________________
૩૦૦
વાષપદીય અકથિત કર્મને અપ્રધાન અર્થાત ગૌણ કર્મ પણ કહ્યું છે, પરંતુ આ અથ બરાબર નથી કારણકે, દોણમાં હાથ રાખીને તે ગાયનું દૂધ દહે છે (વસવાટ્ય પાળના વય: ઢોધિ પ્રયોગમાં પાળિ અને કંસવાની અપ્રધાન હોઈ કર્મ થશે.
ગૌણ અર્થાત વિપરીત કર્મને કહુમ કહે છે. જે પૂર્ણપણે કર્મ નથી તેને કમ કહે છે. કર્મ સંબંધી બધાં કાર્યો તેમાં કરવામાં આવતાં નથી. માત્ર દ્વિતીયા વિભક્તિ જ તેને લાગે છે. પણિનિએ કમ એવી જુદી સંજ્ઞા કરી નથી.
આ કારિકાનું વ્યાખ્યાન કરતાં હેલારાજે જણાવ્યું છે કે મા વાત્તાતાવ્યા...... વગેરે શ્લોકવાર્તિકની જરૂર નથી, કારણ કે, કાલ, ક્રિયા વગેરે દર્શાવનારા શબે અકર્મક ધાતુઓનાં કર્મ બને છે છતાં, તે ધાતુઓ અકર્મક બનતા નથી. કમને અન્તરંગ કર્મ અને બહિરંગ કર્મ એમ બે રીતે સમજવામાં આવ્યું છે. કર્મનું અસ્તિત્વ જ ધાતુને સકર્મક બનાવે છે. માર્ (બેસવું) વગેરે ધાતુઓને કાલ, ક્રિયા વગેરેના વાચક શબ્દ કમ તરીકે પ્રાપ્ત થવા છતાં તે અકર્મક જ રહે છે અને તેથી સૂત્ર ૩-૪-૬૯, ૭૦ (: f = માટે ચાર્મસ્થ: ' તયારે શ્રાવ: | પ્રમાણે ક્રિયાના અર્થમાં તે ધાતુઓને ઢ, કૃત્ય, વકત અને રવ પ્રત્યો લાગે છે.
आधारत्वमिव प्राप्तास्ते पुनद्रव्यकर्मसु ।
कालादयो भिन्नकक्ष्यं यान्ति कर्मत्वमुत्तरम् ॥६८॥ દ્રવ્ય (દર્શાવતાં) કર્મોના આધારરૂપ બનેલા કાલ વગેરે (અપ્રધાન કર્મો) પછીથી જુદી (ગૌણ) કક્ષાવાળાં કમ બને છે. (૬૮)
કાલ, ક્રિયા, ગન્તવ્ય માર્ગ અને દેશવાચક શબ્દોને બહિરંગ કર્મ કહ્યાં છે. અંતરંગ અર્થાત્ પ્રધાન કમના આધારરૂપે તે રહે છે, જેમકે, મારૂં મન પતિ (તે એક મહિના સુધી ભાત રાંધે છે)માં મોઢાં મુખ્ય કર્મ છે અને માાં તેને આધાર છે. મોઢ એવા મુખ્ય કર્મ દ્વારા માનો સંબંધ રાંધવાની ક્રિયા સાથે જોડાય છે. આમ ક્રિયા પહેલી અવસ્થામાં મુખ્ય કામ સાથે સંબંધમાં આવે છે અને પછીની અવસ્થામાં અપ્રધાન કર્મ સાથે સંબ ધમાં આવે છે,
अतस्तैः कर्मभिर्धातुयुक्तोऽद्रव्यैरकर्मकः ।
लस्य कर्मणि भावे च निमित्तत्वाय कल्पते ॥६९।। તેથી કાલ વગેરે દ્રવ્યથી જુદા પદાર્થોના વાચક તે કર્મોથી જોડાયેલે અકર્મક ધાતુ, કર્મણિ પ્રયોગમાં અને ભાવે પ્રગમાં કાળવાચક પ્રત્યાનું નિમિત્ત બને છે. (૬૯)
सर्व वाकथित कर्म भिन्नकक्ष्य प्रतीयते ।
धात्वर्थोदेशभेदेन तन्नेप्सिततम किल ।।७०॥ અને (સંપ્રદાન વગેરે કારકો તરીકે) ન કહેવાયેલું સઘળું, (અકથિત) કર્મ તરીકે જુદી કક્ષાવાળું સમજાય છે, કારણ કે, તે (અકથિત કમ) ધાતુના અર્થના વિશિષ્ટ ઉદ્દેશને કારણે, (કર્તા માટે) ઈસતતમ બનતું નથી (૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org