SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંડ निर्वयं च विकार्य च प्राप्य ति त्रिधा मृतम् ।। तत्रेप्सिततम कर्म चतुर्धान्यत्तु कल्पितम् ॥४५॥ આ (છ કારકોમાં) ઈસિતતમ કર્મને નિર્વત્ય, વિકાર્ય અને પ્રાપ્ય એમ ત્રણ પ્રકારે માન્યું છે, બીજુ (અનીસિત) ચાર પ્રકારે કલ્પવામાં આવ્યું છે (૪૫) - औदासीन्येन यत्प्राप्य यच्च कर्तुरनीप्सितम् । संज्ञान्तरैरनाख्यात यद्यच्चाप्यन्यपूर्वकम् ॥४६॥ તટસ્થતા સાથે પ્રાપ્ત થનારું, કર્તાએ નહિ ઈચ્છેલું, બીજી સંજ્ઞાઓ વડે ન જણાવી શકાય તેવું અને પહેલાં બીજી સંજ્ઞાવાળું (એમ બીજું ચાર પ્રકારે છે) (૪૬) કારિકા ૪૫માં નિદેશેલ ત્રણ પ્રકારનાં ઈસિતતમ કર્મ સિવાયનાં બીજાં ચાર કર્મ અહીં ગણાવવામાં આવ્યાં છે. (૧) ગામમાં જઈને ઝાડના મૂળને સ્પર્શે છે (ગામ છ7 વૃક્ષમૂઠ સૃતિ )માં વૃક્ષમૂલ ઔદાસી પ્રાપ્ત કર્મ છે. (૨) ઝેર પીવે છે (વિષ વિશ્વતિ )માં ઝેર અનીસિત કર્મ છે. (૩) અપાદાન વગેરે સંજ્ઞાઓ જેને લાગુ ન પડે તે કર્મ ઋષિત વા (વા.વ્. ૧-૪-૧૧)થી જણાવ્યું છે. (૪) વિર મિતુષ્યતિ | સેવ કમિટ્ટાતિ . વગેરે ઉદાહરણોમાં ઉપસર્ગવાળા , સૂત્ વગેરે ધાતુઓના સંબંધમાં જેના તરફ કેપ વગેરે હોય તેની સંપ્રદાનસંશા થવા છતાં કર્મસંજ્ઞા જ થાય છે. તે જ પ્રમાણે કક્ષાન વ્યતિ માં વિવઃ મે (પા.સુ. ૧-૪-૪૩)થી સાધકતમ કરણ જ કર્મ સંજ્ઞા બને છે. આમ અનીસિત કર્મના ચાર પ્રકારો છે; ઔદાસીપ્રાપ્ત, કર્તાને અનીતિ , અકથિત, અને અગાઉ અન્ય સંજ્ઞાથી જાણુતું. सती वाविद्यमाना वा प्रकृतिः परिणामिनी । यस्य नाश्रीयते तस्य निर्वय॑त्व प्रचक्षते ॥४७॥ જે (પદાર્થ)નું વિદ્યમાન કે અવિદ્યમાન ઉપાદાન કારણ ફેરફાર પામતું સમજવામાં આવતું નથી તેને નિર્વસ્ય (કર્મ) કહે છે. (૪૭) મૃા ઘરું રતિ (માટીથી ઘડાને બનાવે છે)માં ઘટને માટીમાંથી ઉત્પન્ન થતો અને તેનાથી જુદો સમજવામાં આવે છે, કૃદં ઘણું શરીતિ ની જેમ અભિને સમજવામાં આવ્યો નથી. અહીં નિર્વત્ય કર્મ સમજાય છે. प्रकृतेस्तु विवक्षायां विकार्य कैश्चिदन्यथा । निर्वयं च विकार्य च कर्म शास्त्रे प्रदर्शितम् ॥४८॥ જ્યારે ઉપાદાન કારણને (પદાર્થથી) અભિન્ન સમજવામાં આવે છે ત્યારે (તેને) વિકાર્ય (કમ) કહે છે. બીજા કેટલાક વડે (વ્યાકરણ)શાસ્ત્રમાં નિર્વત્ય અને વિકાને જુદાં દર્શાવવામાં આવ્યાં છે. (૪૮). * * ** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy