગછતિ ) અપાદાન છે. ઉપાસ્તવિષય અપાદાનમાં એક ક્રિયારૂપના અર્થમાં બીજા ક્રિયારૂપના અર્થનો અન્તર્ભાવ કરવામાં આવ્યો હોય છે, જેમ કે વાદૃો વિદ્યોતે વિશુન્ | (વાદળમાંથી વિજળી ચમકે છે). અહીં ઘોસે માંના દ્યોતન અર્થમાં નિ સહાયનો અર્થ ગૌણ સમજવામાં આવ્યો છે. અપેક્ષિતક્રિય અપાદાનમાં ક્રિયા દર્શાવનાર શબ્દ અધ્યાદ્રત રહે છે, પણ ક્રિયા અપેક્ષિત હોય છે. જેમ કે at
માણ્યઃ વાઢિપુત્ર; મમતવતર: | (પાટલિપુત્રના રહેવાસીઓ સાંકાશ્મના રહેવાસીઓ કરતાં વધારે યોગ્ય છે)માં ક્રિયારૂપ પ્રાપ્ત થતું નથી, પરંતુ લાયકાતના ગુણને લીધે પાટલિપુત્રના રહેવાસીઓ વિશિષ્ટ જણાય છે.
संयोगभेदाभिन्नात्मा गमिरेव भ्रमियथा ।
ध्रुवावधिरपायोऽपि समवेतस्तथाध्रुवे ।।१३७।। જેમ “ભેગા થવું” અને “છુટા પડવું” એવા ભેદ વડે સમજાતું ગમન, બ્રમણ તરીકે ઓળખાય છે, તેમ અપાય પણ ધ્રુવની અવધિવાળું અને અધુંવ (ક્રિપાવાન) ની સાથે સંકળાયેલું છે. (૧૩)
અપાય એટલે માત્ર ગતિ નહિ, એ વાત આ કારિકામાં સમાવવામાં આવી છે. વૈશેષિક પણ માને છે કે બ્રમણ એટલે ભેગા થવું અને છૂટા પડવું એ ની પરસ્પર જુદી ક્રિયાઓવાળું ગમન. તે પ્રમાણે અપાય પણ ધ્રુવ અને અધ્રુવ સાથે સંકળાયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org