SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ત્રીજું કાંડ આવાચ ગામેવારછાયાચાર થા. जन्मनाशावभेदेऽपि तथा कैश्चित् प्रकल्पितौ ॥१११।। અભિન્ન એવા તે તરવમાં પણ આકાશના વિભાગોની જેમ અને છાયાના હલનચલનની જેમ, જન્મ અને નાશની (મિથ્યા) કલ્પના કેટલાકે કરી છે. (૧૧૧) અત મતની તરફેણ કરતાં ભર્તુહરિ, જન્મ અને નાશને આત્યંતિક રીતે મિથ્યા સમજે છે. ભાવાભાવરૂપ વ્યવહાર માત્ર કાલ્પનિક છે. यथैवाकाशनास्तित्वमसन्मूर्तिनिरूपितम् । तथैव मूर्तिनास्तित्वमसदाकाश निश्रयम् ॥११२।। જેમ (વ્યાપક એવા) આકાશનું, (ઘટાદિ પદાર્થ વડે નિરૂપાયેલું નાસ્તિત્વ મિથ્યા છે, તેમ આકાશને આધારે નિરૂપતું (ઘટાદિ) પદાર્થનું નાસ્તિત્વ પણ મિથ્યા છે. (૧૨) આ કારિકાનો અન્વયઃ ચા મૂર્તિનિધિત મામાનાસ્તિવં મસત્ તથા માત્રાશન મૂર્તિનાતિવું (કવિ) મસત્ વ ! નાશ પણ કાલ્પનિક છે એવો વિચાર આ કારિકા જણાવે છે. આકાશ સર્વવ્યાપી છે, છતાં, જ્યાં મૂત પદાથે હોય છે ત્યાં આકાશ નથી, એવી કલ્પના કરવામાં આવે છે. આવી નાસ્તિકપના મિથ્યા છે. તે પ્રમાણે ઘટાદિ પદાર્થોને સંપૂર્ણ વિનાશ અથવા અભાવ હોતો નથી. જ્યાં આકાશ છે ત્યાં ઘટાદિ પદાર્થો હોતા નથી, એવી પદાર્થો અંગેની નાસ્તિકલ્પના પણ મિથ્યા છે. આમ જન્મ અને નાશ બંનેને કહિપત ગણવાં જોઈએ. આકાશ એટલે પદાર્થોનો અભાવ એમ સમજવું જોઈએ નહિ. અને જે પદાર્થોનો અભાવ ન હોય અર્થાત્ તે વિદ્યમાન હોય તે તેમને જન્મ કેવી રીતે થઈ શકે? यथा तदर्थैर्व्यापारः क्रियात्मा व्यपदिश्यते । अभेदग्रहणादेष कार्यकारणयोः क्रमः ॥११३।। બંનેની વચ્ચે અભેદ સમજવામાં આવતું હોવાથી, જેમ મુખ્ય ક્રિયા તેને માટેની (ગૌણ) ક્રિયાઓ વડે ઓળખાય છે તેમ કાર્ય અને કારણ વચ્ચેની આવી (અભેદ) વ્યવસ્થા છે (૧૩) - કારિકા ૧૦૬માં કાર્યો અને કારણને વાસ્તવિક અભેદ વર્ણવવામાં આવ્યો હતે. આ કારિકામાં એ અભેદને આરોપિત અથવા ઉપચરિતરૂપે સમજાવવામાં આવે છે. ૧૧ (રાંધવું) ધાતુને મુખ્ય અર્થ છે, ચોખાને રાંધીને પોચા કરવા. તે મુજબ ક્રિયા માટે ગૌણ વ્યાપારે જેવા કે અગ્નિ ઉપર મૂવું, પાણી રેડવું વગેરે મુખ્ય ક્રિયા સાથે અભેદ થાય છે એવો ઉપચાર સમજીને મુખ્ય ક્રિયા જાહેર કરવામાં આવે છે. અહીં કારણ કાર્ય રૂપે સિદ્ધ બને છે. બંને વચ્ચે અભેદને આરોપ કરવામાં આવે છે. અંકુર કાર્ય છે, પરંતુ તેનું કારણ બીજ, તેની સાથે અભિન્ન છે, એમ સમજવામાં આવે છે, આવી સમજણ આરોપિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy