________________
કાઢે
વાકય૫રીય
અમુક જ પદાર્થને માટે તે કરણ છે એમ કહી શકાય નહિ. રાંધવાના કાર્યમાં ચાળી અધિકરણ તરીકે જાણીતી છે કારણ કે સ્થાઓ વચત એવો પ્રયોગ જાણું છે; તેમ છતાં થાળીનું તળિયું પાતળું હોવાથી એમાં ઝડપથી રસોઈ કરી શકાતી હોવાના અનુભવને કારણે થાળી વડે રાંધે છે' એવા વિવક્ષિત પ્રયોગનું કારણ પ્રાપ્ત થાય છે.
करणेषु तु संस्कारमारभन्ते पुनः पुनः ।
विनियोगविशेषांश्च प्रधानस्य प्रसिद्धये ॥९२॥ પ્રધાન (એવા ક્રિયાકલ)ની સિદ્ધિ માટે (કર્તાઓ) કરણમાં જ વારંવાર સંસ્કાર કરે છે અને (તેમના) ચક્કસ પ્રકારના જુદા જુદા) ઉપગેને અમલમાં મૂકે છે. (૯૨)
ક્રિયાના ફળની પ્રાપ્તિ માટે કર્તાઓ, કરણોને જ સંસ્કાર અને ઉપયોગ કરે છે, જેમકે, “દાતરડા વડે કાપે છે એવા ઉદાહરણમાં, દાતરડાને તીક્ષણ બનાવવાનું કાર્ય તેનો સંસ્કાર છે અને કાપવા માટે તેને ઊંચુંનીચું કરવું એ તેને ઉપગ છે. નેત્રવડે જુએ છે એવા ઉદાહરણમાં, નેત્રોમાં અંજન આંજવું' એ તેમને સંસ્કાર છે અને કોઈક પદાર્થ જોવા તે નેત્રોને એકાગ્ર કરવાં તે તેમાં વિશિષ્ટ ઉપયોગ છે.
स्वकल्यासु प्रकर्षश्च करणानां न विद्यते ।
आश्रितातिशयत्वं तु परतस्तत्र लक्षणम् ॥९३॥ કરણોને, તેમના પિતાની (કરણરૂપ) અવસ્થામાં (કો વ્યક્તિગત) પ્રક હેતું નથી. બીજા કારકોની સરખામણીમાં (કરણમાં) પ્રાપ્ત થતે અતિશય (કરણના પાણિનિસૂત્રમાંના લક્ષણમાં જણાવાયું છે. (૩)
મન વચા ફવિયા વાત (તે ઘોડા વડે, દીવાથી માર્ગે જાય છે) એવા પ્રયોગમાં અનેક બાબતો એકસાથે કરણરૂપે વિવક્ષિત બને છે. દરેકનો ઉપકાર પ્રકર્ષ એકસરખો સમજાય છે. સાધકતમ વેરળમ્ (૫ . ૧. ૪-૪૨) પ્રમાણે જે સાધકતમ છે તે કરણ સમજવું એ કરણે અંગેનું પ્રકર્ષ નથી, પરંતુ બીજા કારની અપેક્ષાએ જે સાધકતમ છે કે કરણ છે, એવો કારક સંબંધી અતિશય સમજવામાં આવે છે. બીજા પ્રદેશમાં પહોંચવા અશ્વ અર્થાત ઘોડો, કર્તા વગેરે કારની અપેક્ષાએ ઉપકારવાળા છે, તેથી તે સાધકતમ છે અને તેથી કરણ છે. એવી રીતે ચાર વગેરે ઉપદ્રવ વિનાનો માર્ગ અને અંધકારને દૂર કરતો દીવો બીજાં કારની અપેક્ષાએ સાધતમ છે.
स्वातन्त्र्येऽपि प्रयोक्तार आरादेवोपकुर्वते ।
करणेन हि सर्वेषां व्यापारो व्यवधीयते ॥९४।। કર્તાઓ, સ્વતંત્ર હોવા છતાં (ક્રિયા સિદ્ધિ માટે) દૂરથી જ ઉપકારક બને છે. બધાં (કારો)ને વ્યાપાર કરણની પ્રવૃત્તિ વડે વ્યવધાન પામે છે (૯૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org