SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ વાકથપદય તેને અર્થ બરાબર બેસતો નથી, તેથી “ના જેવું' (વ)ના અર્થમાં તદ્ધિત પ્રત્યય લગાડવો જોઈએ. આ વિધાનને નકારતાં ભાષામાર જણાવે છે કે ઉપરનાં ઉદાહરણમાં કર્મ કર્તા પ્રાપ્ત થાય છે અને કુદર્થ પણ સમજાય છે, જેમકે તાર એટલે તે (યકૃત) રૂવ હૃમ (વાર્તા) पश्यन्ति जनाः । सः अय स इव दृश्यमानः त इवात्मान' पश्यति इति ताहक । सात દેવદત્તને યજ્ઞદત્ત જેવો જુએ છે. તેવો તે તેના જેવો દેખાતાં પિતાની જાત (દેવદત્ત)ને તે (યજ્ઞદત્ત)ના જેવો માને છે. - ઘ વશ્યતિ ઉદાહરણમાં ધટનું કાર્ય આપત્તિ છે અને ઘટને જેનાર વ્યક્તિની ક્રિયા આપાદન છે. બીજા શબ્દોમાં કહીએ તે કર્મ રૂપ બનેલા વિષયને વ્યાપાર એટલે આપત્તિ અને કર્તાને વ્યાપાર એટલે આપાદન. कुतश्चिदाहृत्य पदमेव च परिकल्पने। कर्मस्थभावकत्व स्याद्दर्शनाद्यभिधायिनाम् ॥६५।। કયાંકથી કઈક શબ્દ લાવીને આ પ્રમાણે (કર્તાના વ્યાપારની) ક૯૫ના કરવામાં આવે તે, “જોવું” વગેરે અર્થ દર્શાવનાર ધાતુઓ (પણ) કર્મસ્થભાવક બનશે. (૫) અગાઉની કારિકા પ્રમાણે તારા પદને જે રીતે સમજાવવામાં આવ્યું છે તે બરાબર નથી. નો અર્થ “કર્તસ્થ દર્શન” એટલે જ છે. દર્શનના વિષયની અર્થાત્ કમની આપત્તિ તેમાંથી થતી નથી. દર્શન કેઈક ચોક્કસ વિષયનિક છે. ગમે તેમ, ખેંચી તાણીને વિષયને ઉલેખ સમજાવી અધ્યાહત પદો દ્વારા વિષયના વ્યાપારને સમજાવવામાં આવે તો જવું, બેસવું વગેરે અથે દર્શાવનારા બધા ધાતુઓ કર્મસ્થભાવક અથવા કર્મસ્થક્રિય બનશે, અને કઈ ધાતુ કર્તાસ્થભાવક રહેશે નહિ. પરંતુ વ્યવહારમાં આવું પ્રાપ્ત થતું નથી. विशेषदर्शन यत्र क्रिया तत्र व्यवस्थिता । क्रिया व्यवस्था त्वन्येषां शब्दैरेव प्रकाश्यते ॥६६॥ કેટલાકના મતમાં જ્યાં (ક્રિયાનું) ફળ નજરે ચઢે છે, ત્યાં ક્રિયા રહેલી હોય છે; બીજા (કેટલાક)ના મતમાં ક્રિયાનું અવસ્થાન (ધાતુ)શબ્દો વડે પ્રગટ થાય છે. (૬૬), ધાતુનું કર્મસ્થભાવકત્વ અને કસ્થભાવકત્વ કેવી રીતે જાણી શકાય તે આ કારિકામાં સમજાવવામાં આવ્યું છે. આ કારિકામાં પહેલી પંક્તિમાંના વિચારને બીજી પંક્તિમાં પરિહાર કરવામાં આવ્યો છે. - ક્રિયાનું ફળ કર્તામાં દેખાતું હોય તે ધાતુને કસ્થભાવક સમજવો અને કર્મમાં દેખાતું હોય તો કર્મસ્થભાવક સમજો. આ વિચારમાં ભાવ અને ક્રિયા વચ્ચે ત સમજવામાં આવતો નથી. પાણિનિ પણ તેમનાં સૂત્રો (૩.૨.૧૨૬ અને ૨.૩.૨૭)માં આવો ભેદ માનતા નથી. ક્રિયાના ફળની પ્રાપ્તિ ધાતુના કસ્થભાવકત્વ કે કર્મસ્થભાવકત્વ અંગે નિર્ણાયક છે એ મત યોગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy