SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ વા૫તીય विभक्तयोनि यत्कार्य कारणेभ्यः प्रवर्तते । स्वा जातिय॑क्तिरूपेण तस्यापि व्यवतिष्ठते ।।१०८।। કારણેથી જુદું કાય જ્યારે કારણેમાંથી ઉત્પન્ન થાય છે ત્યારે તે(કાર્યની પિતાની જતિ, વ્યક્તિરૂપે સિદ્ધ થાય છે (૧૦૮) કાય અને કારણને જુદાં સમજનારના મતમાં પણ અંકુર ઉત્પન્ન થાય છે. એવા પ્રગમાં અંકુરની વાસ્તવિક ઉત્પત્તિ સમજી શકાય છે એ વિચારને હવે સ્પષ્ટ કરવામાં આવે છે. કારણથી ભિન્ન એવું કાય તેની ઉત્પત્તિ પહેલાં વ્યક્તિ રૂપે અસ્તિત્વમાં હોતું નથી, પરંતુ જાતિ રૂપે વિદ્યમાન હોય છે. જાતિ કારણેને તેમની અભિવ્યક્તિ કરવા પ્રયોજે છે. તેથી જાતિકાય વ્યક્તિ રૂપે ઉત્પન્ન થાય છે. આમ વ્યવહારમાં જાતિ રૂપે કર્તવ અને વ્યક્તિ રૂ૫ ઉત્પત્તિ સમજાય છે. भावेष्वेव पदन्यासः प्रज्ञाया वाच एव वा। नास्तीत्यप्यपदे नास्ति न चासद् भिद्यते यतः ॥१०९॥ જ્ઞાન અને શબ્દને આધાર પદાર્થના સ્વરૂપગ્રહણ ઉપર છે. “નથી” એવું (જ્ઞાન અને તેને દર્શાવતા શબ્દ) અવસ્તુમાં પ્રાપ્ત થતાં નથી અને અસત સતથી જુદું નથી (૧૦૦) જ્ઞાન અને શબ્દની પ્રવૃત્તિ પદાર્થના રૂ૫ગ્રહણ ઉપર આધાર રાખે છે, કારણ કે, જ્ઞાન અને શબ્દ નિરાલબન સમજી શકાતાં નથી. આ કારિકામાં ભાવ શબ્દનો અર્થ “પ્રતીયમાન સ્વરૂપ સમજવાનું છે. નથી (નાતિ) એવો શબ્દપ્રયોગ અને નથી એવા સ્વરૂપ અથવા આકાર ઉપર નિર્ભર છે. “છે (મતિ) અને “નથી' (નાહિત) વાસ્તવમાં જુદાં નથી. પદાર્થનું બાહ્ય અર્થાત વાસ્તવિક અસ્તિત્વ વ્યાકરણને વિષય નથી. તેથી અંકુર ઉત્પન્ન થાય છે' એવા પ્રયુગમાં અંકુરનું બાહ્ય અસ્તિત્વ હોય કે ન હોય પરંતુ અંકુરના કેઈક સ્વરૂપનું ગ્રહણ તો થાય છે જ. बुद्धिशब्दो प्रवर्तेते यथाभूतेषु वस्तुषु । तेषामन्येन तत्त्वेन व्यवहारो न विद्यते ॥११०॥ જ્ઞાન અને શબ્દની પ્રવૃત્તિ, અનુભવાતા પદાર્થોમાં (જ) થાય છે. તેમને બીજા કેઈ (બાહ્ય) તત્ત્વ દ્વારા વ્યવહાર થતું નથી (૧૧૦) પદાર્થને જાણવાનો આધાર તેનું જ્ઞાન અને તેને જાહેર કરતો શબ્દ છે. “નથી' એવા પ્રગમાં બાહ્ય પદાર્થનું અસ્તિત્વ નકારવામાં આવ્યું છે; પરંતુ કોઈક રૂ૫ બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે. આવું રૂપ “તે' એવા કર્તાને અભિવ્યક્ત કરે છે. અંકુર ઉત્પન્ન થાય છે એવા વાક્યમાં અંકુર બાહ્યરૂપે વિદ્યમાન ન હોય તો પણ બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે અને કર્તા રૂપે જન્મ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy