SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૩૨. શા માટે થાય અને અવિદ્યમાન હોય તે કેવી રીતે ઉત્પન્ન થાય ? કર્તાનું વાસ્તવિક અસ્તવ માનવામાં આવે તે આવા પ્રશ્નને થશે. તેમને ઉત્તર સંબંધસમદેશમાં ચચેલ ઉપચારસાને આધારે આપી શકાય. જે કર્તાને માત્ર વિવક્ષાને આધારે જ સમજવામાં આવે તો ઉપચારસાની મદદની પણ જરૂર રહેતી નથી. વિવલાને આધારે અંકુર શબ્દ બુદ્ધિમાં પ્રાપ્ત થયું. ત્યાં તેનું અસ્તિત્વ થયું હોવાથી એ હવે સત્ કહેવાશે. તેથી અંકુર ઉત્પન્ન થયો” એવું વાકય પ્રયોગમાં આવશે. અને બાહ્યરૂપે તેનો જન્મ થયો એમ કહેવાશે. આ બધી વ્યવસ્થા વાસ્તવિક નથી, પરંતુ શબ્દનિર્ભર છે. કારકેશ અંગે સર્વત્ર વિવક્ષાને જ પ્રભાવ છે. कारण कार्यभावेन यदा वा व्यवतिष्ठते । कार्यशब्द तथा लब्ध्वा कार्यत्वेनाथ जायते ॥१०६।। અથવા જ્યારે કારણ કાયરૂપે વ્યવસ્થિત બને છે ત્યારે, કાય એવું નામ પ્રાપ્ત કરીને કાયરૂપે ઉત્પન્ન થાય છે (૧૦૧). વસ્તુરૂપ પદાર્થ અંગેના કતૃત્વવ્યવહારમાં પણ “અંકુર ઉત્પન્ન થાય છે' એવો પ્રયોગ એગ્ય ઠરે છે. આ બાબતને, કરણ, કર્મરૂપે ઉત્પન્ન થાય છે એવા પક્ષદ્વારા અહી સમજાવવામાં આવે છે. કારિકામાંને વા (અથવા) શબ્દ કારણ પક્ષના સંદર્ભમાં યોજવામાં આવે છે. કાર્યરૂપે કર્તવ અને જન્મની ચર્ચા અગાઉ કરવામાં આવી. આ ચર્ચામાં પદાર્થને વસ્તુભૂત નહિ પણ શબ્દગ્રાહ્ય પદાર્થ તરીકે અર્થાત ઉપચારસત્તાવાળા પદાર્થ તરીકે સમજવામાં આવ્યો હતો. દૂધ દહીં રૂપ બને છે,’ ‘બીજ અંકુર બને છે' એવા પ્રયોગોમાં દૂધ અને દહીં તથા બીજ અને અંકુરને અભેદવ્યવહાર અર્થાત કાર્યકારણને અભેદ સમજાય છે. તેથી સદરૂપે રહેલ બીજરૂપી કારણ જ કર્તા બનીને ઉત્તરાવસ્થામાં કર્તાકારક તરીકે ઉત્પન્ન થાય છે. તેથી અંકુર ઉત્પન્ન થાય છે એવા પ્રયોગમાં વાસ્તવિક વ્યવહાર પણ સમજી શકાય છે. यथाहेः कुण्डलीभावो व्यग्राणां वा समग्रता । तथैव जन्मरूपत्व सतामेके प्रचक्षते ॥१०७॥ જેમ લાંબા સાપનું ગૂંચળારૂપ બનવું અથવા છૂટી (આંગળીઓ)નું (વાળેલી) મૂડીરૂપે બંધ થવું સમજવામાં આવે છે તેમ અસ્તિત્વવાળા પદાર્થો જન્મરૂપે થાય છે એમ કેટલાક (વૈયાકરણો) જણાવે છે (૧૦૭) વૈયાકરણ મતમાં પણ સત પદાર્થને બીજી અવસ્થારૂપે જન્મ અર્થાત્ કારણે અને કાર્યને અભેદ સ્વીકારવામાં આવ્યો છે. લાંબો સાપ ગૂંચળું વળેલા સાપથી જુદો નથી. ગૂંચળું એ સાપની એક બીજી અવસ્થા છે. તે પ્રમાણે બીજની એક વિશિષ્ટ અવસ્થા રૂપે અંકુર સમજાય છે. વાસ્તવમાં બંને અભિન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy