SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ એક મત પ્રમાણે પ્રાપ્ય કર્મ જેવું કર્મ માનવાની જરૂર નથી, કારણ કે ક્રિયા હમેશાં દશ્ય કે અદશ્ય વિશિષ્ટતાઓ પ્રગટ કરે છે. સાપ જ્યારે પદાર્થોને જુએ છે ત્યારે તેના ઝેરરૂપી અગ્નિજ્વાળાઓથી તે પદાર્થને બળ આપણે જોઈએ છીએ એવી માન્યતા છે. આ પ્રમાણે બીજી બધી ક્રિયાઓની વિશેષતા એ પણ પ્રત્યક્ષ થાય છે. આ મત બરાબર નથી. સર્પના ઉદાહરણમાં દૃષ્ટિનું ઉત્કટ તેજ ઝેરના સંપર્કમાં આવતાં પદાર્થને બાળે છે. માત્ર જેવાને કારણે નહિ. તેથી જ પ્રાપ્ય કર્મ સ્વીકારવું જોઈએ. ઝેરરૂપી અગ્નિજવાળાઓ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ નથી તેવી અગ્નિજવાળાઓને રૂપક તરીકે સમજવી જોઈએ. आभासोपगमो व्यक्तिः सोढत्वमिति कर्मणः ।। विशेषाः प्राप्यमाणस्य क्रियासिद्धी व्यवस्थिताः ॥५३॥ (ગ્ય સ્થાનમાં રહીને) દષ્ટિમાર્ગમાં આવવું, (વા વગેરે વડે) પ્રકટ થવું અને ધક્ષમતા - આ બધી પ્રાપ્ય કમની, ક્રિયાની સિદ્ધિ સાથે જોડાયેલી વિશિષ્ટતાઓ છે. (૫૩) निर्वादिषु तत्पूर्वमनुभूय स्वतन्त्रताम् । कञन्तराणां व्यापारे कर्म संपद्यते ततः ॥५४।। ઉત્પત્તિ, વિક્રિયા, આભાસ) વગેરે ક્રિયાઓમાં પહેલાં સ્વતંત્રતા અનુભવીને, (કારો) બીજા કર્તાઓના કાયના સંદર્ભમાં કમ તરીકે પ્રવૃત્ત બને છે. (૫૪) અગાઉ કહેવામાં આવ્યું કે બધાં કારકે તેમની ગૌણ ક્રિયાઓના સંદર્ભમાં કર્તાઓ હોય છે, તો પછી તે કર્મ કેવી રીતે બની શકે એવી શંકાને જવાબ આ કારિકામાં આપવામાં આવ્યો છે. નિવૃત્તિ, વિક્રિયા, આભાસ વગેરે ક્રિયાઓમાં અનુક્રમે નિર્વર્ય, વિકાર્ય અને પ્રાપ્ય કર્મ તરીકે પ્રાપ્ત થનારું કર્મ પહેલાં સ્વતંત્રતા અર્થાત કર્તાપણું પ્રાપ્ત કરીને પછીથી કર્તાના સંદર્ભમાં ગૌણ અવસ્થા પ્રાપ્ત કરીને કર્મ બને છે. तद् व्यापारविवेकेऽपि स्वव्यापारे व्यवस्थितम् । कर्मापदिष्टांल्लभते क्वचिच्छास्त्राश्रयान्विधीन् ॥५५॥ તે (પ્રધાન કર્તા)ની ક્રિયાની વિવેક્ષા ન હોય ત્યારે પણ પિતાની (સ્વતંત્ર કવરૂપ) ક્રિયામાં વિવક્ષિત બનતુ કમ, કર્મને માટે વિહિત એવાં (વ્યાકરણ) શાસ્ત્રીય કાર્યોને, (કર્તા બની), કોઈકવાર પ્રાપ્ત કરે છે. (૫૫) કોઠાર (પિતાની મેળે) તૂટે છે (મિરાતે ૩યુઃ ), ખેતર ખેડાય છે (યતે ફ્રાર:) અને ભાત રંધાય છે, (વગતે મોઢવ: સ્વયમેવ ) જેવાં ઉદાહરણમાં કની પ્રવૃત્તિ વિવક્ષિત નથી, કારણ કે, કોઠાર સહેલાઈથી તૂટે એવા છે, ખેતર ઓછા ઘાસવાળ છે અને ભાત પોચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy