________________
ત્રીજુ કાંડ
૩૧૭ કર્મકતૃત્વને કારણે ધાતુ આકર્મક બને છે. વિશ્વને મોર: સ્વયમેવ આનું ઉદાહરણ છે.
ક્રિયાના સ્વરૂપ સાથે સામર્થ્યને કારણે નીવતિ , મતિ . વગેરે પ્રયોગોમાં કર્મનું ક્રિયારૂપ સાથેનું સામર્થ્ય, તે કર્મને ધાત્વમાં અન્તભૂત કરે છે. તેથી ગીન્ન, અર્ વગેરે ધાતુઓ અકર્મક સમજાય છે.
કર્મની પ્રસિદ્ધને કારણે અકર્મકત્વની પ્રાપ્તિ અંગે પણ ઉપર ગણુવ્યા તેવા દેશ, કાલ, વગેરેના ભેદો પ્રમાણે અકર્મ કવ સમજાય છે. દક્ષિણાપથમાં સવારે વચ્ચતમ્) એ પ્રયોગ થતાં યવાગૂ રૂપી પ્રસિદ્ધ કર્મનો બોધ થાય છે. તેથી વત્ ધાતુને દેશ અને કાલના સંદર્ભમાં અકર્મક સમજ્વામાં આવે છે.
અવિવક્ષાની બાબતમાં પણ તેવા જ દેશકાલાદિના ભેદોને કારણે ધાતુ અકર્મક સમજાય છે. અનવરે ૩: વસ્ત્રાપુચ | પ્રયોગમાં કઠ અને કલાપના વક્તવ્યના સારશ્યરૂપી કર્મની વિવક્ષા નથી અહીં વાકથસામર્થ્યને કારણે અનુવૃત્ ધાતુને અકર્મક સમજવામાં આવ્યો છે.
क्रियायाः परिनिष्पत्तिर्यद्वयापारादनन्तरम् ।
विवक्ष्यते यदा तत्र करणत्वं तदा स्मृतम् ।।९०॥ જે (કારક)ના વ્યાપાર પછી જ્યારે ક્રિયાની સમાપ્તિ જણાવાય છે, ત્યારે તેને કરણ તરીકે સમજવામાં આવે છે. (૯)
કારિકા ૪૫થી શરૂ થયેલી કમ વિષેની ચર્ચા પૂરી થતાં, આ કારિકાથી શરૂ કરીને કરણ અંગે ચર્ચા કરવામાં આવે છે. દ્વિતીયા વિભક્તિના અર્થમાં કમને વિચાર કર્યા પછી સ્વાભાવિક રીતે તૃતીયાના અર્થમાં કરણને વિચાર કરવામાં આવે છે. તૃતીયાના અર્થમાં કર્તા પ્રાપ્ત થતો હોવા છતાં, ષષ્ઠીના અર્થમાં પણ કર્તા પ્રાપ્ત થતો હોવાથી, કર્તા બંને વિભક્તિઓમાં સાધારણ હોઈ, અસાધારણ એવા કરણને વિચાર હવે કરવામાં આવે છે.
ક્રિયાની સિદ્ધિ માટે અનેક કરણ કહેવાય છે. “દાતરડા વડે કાપે છે, (ાત્રે સુજાતિ ) એમ કહી શકાય, પરંતુ બળ વડે કાપે છે (વન લુનીતિ )માં વક્તાની વિવક્ષા બળ અંગે છે, તેથી બળ કારણ બનશે. નેત્રવડે જુએ છે (ચક્ષુષ વશ્યતિ ) ને બદલે વક્તા, આલોકવડે જુએ છે” (ગાયોન વશ્યતિ ) એમ કહેવા ઈચ્છતો હેય તે આલેક કરણ બનશે; એ પ્રમાણે થાળીમાં રાંધે છે (સ્થાન્યાં પતિ ) ને બદલે “થાળી વડે રાંધે છે' (રાજા વવતિ ) એવી વિવેક્ષા હોય તો રાત્રી કરણ બનશે. વ્યાકરણશાસ્ત્રમાં અને સંબંધ વિવેક્ષા સાથે છે, બાહ્ય પદાર્થનાં અસ્તિત્વ સાથે નહિ. કરણનું સ્વરૂપ વિવક્ષાને અધીન છે.
वस्तुतस्तदनिर्देश्य न हि वस्तु व्यवस्थितम् ।
स्थाल्या पच्यत इत्येषा विवक्षा दृश्यते यतः ॥९१।। વાસ્તવમાં, ( આ જ કારણ છે) એ નિર્દેશ કરી શકાતું નથી, સાચે જ, (કોઈપણ) પદાર્થ (કરણરૂપે) નિશ્ચિત નથી, કારણ કે, થાળી વડે રાંધે છે” એવી વિવક્ષા પ્રાપ્ત થાય છે. (૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org