________________
ત્રીજું કાંડ
प्रातिलोम्यानुलोम्याभ्यां हेतुरर्थस्य साधकः ।
तादर्थ्यमानुलोम्येन हेतुत्वानुगत तु तत् ॥२७॥ હેતુ, પ્રતિકૂળતા અથવા અનુકૂળતા દ્વારા, કાયને સિદ્ધ કરે છે. તાદર્થ્ય અનુકૂળતા વડે (કાર્યસિદ્ધિ કરે છે). તે તે હેતુપણાની સાથે સંબદ્ધ છે. (૨૭)
તૃતીયા વિભકિત વડે વાચ હેતુ અને ચતુથી વિભક્તિ વડે વાચ્ય તાદ વચ્ચે તફાવત આ કારિકામાં જણાવવામાં આવ્યો છે.
હેતુ, પ્રતિકૂળ અવસ્થા દ્વારા અથવા અનુકૂળ અવસ્થા દ્વારા એમ બે રીતે કાર્યને સિદ્ધ કરે છે. ક્ષીણ થતી અવસ્થા વાળે હેતુ ક્ષીણ બનતા કાર્યને ઉત્પન્ન કરે છે. તેથી તે પ્રતિકૂળ અવસ્થાવાળા કહેવાય છે. સૂર્યને તાપ, પાણી સાથે સંબંધમાં આવતાં પાણીની ક્ષીણુ બનતી અવસ્થારૂપી કાર્ય ઉત્પન્ન કરે છે. અહીં પાણીની અવસ્થા કમેક્રમે ક્ષીણ બને છે. જેમાસામાં રોપેલું બી, ખાતર, પાણી વગેરેની અનુકૂળ પરિસ્થિતિને કારણે વૃદ્ધિ પામે છે. તેથી તે અનુકુળ અવસ્થાવાળું કહેવાય છે. આમ પ્રતિકૂળ અને અનુકૂળ એવી બે અવસ્થાઓને પ્રાપ્ત કરનાર હેતુ કાર્યસિદ્ધિ કરે છે, તાદર્થ્ય પણ એક વિશિષ્ટ હેતુ છે. તે એટલે અન્ય, અર્થાત બીજાને માટે એવો તાદર્થ્યને અર્થ થશે; જેમકે, “કુંડલને માટે સુવર્ણ,’ એવા ઉદાહરણમાં સુવર્ણ તાદર્થ અર્થાત્ અન્ય પદાર્થ એટલે કુંડને માટે છે. ચતુથી વડે વાચ્ય આ હેતુને તાદર્થ્ય કહીશું.
सर्वत्र सहजा शक्तिः यावद्रव्यमवस्थिता ।
क्रियाकाले त्वभिव्यक्तेराश्रयादुपकारिणी ॥२८॥ સર્વ ઠેકાણે સ્વાભાવિક એવી શક્તિ, પદાર્થના અસ્તિત્વ (કાળ) સુધી રહેલી છે. ક્રિયાના સમયે તેની અભિવ્યક્તિ થતી હોવાથી તે (ક્રિયાને માટે) ઉપકારક બને છે. (૨૮).
નિત્ય અને અનિત્ય પદાર્થોમાં બધે શક્તિ રહેલી છે, અને તે શક્તિ દ્રવ્ય હોય ત્યાં સુધી પ્રાપ્ત થાય છે. ક્રિયાની નિષ્પત્તિને સમયે તે વ્યક્ત થાય છે; તેથી તેને માટે તે ઉપકારક બને છે. આવી શક્તિને સાધન કહે છે.
कुयस्यावरणे शक्तिरस्यादीनां विदारणे ।
सर्वदा स तु सन्धर्मः क्रियाकाले निरूप्यते ॥२९।। દીવાલની, (બીજી વસ્તુનું) આવરણ બનવા માટેની અને તલવાર વગેરેની કાપવા માટેની શક્તિ હંમેશાં હોય છે. તે (શક્તિરૂ૫) ધમ, વિદ્યમાન હોઈને, ક્રિયાની ઉત્પત્તિને સમયે વ્યક્ત થાય છે. (૨૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org