________________
૧૨
વાકયપદીય
તો પણ તે પ્રયોગને કુંટુ ધાતુના અર્થ સાથે કરશે સંબંધ નથી. અહીં થં અત્યંત પ્રેરક અર્થનો અન્તર્ભાવ નથી, તેથી બે ક્રિયાઓ મળીને બે કર્મ સમજવાં જોઈએ નહિ. સરખાવો હેલારાજ : 1 uત્ર વા વાય ધાતુન: ચિમ્ | 153 વાવાર્થ: વા दुहादिधातुना नास्ति संबन्धः । तस्मान्नात्र पर्थान्तर्भाव इति क्रिपाद्वयाधयेणापि कर्मविशेषसमर्थनमसमीचीनम् ।
यथैवैकमपादान शास्त्रे भेदेन दर्शितम् ।
तथैकमेव कर्मापि भेदेन प्रतिपादितम् ।।७८।। જેમ એક જ અપાદાન (સંજ્ઞા) વ્યાકરણશાસ્ત્રમાં (અનેક સૂત્ર વડે) અનેક રીતે દર્શાવવામાં આવી છે, તેમ એક જ કર્મ પણ અનેક તરીકે દર્શાવવામાં આવ્યું છે. (૭૮)
ધ્રુવમાડકાયાનમ્ (પા. સુ. ૧.૪૨૪) અપાદાન સંજ્ઞા અંગેનું મુખ્ય સૂત્ર છે. તે પછીનાં ૧-૪.૨૫ થી ૧.૪. ૩૧ સુધીનાં સૂત્રોમાં જુદી જુદી રીતે અપાદાન સંજ્ઞાનું વિવરણ કરવામાં આવ્યું છે. તે પ્રમાણે તુંરીક્ષિતત ને ! (પા.સ. ૧.૪.૪૯) કર્મ સંજ્ઞાનું મુખ્ય સૂત્ર છે. તે પછીનાં ૧.૪.૫૦ થી ૧.૪.૫૩ સુધીનાં સૂત્રમાં જુદી જુદી રીતે કર્મ સંજ્ઞાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
અદેત મતની તરફેણ કરનારા ભર્તુહરિ સૂચવે છે કે કર્મના જે ઈસિત, અનીસિત, નિવ, વિકાર્ય, અકથિત વગેરે ભેદો સમજાવવામાં આવ્યા છે તે અજ્ઞાનીઓને બંધ આપવા માટે છે. ઈસિત કર્મ એક જ કર્મ છે. ભાગ્યમાં ત વત્ પદનું પ્રત્યાખ્યાન કર્યું હોવાથી પા.સુ. ૧.૪.૪૯માં તેમનું કશું મહત્ત્વ નથી.
निर्वयो वा विकार्यो वा प्राप्यो वा साधनाश्रयः ।
क्रियाणामेव साध्यत्वात् सिद्धरूपोऽभिधीयते ॥७९॥ ધાતુઓ વડે પ્રતિપાદ્ય ક્રિયાઓનું જ સાધ્યત્વ હોવાથી સાધન (શક્તિ)ના આશ્રયરૂપે રહેલ નિર્વત્ય, વિકાર્ય અથવા પ્રાપ્ય (કમરૂપ ભાવ) સિદ્ધ રૂપે જણાવવામાં આવે છે. (૯)
નિવર્ય, વિકાર્ય વગેરે બધાં કર્મો કેવી રીતે એક જ હોઈ શકે તે આ કારિકામાં જણાવવામાં આવ્યું છે.
ક્રટ રોતિ | તારૂઢાનો પતિ સૂર્ય પૂણ્યતિ | વગેરે ઉદાહરમાં , થોઢનં. વગેરે કમ સાધનશક્તિના આશ્રયે રહેલ છે અને સિદ્ધરૂપે જણાવવામાં આવે છે. તેથી તે તે કર્મોમાં સ્વરૂપભેદ નથી. બધાં કર્મોમાં એક સરખે સાધનભાવ સમજાતો હોવાથી કમેં જુદાં જુદાં નથી, પરંતુ એક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org