________________
૩૧
ત્રીજુ કાંડ
કરણ અંગેની ચર્ચાનું સમાપન કરતાં ભહરિ જણાવે છે કે સઘળો કારક વ્યવહાર લિતક્ષાને અધીન છે. ગ્રામાપતિ (ગામથી આવે છે) એવા પ્રગમાં નીકળવાના
સ્થળ (માધિ:)નો ચેકસ ભેદ (ગવ વિષ) દર્શાવાય છે. તેથી આગમનયામાં વિશિષ્ટતા સમજાય છે કરણ અંગે પણ આવી સ્થિતિ છે. ક્રિયા માટે જેને જેને સાધકતમ ગણવામાં આવે તે કરણ છે જુદે જુદે સમયે જુદા જુદા પદાર્થોને ક્રિયાની સિદ્ધિ માટે સાધકતમ ગણવામાં આવ્યા છે. તેવયજ્ઞ: ઋાઢેઃ વવતિ | (દેવદત્ત લાકડાંથી રાંધે છે) એવા ઉદાહરણમાં લાકડાં અને તેમાં રહેલ અગ્નિનો અભેદ છે. જ્યારે લાકડાં અને અગ્નિની અભેદવિવેક્ષા હોય ત્યારે પ્રધાઃ પતિ તેનાં (લાકડાં અગ્નિ વડે રાંધે છે) એવો પ્રયોગ થાય છે. આ પ્રયોગમાં તે ટૂ (અગ્નિ) કરણ છે, કારણ કે અગ્નિ અને લાકડાંને અહીં ભેદ સમજવામાં આવ્યો છે. તે પ્રમાણે તેન: વતિ સૌર (અગ્નિ ગરમી વડે રાંધે છે) માં અગ્નિ અને ગરમીનો ભેદ છે. આમ વિવક્ષાને કારણે જુદા જુદા પદાર્થો કરણ રૂપે સમજાય છે. તે પ્રમાણે ક્રિયામાં પણ વિશિષ્ટતા સ્પષ્ટ થાય છે.
કાળચર શમિરખ્યામાવાવનારા तदधोनप्रवृत्तित्वात् प्रवृत्तानां निवर्तनात् ।।१०१॥ अदृष्टत्वात् प्रतिनिधेः प्रविवेके च दर्शनात् ।
आरादप्युपकारित्वे स्वातन्त्र्यं कर्तुरुच्यते ॥१०२॥ કિયાની નિષ્પત્તિમાંદરથી ઉપકારક થતું હોવા છતાં બીજાં કારની પ્રવૃત્તિની) પહેલાં શકિત પ્રાપ્ત કરતો હોવાથી, (બીજા કારકને પિતાના તાબામાં રાખતે હોવાથી, (બીજા કારકોની) પ્રવૃત્તિ તેને અધીન હોવાથી, (ક્રિયા માટે) પ્રવૃત્ત થયેલાં (કારકો)ને અટકાવી શકતો હોવાથી, તેને કઈ પ્રતિનિધિ મળતો ન હોવાથી અને તે એકલો (પણ) પ્રવૃત્તિ કરતો હોવાથી, કર્તાને સ્વતંત્ર કહેવામાં આવ્યું છે. (૧૦ર-૧૦૩)
આ કારિકાથી કર્તા અંગે ચર્ચા શરૂ થાય છે. પાણિનિએ કર્તાને સ્વતંત્ર કહ્યો છે (શ્વસત્રઃ ર્તા પા. સૂ. ૧.૪.૫૪). કર્તાની સ્વતંત્રતાનાં કારણે ભર્તુહરિએ જણાવ્યાં છે. કર્તા ક્રિયાની નિષ્પત્તિમાં દૂરથી ઉપકારક બનતો હોવા છતાં તેને સ્વતંત્ર જાહેર કરવાનાં કારણો નીચે પ્રમાણે છે.
કરણ વગેરેની પ્રવૃત્તિ પહેલાં જ કર્તા ક્રિયાનિષ્પત્તિનું સામર્થ્ય મેળવે છે. આવું સામર્થ્ય તેને સહકારી કાર પાસેથી જ પ્રાપ્ત થાય છે એવું નથી. કળની ઇચ્છાથી કર્તા અન્ય કારને પ્રવૃત્ત કરે છે. તેથી તે પહેલેથી જ સ્વતંત્ર છે. કરણ વગેરેનું સ્વાતંત્ર્ય કર્તાના સંદર્ભમાં જ છે. તેથી તેમને સ્વતંત્ર પરતત્ર કહ્યાં છે. કારકોનો વ્યાપાર કર્તા ઉપર નિર્ભર હેઈને તેઓ કર્તાને અધીન છે. ફલપ્રાપ્ત થયા પછી તે જાતે નિવૃત્ત થાય છે, અને બીજાં કારકોને પણ તે નિવૃત્ત કરે છે. બીજા કાર ન હોય તો પણ તે એક પ્રવૃત્તિ કરે છે.
મહાભાષ્ય (ાર. પા. સૂ ૧.૪.૨૩)માં જણાવવામાં આવ્યું છે કે કર્તા પ્રધાન છે, કારણકે, ક્રિયાની સિદ્ધિ માટે એકત્ર થયેલાં કારકોને પ્રવૃત્તિ કરાવનાર કર્યો જ છે; સરખાવો, ઈ પુન: વ્રધાનY વર્ષ પુનર્ણાયસે વાર્તા પ્રધાનમતિ . યસપુ સાનેપુ संनिहितेषु कर्ता प्रवर्तयिता भवति ।
વા-૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org