________________
વાકથપકીય
સંહિતાના પાઠ પછી વૃષ્ટિ થઈ” (
શાહ્ય સંહિતામનું પ્રાર્ષત ) એવા પ્રગમાં સંહિતા માત્ર લક્ષણ નહિ, હેતુ પણ છે.
મહાભાષ્યકારના મતમાં લક્ષણમાં હેતુ આવી જાય છે કારણકે લક્ષણ વ્યાપક છે. કાર્યને નિર્દેશ કરનારું કારણ પણ લક્ષણ બને છે. ઉપરના ઉદાહરણમાં સંહિતાનો પાઠ વૃષ્ટિનું લક્ષણ અને હેતુ બને છે. આ બધા ઉપરથી એટલે નિષ્કર્ષ સમજાય છે કે જુદાં જુદાં સ્વરૂપે પ્રાપ્ત કરીને ક્રિયાની નિષ્પત્તિ માટે ઉપકારક બને તે કારક, સામાન્યપણે ઉત્પત્તિનું નિમિત્ત બને તે હેતુ અને કેઈક બાબતને નિર્દેશ કરે તે લક્ષણ.
द्रब्यादिविषयो हेतु: कारक नियतक्रियम् ।
कर्ता कर्बन्तरापेक्षः क्रियायां हेतुरिष्यते ॥२५॥ દ્રવ્ય (ગુણ, ક્રિયા) વગેરે વિષયવાળો હેતુ છે, પરંતુ કારક ક્રિયામાં નિયત છે. ક્રિયા(સિદ્ધિ) માટે બીજા કર્તાની અપેક્ષાવાળા કર્તાને હેતુ કહે છે. (૨૫)
અહીં વિષયભેદ પ્રમાણે હેતુ અને સાધનને ભેદ દર્શાવવામાં આવ્યો છે. દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરેની સિદ્ધિ માટે શક્તિશાળી પદાર્થને હેતુ કહે છે; જેમ કે બીજ વડે અંકુર, કન્યા વડે શેક, ધન વડે કુળ, વિદ્યા વડે યશ, શિલપાભ્યાસ વડે નિપુણતા, અગ્નિ વડે રસોઈ. હેતુ ક્રિયાની સિદ્ધિમાં મદદરૂપ બને છે, પરંતુ ક્રિયા કરતો નથી. કારક માત્ર ક્રિયાની ઉત્પત્તિ કરે છે. વ્યાકરણશાસ્ત્રમાં હેતુને તરપ્રયોગો હેતુa (પા.સુ. ૧–૪–૫૫, કર્તાના પ્રયાજકને હેતુ કહેવાય છે) સૂત્રવડે કર્તાને પણ કારકવિશેષ એ હેતુ કહ્યો છે.
क्रियाय करणं तस्य दृष्टः प्रतिनिधिस्तथा ।
हेत्वर्था तु क्रिया तस्मान्न स प्रतिनिधीयते ॥२६॥ ક્રિયાની (સિદ્ધિ માટે કરણ છે, તેથી (અપ્રધાન) એવા તે (કરણ)નો પ્રતિ નિધિ જોવામાં આવે છે. ક્રિયા હેતુને અર્થે હોવાથી તે પ્રધાન હાઈ), તેને પ્રતિનિધિ સમજવામાં આવતું નથી. (૨૬)
ક્રિયાની બાબતમાં સમાન એવાં હેતુ અને કરણ વચ્ચેનો તફાવત અહીં સમજાવવામાં આવ્યો છે.
ક્રિયાની સિદ્ધિ માટે ઉપકારક કરણ અપ્રધાન છે, પરંતુ ક્રિયા પ્રધાન છે. તેથી અપ્રધાન એવા કરણ માટે પ્રતિનિધિ જોવા મળે છે, જેમ કે, બાણવડે હણાયો એવા ઉદાહરણમાં હણવાની ક્રિયાને પ્રતિનિધિ મળતું નથી, પરંતુ બાણને બદલે તેના હનનક્રિયાના પ્રતિનિધિ એવાં શક્તિ, મુગર, તમર વગેરે સમજાય છે. હેતુને અથે ક્રિયા સમજવામાં આવે ત્યારે હેતુ પ્રધાન બનશે અને ક્રિયા અપ્રધાન થશે. તેથી અધ્યયનને કારણે રહે છે (મધ્યયનેન વસતિ ) એવા ઉદાહરણમાં અધ્યયનનો પ્રતિનિધિ દેખાતું નથી, પરંતુ, નિવાસક્રિયા જે અપ્રધાન છે તેના પ્રતિનિધિ ભિક્ષા માગવી વગેરે પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org