SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ અકથિત કમ અંગે વિશેષ ચર્ચા આ કારિકામાં કરવામાં આવી છે. કાલ, ક્રિયા, ગન્તવ્ય માર્ગ અને દેશવાચક શબ્દ બીજી કક્ષાનાં અપ્રધાન કર્મો છે, પરંતુ જો ઢોધિ વચઃ | (તે ગાયનું દૂધ દોહે છે)માં ગાય દ્રવ્યવાચક હોઈ દ્રવ્ય કર્મ અને પ્રધાનકમ પણ બની શકે, કારણ કે, દૂધ માટે ગાય ઉપાયરૂ૫ અને આવશ્યક છે. તેથી ગાય શા માટે અંતરંગ કમ ન બને ? આના જવાબમાં કહેવામાં આવ્યું છે કે યુદ (દેહ) ધાતુના અને વિશિષ્ટ ઉદેશ દૂધ પ્રાપ્ત કરવાને છે. ગાય વગેરે તેમાં ઉપાયરૂપ છે, તેથી આવશ્યક નથી. આમ સુરુ (દોહવું) ધાતુના અર્થના ઉદ્દેશની ભિન્નતાને કારણે ગાય વગેરે કર્તાને ઈસતતમ નથી અને તેથી પ્રધાનકર્મ નથી. प्रधानकर्म कथित यत्क्रियाय : प्रयोजकम् । तत्सिद्धये क्रियायुक्तमन्यत्त्वकथित स्मृतम् ॥७१॥ ક્રિયાનું જે પ્રયોજક છે તેને પ્રધાન કર્મ કહ્યું છે. તે પ્રધાન કર્મ)ની સિદ્ધિ માટે ક્રિયા સાથે સંબદ્ધ, બીજા (કર્મ)ને અકથિત (કર્મ) કહ્યું છે. (૭૧) તે ગાયનું દૂધ દોહે છે ( નો પય: હોલ્વિા એવા પ્રયોગમાં દોહનક્રિયાનું પ્રયોજક દૂધ મુખ્ય કર્મ છે. આ દૂધ પ્રાપ્ત કરવા માટે દોહનક્રિયા સાથે જોડાયેલું ગાય એવું કમ અકથિત કર્મ છે. दुह्यादिवन्नयत्यादौ कर्मत्वमकथाश्रयम । आख्यातानुप्रयोगे तु नियमाच्छेष इष्यते ।।७२।। ટુ (દોહવું) વગેરે (બાર ધાતુઓ)ની જેમ મી (દોરવું) વગેરે (બાર ધાતુ એ)માં (અકથિત) કર્મ અપાદાન વગેરે કારના વિશિષ્ટ) ઉલેખના આશ્રયવિનાનું છે. જ્યાં નિયમપૂર્વક વિદ્યાસ્વીકારનો અર્થ) ન હોય ત્યાં પ્રવકતા, ધાતુઓના પરિગણુનના નિયમને કારણે, (બહિબૂત હોઈ ષષ્ઠીનો વિષય બની) શેષ તરીકે પ્રાપ્ત થાય છે. (૭૨) સગાં નથતિ પ્રામદ્ . (બકરીને ગામ લઈ જાય છે), દરતિ માર સંવાદન, (મજુરને ભાર ઉપડાવે છે), નગ્ન ઇતિ શતમ્ ! (વર્ગોને સોને દંડ કરે છે) નયતિ શત શતાનિવમ્ (શતાનિક પાસેથી સે જીતે છે), ઉદાહરણોમ ગ્રામ , સંવાદમ , મન, શતાનિમ્ અકથિત કર્યો છે. તે કર્મોને અપાદાન વગેરે કાર તરીકે ઉલ્લેખ થયો નથી. આશાતીયોને (પા.સૂ. ૧.૪.૨૩, નિયમપૂર્વક વિદ્યાસ્વીકારનો અર્થ હોય ત્યાં પ્રવકતાને પંચમી વિભક્તિ પ્રાપ્ત થાય છે)નું ઉદાહરણ છે ઉપાધ્યાયાત્ મતે . (ઉપાધ્યાય પાસેથી અધ્યયન કરે છે, પરંતુ જ્યાં આવું નિયમપૂર્વક અધ્યયન ન હોય. જેમ કે નટસ્થ થળોતિ (તે નટને સાંભળે છે), ત્યાં નહાત્ એવી પંચમી પ્રાપ્ત થશે નહિ; તેથી નરહ્ય અકથિત કર્મ બનવું જોઈએ. પરંતુ હુ વગેરે ધાતુઓમાં શુ ધાતુનું પરિગણન થયું નહિ હેવાથી નાહ્ય શેપ તરીકે પ્રાપ્ત થઈને પધ્ધીને વિષય બનશે, અકથિત કમ થશે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy