________________
વાકયપદીય
જ્યારે ધાતુ તેના જાણીતા અર્થથી જુદો અર્થ દર્શાવતો હોય ત્યારે તેના વડે દથવાતી ક્રિયાને કમ સાથે સમન્વય હોતો નથી, અર્થાત્ તે અકર્મક ધાતુ બને છે. માર વતિ | (તે ભાર લઈ જાય છે) એવા પ્રયોગમાં વત્ ધાતુ બીજા પ્રદેશમાં લઈ જવું એવા અર્થમાં સકર્મક છે, પરંતુ નથી વાત . (નદી વહે છે) એવા પ્રયોગમાં સ્પન્દનક્રિયાનું અભિધાન કરનારો વદૂ ધાતુ અકર્મક બને છે.
જ્યારે ધાતુ વડે દર્શાવાતી ક્રિયામાં કર્મ સમાઈ જાય છે ત્યારે પણ તે અકર્મક બને છે. ગીતિ (ત જીવે છે) એવા પ્રયોગમાં પ્રજાન ધારયતિ | એ અર્થ રહ્યો હોઈ ગાળાન એવું કર્મ ની ધાતુમાં સમાઈ ગયું છે તેથી નીચું અકર્મક બને છે. તે પ્રમાણે પ્રિતે, મતિ વગેરે પ્રગાનું સમજવું.
જ્યારે ધાતુ વડે કર્મ સૂચવાતું હોય ત્યારે તે ધાતુ અકર્મક સમજાય છે, જેમકે, વર્ધતિ તે વરસે છે માં જલક્ષણરૂપી કમ જાણીતું છે. તેથી વધતુ અકર્મક સમજાય છે. પરંતુ જ્યારે કર્મ જાણીતું ન હોય, જેમકે શરાનું વર્ષતિ (બાણુની વૃષ્ટિ કરે છે), ઇધિર વર્ષતિ | લોહી પડે છે), વાંસવઃ વૃદા: (ધૂળ વરસી) ત્યારે આવા ધાતુઓ સકર્મક ગણાય છે.
જ્યારે ધાતુને કર્મ સાથે સંબંધ વિદ્યમાન હોય, પરંતુ વક્તાને તે જણાવવાની ઇચ્છા ન હોય ત્યારે પશુ તે ધાતુ અકર્મક ગણાય છે; જેમકે ન ઢાતિ , ન વતિ , ન જુદોતિ એવા પ્રયોગમાં કમને ક્રિયા સાથે સંબંધ હોવા છતાં બોલનારને કર્મ જણાવવાની ઇચ્છા થતી નથી.
भेदा य एते चत्वारः सामान्येन प्रदर्शिताः ।
ते निमित्तादिभेदेन भिद्यन्ते बहुधा पुनः ॥८९॥ (અકર્મક ધાતુઓના) ઉપર ગણાવેલા જે ચાર પ્રકારે સામાન્યપણે દર્શાવવામાં આવ્યા તે નિમિત્ત વગેરેની ભિન્નતાને કારણે અનેક પ્રકારે જુદા સમજાય છે.(૮૯)
કારિકા ૮૮ માં ધાતુઓને અકર્મક સ્થાપિત કરનાર ચાર બાબતો ગણાવવામાં આવી. આ ચારમાંથી દરેકની બીજી કેટલીક બાબતોને કારણે ધાતુઓ અકર્મક સમજવામાં આવે છે. આવી બીજી બાબત છે, નિમિત્ત, દેશ, કાલ, આત્મને પદ પ્રયોગ, વાકયસામર્થ્ય અને કર્મકામ,
ઉપસર્ગરૂપી નિમિત્તને કારણે ધાતુ અકર્મક સમજાય છે, જેમકે, ધુમ: ૩વરતિ . (ધુમાડે ઊંચે ચઢે છે) માં ૧૬ ધાતુ દેશાન્તરગમનના અર્થમાં સકર્મક હતો પરંતુ ૩– ઉપસરૂપી નિમિત્તને કારણે તે અકર્મક બન્યો.
ધાતુને આત્મપદમાં પ્રયોગ પણ તેને સકર્મક જાહેર કરે છે; જેમકે, તપતિ પ્રયોગમાં સકર્મક તન્ ધાતુ આત્મને પદ તપણે પ્રગમાં અકર્મક બને છે.
વાસામને કારણે ધાતુ અકર્મક બને છે. નવી વતિ પ્રયોગમાં વહ ધાતુ જલક્ષણના અર્થમાં સકર્મક છે, પરંતુ વાકયમાંના નથી એવા કર્તા શબ્દ સાથે તેનું સામર્થ હોવાથી તે અકર્મક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org