________________
વાપપલીય
स्वाङ्गसंयोगिनः पाशा दैत्यानां वारुणा यथा ।
व्यज्यन्ते विजिगीषूणां द्रव्याणां शक्तयस्तथा ॥३०॥ જેમ દૈત્યોના, વરુણદેવથી પ્રાપ્ત થયેલા પાશે, તેમનાં અંગો સાથે સંગમાં હોય છે, પરંતુ તેઓ વિજયની ઈચ્છા કરતા હોય ત્યારે જ વ્યસ્ત બને છે, તેમ પદાર્થોની શક્તિઓ પણ તે પ્રમાણે હોય છે. (૩૦)
રીતસરના યુદ્ધને સમયે દૈત્યના વારૂણ પાશે દેખાય છે. તે પહેલાં તે પાશે, તેમનાં અંગમાં રહેલા હોય છે. તે પ્રમાણે પદાર્થોની શક્તિઓ હંમેશાં તેમનામાં રહેલી હોય છે. પરંતુ કાર્યની નિષ્પત્તિને સમયે જાહેર થાય છે.
तैक्ष्ण्यगौरवकाठिन्यसंस्थानः स्वैरसियंदा ।
छेद्य प्रति व्याप्रियते शक्तिमान् गृह्यते तदा ॥३१॥ તલવાર (જ્યારે) પિતાનાં તીણુતા, ભાર, કઠિનતા અને આકાર સાથે કાપવાના પદાથ તરફ વળે છે ત્યારે, શક્તિવાળી (વસ્તુ) તરીકે તે સમજાય છે. (૩૧
प्राङ् निमित्तान्तरोद्भूत क्रियायाः कैश्चिदिष्यते ।
साधन सहज कैश्चिक्रियान्यैः पूर्वमिष्यते ॥३२।। કેટલાકના મતમાં, ક્રિયા ઉત્પન્ન થયા પહેલાં (પદાર્થમાં, તેની શક્તિરૂપી) સાધન, બીજાં નિમિત્તોને કારણે ઉત્પન્ન થાય છે, કેટલાકને મતે તે સ્વાભાવિક છે; બીજા કેટલાકને મતે ક્રિયા, પહેલાં ઉત્પન્ન થાય છે. (૩૨)
प्रवृत्तिरेव प्रथम क्वचिदष्यनपाश्रिता ।
शक्तीरेकाधिकरणे स्त्रीतोवदपकर्षति ॥३३॥ પહેલાં, કોઈપણ એક પદાર્થ)માં આશ્રય નહિ કરનારી (નિત્ય) ક્રિયા, કાર્યનિષ્પત્તિ માટે જવાબદાર બધી શક્તિઓને, પ્રવાહની જેમ, એક સ્થાનમાં ખેંચી લાવે છે. (૩૩)
શક્તિઓની પહેલાં ક્રિયાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે આ કારિકામાં દર્શાવ્યું છે.
अपूर्व कालशक्ति वा क्रियां वा कालमेव था ।
तमेवलक्षणं भावं केचिदाहुः कथञ्चन ॥३४॥ તે આ પ્રકારના (શક્તિરૂપ) ભાવને કેટલાક લોકો પ્રયત્નપૂર્વક, અપૂર્વ અથવા કાલશક્તિ અથવા ક્રિયા અથવા કાલ તરીકે જાહેર કરે છે. (૩૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org