________________
વાકયપદીય
છે. આ ઉદાહરણમાં કસૂલ. કેદાર અને એદન કર્મ તરીકે હતાં પણ હવે કર્તા બન્યાં છે અને મિતે, સૂયતે અને વગેરેમાં, ય પ્રત્યય નવા બનેલા કર્તાઓના કાયને જણાવે છે.
निवृत्तप्रेषण कर्म स्वक्रियावयवे स्थितम् ।
निवर्तमाने कर्मत्वे स्वे कर्तृत्वेऽवतिष्ठते ॥५६॥ કર્મ જ્યારે (કર્તાના વ્યાપાર) પ્રેરણાથી મુક્ત બને છે ત્યારે તે પિતાની ક્રિયા સાથે સંબંધમાં રહે છે. તેનું કમપણે નિવૃત્ત થતાં તે પોતાના કાર્યના કર્તારૂપે પ્રાપ્ત થાય છે. (૫૬)
ભાત પિતાની મેળે રંધાય છે. (વઘતે સોયન: દવયમેવું ) માં “ચૈત્ર ભાત રાંધે છે' એવા વાકથમાં કમરૂપે રહેલ ભાત, હવે કર્તાના વ્યાપારમાંથી મુક્ત બનીને રાંધવાની ક્રિયાનો કર્તા બને છે. તેથી ભાતને કર્મકર્તા કહેવાશે. કાઠાર પિતાની મેળે તૂટે છે.” એવા પ્રયુગમાં પુષ્કળ વરસાદ ઝીલનારો, પુષ્કળ પવન સહન કરનારો વગેરે કારણોની વિવક્ષા નથી. થોડા વખત પહેલાં બંધાયેલ કોઠાર પિતાની મેળે જ તૂટી પડે છે. તેથી અહીં કેકાર, જે પહેલાં કમ હતું તે હવે કર્તા અર્થાત્ કર્મ કર્તા તરીકે પ્રાપ્ત થાય છે. ખેતર (પેતાની મેળે) કપાય છે, એવા પ્રયોગમાં દાતરડું લઈને ખેતરમાં જતો દેવદત્ત દેખાય છે છતાં અત્યંત તીવ્ર સૂર્યકિરણોને લીધે સૂકાયેલા પાકવાળું અને જર્જરિત બનેલ છોડવાળું ખેતર પિતાની મેળે જ કપાય છે એમ કહી શકાય. અહીં ખેતર કપાઈ જવાની સુકરતા કર્તા બને છે. સૌકર્યાતિશયવાળું ખેતર જે અગાઉ કર્મ હતું તે હવે કર્તા બન્યું છે; સરખા મહાભાષ્ય (પા.સુ. ૩-૧-૮૭) ચાપ તાવત૭વ ાત્રા: कर्ता नास्तीह तु कथं न स्यात् ल्यते केदार: स्वयमेवेति यत्रासौ देवदत्तो दात्रहस्तः समन्ततो विपरिपतन्दृश्यते । अत्रापि यासौ सुकरता नाम तस्याः नान्यः कर्ता भवत्यन्यदतः केदारात् ।
तानि धात्वन्तराण्येव पचिसिद्धथतिवद् बिदुः ।
भेदेऽपि तुल्परूपत्वादेकत्वपरिकल्पना ॥५७॥ તે (કમવિષયક અને કર્તુવિષયક) ધાતુઓને પદ્ અને સિદ્ ની જેમ જુદા જ માનવામાં આવ્યા છે. તેમનામાં ભિન્નતા હોવા છતાં, તેમનું રૂપ સમાન હિવાથી, તે એક છે એવી કલ્પના કરવામાં આવી છે. (૫૭)
; મોહનં પતિ વિદ્રત્તઃ વાર જૂનાતિ અને વિદ્રત્ત : પુરૂઢ મિત્તિા જેવા પ્રયોગોમાં અને વસે મોતન: ત્રયને વેઢાર અને મિત્રને ઇના: જેવા પ્રયોગ સ્ત્ર. અને મિત્ ધાતુઓ કર્મવિષયક અને કવિયક અર્થ દર્શાવે છે. કર્મવિષયક અર્થ દર્શાવનાર વ૬ ધાતુ કર્તાનો અર્થ દર્શાવનારા વર ધાતુથી જુદો છે. તે પ્રમાણે સ્ અને મિ વિષે સમજવું. જેમ વર્ અને સિધુ જુદા છે તેમ તેમને જુદા સમજવા જોઈએ. આ ધાતુઓ વચ્ચે કર્મ અને કર્તાના ઉપલક્ષ્યમાં જુદાપણું હોવા છતાં કર્મવિષયક વત્ અને કર્તીવિષયક વત્ સ્વરૂપમાં સરખા હોવાથી, વ્યવહારમાં સમાન ગણવામાં આવે છે. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org