________________
વાકયપદીય यदसज्जायते सद् वा जन्मना यत् प्रकाश्यते ।
तन्निवर्त्य विकार्य च कर्म द्वेधा व्यवस्थितम् ॥४९॥ ઉત્પન્ન થનારું જે અસત્ (છે) તેને અથવા ઉત્પત્તિવડે જે અભિવ્યક્ત બને છે તે (સત )ને નિર્વત્ય અને વિકાર્ય એમ બે પ્રકારે વ્યવસ્થિત બનેલ કર્મ કહે છે. (૪૯)
ઉત્પત્તિની પહેલાં અસ એવાં ઘટાદિ ઉત્પન્ન થાય છે, એવા અસત્કાર્યવાદી વિશેષિક મતમાં અથવા ઉત્પત્તિની પહેલાં સદ્ ઘટાદિ ઉત્પન્ન થાય છે એવા સત્કાર્યવાદી સાંખ્યમતમાં પદાર્થ, ઉત્પત્તિ વડે આવિર્ભાવ પામતો હોવાથી તેને નિર્વસ્ત્ર અને વિકાર્ય કર્મ કહેવાય છે.
પુત્રને જન્મ આપે છે પુત્ર પ્રqતે , (શાર્દૂ યુ ) શબ્દનો પ્રયોગ કરે છે એવા પ્રાગમાં ગર્ભમાં રહેલ પુત્ર અને વિવાવાળા શબ્દને, જન્મ અને પ્રયોગ વડે જાહેર કરવામાં આવે છે. અસ્તિત્વ હોય તેને જાહેર કરવું એટલે જન્મ.
प्रकृत्युच्छेदसंभूतं किञ्चित्काष्ठादिभस्मवत् ।
किञ्चिद् गुणान्तरोत्पत्त्या सुवर्णादिविकारवत् ॥५०॥ બળેલાં લાકડાં વગેરેમાંથી ભસ્મ મળે તેમ મૂળ પદાર્થના વિનાશથી થનારું (પરિણામ) એટલે એક (વિકાર્ય કર્મ) છે; સુવર્ણ વગેરેના (ઘરેણુ વગેરેમાં) ફેરફારની જેમ બીજા ગુણની ઉત્પત્તિ વડે થનારું તે બીજું વિકાર્ય કમ) છે. (૧૦)
અહીં વિકાર્ય કર્મને બે રીતે સમજવામાં આવ્યું છે. પ્રકૃતિભૂતને સંપૂર્ણ વિનાશ થતાં પ્રાપ્ત થનારું પરિણામ, એક પ્રકારને વિકાર છે. “લાકડાંની ભસ્મ કરે છે એવા પ્રયાગમાં ભસ્મ વિકાર્ય કર્મ છે. લાકડાં બળે છે (ઝાનિ રતિ )માં લાકડાં વિકાર્ય કર્મ છે.
क्रियाकृता विशेषाणां सिद्धिर्यत्र न गम्यते ।
दर्शनादनुमानाद्वा तत्प्राप्यमिति कथ्यते ॥५१॥ ક્રિયાવડે પ્રાપ્ત થનારી વિશેષતાઓની સિદ્ધિ જ્યાં (પ્રત્યક્ષ દર્શનથી કે અનુમાનથી સમજાય નહિ તેને પ્રાપ્ય (કમ) કહે છે, (૫૧)
સૂર્યને જુએ છે (માહિત્યં વાત ), નગર પાસે જાય છે (નાર હવાતિ ), વેદનું અધ્યયન કરે છે તેવું મધીતે ) વગેરે ઉદાહરણેમાં ક્રિયા વડે પ્રાપ્ત થનારી વિશેષતા પ્રત્યક્ષ કે અનુમાન દ્વારા સમજાતી નથી.
વિશેષામઃ સર્વત્ર વિતે નાિિમ .
केषाञ्चित् तदभिव्यक्तिसिद्धिष्टिविषादिषु ॥५२॥ કેટલાકના મતમાં “જેવું” વગેરે ક્રિયાઓ વડે બધે વિકાર(રૂપ વિશિષ્ટતા)ની પ્રાપ્તિ થાય છે. દૃષ્ટિમાં ઝેરવાળા (સર્પો) વગેરેમાં તે અભિવ્યક્ત બને છે અને પૂરવાર થાય છે. (૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org