________________
વાકથપરીય
द्यौः क्षमा वायुरादित्यः सागराः सरितो दिशः ।
अन्तःकरणतत्त्वस्य भागा बहिरवस्थिताः ॥४१॥ આકાશ, પૃથ્વી, વાયુ, સૂર્ય, સમુદ્રો, નદીઓ, દિશાઓ (આ બધાં), એક આન્તર (પરમ)તત્ત્વના બાહ્ય(આભાસ)રૂપે રહેલા ભાગ છે. (૪૧)
સરખા હેલારાજ : કાન્ત:રાનાન્તરદાતા દ્રતિમાસમાનં ચત તવં તતે મા: प्रतिबिम्बका आभासा बहिरवस्थिताः । परमाथे तु कीदृशोऽन्तर्बहिर्भावः । एकमेव संविन्मयं पर शब्दब्रह्म तथातथावस्थितमिति कारिकार्थः ।
कालविच्छेदरूपेण तदेवैकमवस्थितम् ।
स ह्यपूर्वापरो भावः क्रमरूपेण लक्ष्यते ॥४२।। તે એક (તત્ત્વ) જ કાલવિભાગરૂપે રહેલું છે. પૌર્વાપર્યા વિનાનો તે ભાવ ક્રમરૂપે દેખાય છે. (૨)
પરમતત્વમાં પૌર્વાપર્યું નથી, તેમ છતાં કાલશક્તિને કારણે તેમાં ડું, ઝડપી, ધીમું, વહેલું, વગેરે કાલવિભાગ સમજાય છે.
કારિકા બેતાલીસ સુધીમાં રજૂ થયેલા વિચારોનો સાર સંગ્રહ કરતાં ટીકાકાર જણાવે છે કે પદાર્થોમાં રહેલી એક વિશિષ્ટ શક્તિને સાધન કહે છે. વિજ્ઞાનવાદીઓના મતમાં તે બુદ્ધિપ્રકલ્પના રૂપે છે (કારિકા ૬). સંસર્ગવાદી વૈશેષિકોના મતમાં તે પદાર્થમાં રહેલા પરંતુ પદાર્થથી જુદા તત્ત્વ રૂપે છે (કારિકા ૯). મીમાંસકાના મતમાં તે પદાર્થમાં અપૂવરૂપે છે. અદ્વૈતવાદીઓના મતમાં તે કાલશક્તિરૂપે છે. સાંખ્યોના મતમાં તે રજોગુણની પ્રવૃત્તિરૂપ ક્રિયા છે અને કાલને દ્રવ્ય મનનારા તૈયાયિકના મતમાં તે નિત્ય કાલરૂપે છે
(કારિકા ૩૪).
दृष्टो ह्यव्यतिरेकेऽपि व्यतिरेकोऽन्वयेऽसति ।
वृक्षाद्यर्थान्वयस्तस्माद्विभक्त्यर्थोऽन्य इष्यते ॥४३॥ (પ્રતિપાદિકના અર્થમાં) ભિન્નતા ન હોવા છતાં (પ્રત્યયના અર્થમાં) ભિન્નતા હોય છે, અને (વિભકૃત્યર્થમાં) સમાનતા ન હોવા છતાં, વૃક્ષ વગેરે (પ્રાતિપદિક)ના અર્થમાં સમાનતા જણાય છે. તેથી (પ્રાતિપાદિકથી) જુદે વિભક્તિનો અર્થ સમજવામાં આવે છે. (૪૩)
सामान्य कारक तस्य सप्ताद्या भेदयोनयः ।।
षद कर्माख्यादिभेदेन शेषभेदस्तु सप्तमी ॥४४।। કાસ્ક સામાન્યરૂપે છે. તેના વિભાગના સાત મુખ્ય આધાર છે. (કારકના), કર્મ વગેરે જુદા નામોથી ઓળખાતા છ (ભેદે) અને સાતમે શેષ (એવા નામનો) ભેદ છે. (૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org