________________
૩૨૯
વાકયપદીય
સર્વથા અવિદ્યમાન એ છે કે પદાર્થ ઉતપન્ન થતો નથી. જન્મસમયની અવસ્થામાં પણ પદાર્થની પોતાની અગાઉની કારણરૂપ અવસ્થાને ત્યાગ થતા નથી. આમ કારણરૂપ પદાર્થ પણ કાર્યરૂપે પ્રાપ્ત થાય છે. પૂર્વાપર અવસ્થામાં રહેલો પદાર્થ પછીની અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઉઘત અર્થાત ક્રિયાશીલ હોય છે. આમ પ્રકૃતિ અને વિકાર બંનેમાં કર્તવની સંભાવના પ્રાપ્ત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કારણ અર્થાત પ્રકૃતિરૂપ પૂર્વાવસ્થામાં રહેલ પદાથે કર્યું અર્થાત વિકારરૂપ પછીની અવસ્થામાં પોતાના સ્વરૂપને વિસ્તાર રહે છે. આ અર્થાત્મા બંને અવસ્થાઓના મિશ્રણરૂપે હાઈ ધાત્વથ અને પ્રત્યયાર્થ બંનેમાં સમાનાધિકરણમાં હોય છે અને વીનં કુર: ગાયતે . તથા ક્ષીરં ધિ સંવતે જેવા પ્રયોગોને સિદ્ધ કરે છે, અને પ્રકૃતિ અને વિકાર એમ બંનેનું કનૃત્વ પ્રાપ્ત કરે છે.
सव्यापारतरः कश्चित् क्वचिद्धर्मः प्रतीयते ।
संसृज्यन्ते च भावानां भेदवत्योऽपि शक्तयः ॥११९॥ (તેમાંનો) એક (અર્થાત્ પ્રકૃતિ) વધારે ક્રિયાશીલ હોય છે, કેઈક (બીજીવાર ( વિકાર રૂપ) ધર્મ (વધારે ક્રિયાશીલ) સમજાય છે. પદાર્થોની શક્તિઓ જુદીજુદી હોવા છતાં (કોઈકવાર) મિશ્ર બને છે. (૧૧૯)
ઉપર જણાવ્યું તેમ પ્રકૃતિ અને વિકાર બંનેનું કત્વ પ્રાપ્ત થતું હોવા છતાં કોઈક વાર પ્રકૃતિ વધારે ક્રિયાશીલ જણાય છે, કેઈક વાર વિકાર વધારે ક્રિયાશીલ હોય છે. તેથી પ્રકૃતિ અને વિકાર બંને હંમેશાં કર્તા બનશે એવી શંકા રાખવાની જરૂર નથી.
विपरीतार्थवृत्तित्व पुरुषस्य विपर्यये ।
गम्येत साधन तत्र सव्यापार प्रतीयते ॥१२०॥ પુરુષને ફેરફાર કરવામાં આવે તે વિરુદ્ધ અર્થ પ્રાપ્ત થશે, કારણકે ત્યાં (બીજા પુરુષ વડે સમજાતું) કારક ક્રિયાશીલ જણાય છે, એમ સમજવામાં આવે છે.(૧૦૦)
માં વં સંપચ વર્મવતિ ને બદલે સર્વ તત્વ સંaણે ચટૂમવતિ | એ પ્રયોગ કેમ થતું નથી એવા પ્રશ્નના ઉત્તરમાં આ કારિકા છે.
બીજે પ્રયોગ સ્વીકારીએ તો માં પ્રકૃતિ છે અને સ્વત્ વિકાર છે એવો વિવક્ષિત અર્થ પ્રાપ્ત થશે નહિ, પરંતુ વત્ એવી પ્રકૃતિ પ્રત્યયની ઉત્પત્તિ માટે ક્રિયાશીલ બને છે એમ સમજાશે. આમ થાય તો તે પ્રકૃતિ માટે બીજે વિકાર સમજવો પડે અને તને અર્થ તેનાથી વિપરીત અસ્વસૂના અર્થનું રૂપ પ્રાપ્ત કરે છે એમ સમજવું પડે. આવી સ્થિતિ નિવારવા કર્વ એવી પ્રકૃતિની કાર્યશીલતા સમજાવવા મવતિ પ્રયોગ યોગ્ય છે.
त्वमन्यो भवसीत्येषा तत्र स्यात् परिकल्पना ।
राज्ञि भृत्यस्वमापन्ने यथा तद्वद्गतिर्भवेत् ॥१२॥ જેમ, રાજ નોકર બને ત્યારે, “બીજે થાય છે', એવી ત્યાં કલ્પના કરવામાં આવે છે તેમ (અહીં પણ તે ઉપર જણાવ્યા તેવા વિરુદ્ધ અર્થની પ્રાપ્તિ) સમજવામાં આવશે. (૧૨૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org