SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ વાકથ૫રીય विकारो जन्मनः कर्ता प्रकृतिर्वेति संशये । भिद्यते प्रतिपतृणां दर्शन लिङ्गदर्शनैः ॥११४॥ - જનમ(રૂપી ક્રિયા)ને કર્તા વિકાર છે કે પ્રકૃતિ છે એવા સંશય અંગે અભ્યાસીઓનું દર્શન જુદાં જુદાં સૂચને પ્રમાણે જુદું જુદું છે (૧૧૪). કાર્ય અને કારણ વચ્ચે અભેદ કહ૫વામાં આવે તો પણ જન્મનું કર્તુત્વ કાર્યનું જ હોઈ શકે, કારણતું નહિ. “દૂધ દહીં બને છે' એવા પ્રયોગમાં કત્વની બાબતમાં પ્રધાન કેણ, પ્રકૃતિ કે વિકાર, એવી શંકા ઉત્પન્ન થતાં, જન્મ અંગે પ્રકૃતિનું પ્રધાનરૂપે કત છે, વિકારનું કતૃત્વ ગૌણરૂપે છે; અર્થાત પ્રધાન એવી પ્રકૃતિ દ્વારા ગૌણ એવા વિકારને જન્મ સાથે સંબંધ છે. આમ બંનેનું ઉપર જણાવેલા પ્રયાગવાક્યમાં સામાનાધિકરણ્ય છે. વૈજ્ઞા કરો ગાયતે I (બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે) એવા પ્રયોગમાં પંચમી વિભક્તિ દ્વારા ભેદરૂપે નિર્દેશ કર્યા હોય ત્યારે જન્મ માટે વિકારનું કર્તુત્વ છે. આ વાત નિઝર્ત પ્રકૃતિઃ ! (પા. મૂ. ૧.૪.૩૦, ગન ઉત્પન્ન થવું, ક્રિયાપદના કર્તાનું જે કારણ તેને અપાદાન કહે છે) ઉપરથી પણ સિદ્ધ થાય છે. વિકારનું કર્તવ માનનારા વિચારે છે કે જન્મ એટલે સ્વરૂપ પ્રાપ્તિ. જે પહેલાં વિદ્યમાન નહતું તે હવે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. પ્રકૃતિનું કર્તવ માનનારા સમજે છે કે વિકારનું અસ્તિત્વ જે પહેલાં ન હોય તો તે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે નહિ. તેથી જન્મ માટે તેનું કર્તુત યોગ્ય ગણાય નહિ. જન્મ એટલે સ્વરૂપ પ્રાપ્તિ તરફ અભિમુખ બનવું. વિદ્યમાન વિકાર સ્વરૂપ પ્રાપ્તિ તરફ કેવી રીતે અભિમુખ બની શકે? તેથી જન્મ સંબંધે વિકારનું કર્તુત્વ પ્રાપ્ત થતું નથી; સરખાવો હેલારાજ : મતો હિ विकार जातस्य आत्मलाभ प्रति आभिमुख्यायोगात् तल्लक्षणे जन्मनि कर्ततानुपपत्तिः । क्लूपि संपद्यमाने या चतुर्थी सा विकारतः । सुवर्णपिण्डे प्रकृतौ वचन कुण्डलाश्रयम् ॥११५।। સ્કૃષિ સંપામા (વરૃપ ધાતુ સાથે સંબદ્ધ સંપાદનક્રિયા માટે જવાબદાર શબ્દને ચતુથી થાય છે, એવા (પા. સૂ ૨. ૩. ૧૩. વાર્તિક ૨) નિયમ પ્રમાણે જે ચતુથી તેને પ્રયોગ કહ્યો) છે તે વિકાર(દર્શક શબ્દ)ને માટે છે. સેનાના ટુકડાને જ્યારે પ્રકૃતિ સમજવામાં આવે છે ત્યારે (વિકાર એવા) કુંડલને આધારે, બે કુંડલ એવું ઢિ)વચન પ્રાપ્ત થાય છે (૧૧૫) જવનું પાણી મૂત્ર ઉત્પન્ન કરે છે' (મૂત્રાય વસે થવાનુ: i) એવા પ્રયોગોમાં મૂત્રસંપાદનક્રિયારૂપ વિકાર માટે ચતુર્થી વાપરવામાં આવે છે. મૂત્રરૂપ વિકાર અહીં સંપાદનક્રિયાના કવને જણાવે છે, જેમકે વાગૂ મૂત્ર બને છે. આ પ્રયોગમાં પ્રકૃતિને ક્રિયા સાથેનો સમન્વય વિકાર દ્વારા છે, સાક્ષાત્ નથી. અહીં અભેદની વિવેક્ષા છે. ભેદવિવેક્ષા હોય ત્યારે યવાગૂથી મૂત્ર ઉત્પન્ન થાય છે' (યવાવા: મુત્ર ગાયતે ) એવો પ્રયોગ થાય છેઅહીં પ્રકૃતિને અપાદાન સમજવાથી પંચમીને પ્રયોગ થયો છે. સેનાનો ટુકડે બે કુંડળ બને છે (સુવર્ણપિઃ યુદ્ધ મવતઃ I) એવા પ્રયોગમાં (કુંડળરૂપીવિકાર) સંપાદનક્રિયાનું કર્તુત્વ ધારણ કરે છે : મવતઃ એવું દ્વિવચનયુક્ત ક્રિયારૂપ આ બાબતને સિદ્ધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy