SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ ક - જ્યારે પદાર્થના કાર્યની પ્રવૃત્તિ ન થઈ હોય અને તેથી તેને માટે કર્તભાવ પ્રાપ્ત થયો ન હોય ત્યારે તેના પ્રેષણ અંગે લોટુ અર્થાત આજ્ઞાર્થને પ્રયોગ થાય છે, જેમકે વૃઋતુ માં મવાન્ ! (આપ મને પૂછે). જ્યારે સક્રિય પ્રયોજ્યકર્તાનું પ્રેષણ થયું હોય ત્યારે તે પ્રેષણ પ્રેરક પ્રયોગ (ળિ)ને વિષય બને છે, જેમકે યજ્ઞ: તેવાં ગમગતિ गुणक्रियायां स्वातन्त्र्यात् प्रेषणे कर्मतां गतः । नियमात् कर्मसंज्ञायाः स्वधर्मेणाभिधीयते ॥१२७॥ પ્રેષણમાં કર્મરૂપ બનેલ પ્રયોજ્ય કર્તા પિતાની ગૌણ ક્રિયા અંગે સ્વતંત્ર હેવાથી અને કમસંજ્ઞા અંગેના નિયમને કારણે પિતાની વિશિષ્ટતા પ્રમાણે (કર્તા) કહેવાય છે. (૧૨૭) પ્રયોજ્ય કર્તા પ્રેષણ-અષણરૂપ પ્રયોજક વ્યાપાર પ્રાપ્ત કરતો હોવાથી તેને કમસંજ્ઞા થશે એવી શંકાને આ કારિકાનો વિચાર દૂર કરે છે. પ્રયોજ્ય કર્તા પિતાનું સ્વાતંત્ર્ય ગુમાવતો નથી એમ કહેવામાં આવ્યું. તેથી તે કર્તા જ રહે છે, કર્મ બનતું નથી. હેલારાજ જણાવે છે કે પ્રયોજ્ય કર્તા પિતાની સ્વતંત્રતા ગુમાવ્યા વિના જ પ્રાજકના કાર્યમાં ગૌણભાવ પ્રાપ્ત કરે છે. પ્રયોજક સ્ત તેના સ્વાતંત્ર્યનું ખંડન કરી શકતો નથી. પ્રેષણમાં પણ પિતાના કાર્ય પૂરતું પ્રયોજ્ય કર્તાનું સ્વાતંત્ર હોવાથી તે કર્તા બને છે જ. પરંતુ પા. સૂ. અતિવૃદ્ધિપ્રત્યવસાનાર્થરાદકર્માનામનિરત સ ી (૧ ૪ ૫ર, જવું, જાણવું, ખાવું, શબ્દકમ કરવું, એવા અર્થના ધાતુઓ અને અકર્મક ધાતુઓના પ્રેરક નહિ. એવા-ક્રિયારૂપમાં જે કર્તા હોય છે તે પ્રેરક રૂપમાં કર્તા બને છે)ને કારણે તેની કર્મસંજ્ઞા થતી નથી. क्रियायाः प्रेरक कर्म हेतु; कर्तुः प्रयोजकः । कर्मार्था च क्रियोत्पत्तिसंस्कारप्रतिपत्तिभिः ॥१२८॥ ક્રિયાનું પ્રેરક કર્મ છે, હેતુ કર્તાને પ્રાજક છે, કારણ કે, ઉત્પત્તિ, વિકૃતિ અને પ્રાપ્તિ વડે(ઉપકારક બનતી) ક્રિયા, કર્મને અર્થે છે (૧૨૮) તવ્રયોનો હેતુથ (પા. સુ. ૧.૪.૫૫) થી પ્રયોજક કર્તાને હેતુ કહ્યો છે. ફળરૂપ ક્રિયા માટે કર્મ પણ પ્રયોજક બને છે, તો પછી કમને પણ હેતુ કહેવું જોઈએ એવી શંકાના જવાબમાં આ કારિકા છે. ઉત્પત્તિ, વિકાર અને પ્રાપ્તિ એમ ત્રણ પ્રકારે અનુક્રમે નિવર્ય, વિકાર્ય અને પ્રાપ્ય કમ સમજાય છે અને કર્મ ક્રિયાનું પ્રયોજક બને છે. હેતુ ક્રિયાને અર્થે, સાધન સાથે સંબંધ પામીને કર્તાને પ્રયોજે છે, ક્રિયાને નહિ. કમને હેતુ કહી શકાય નહિ, કારણકે હેતુ કર્તાને પ્રોજક છે, ક્રિયાને નહિ. ક્રિયાનું ફળ એટલે કર્મ. ક્રિયા ઉત્પન્ન થાય, ફેરફાર પામે અથવા પ્રાપ્ત થાય. આમ કર્મ ક્રિયાનું પ્રયોજક બને, કર્તાનું નહિ. હેતુ અને કર્મને પ્રયોજક વની દૃષ્ટિએ સ્પષ્ટ ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy