________________
ત્રીજુ કાંડ
यथा राज्ञा नियुक्तेषु योद्धृत्व योद्धृषु स्थितम् । तेषु वृत्तौ तु लभते राजा जयपराजयौ । तथा का नियुक्तेषु सर्वेष्वेकार्थकारिषु ।
कर्तृत्वं करणत्वादेरुत्तर न विरुध्यते ॥२२-२३।। જેમ રાજએ નીમેલા ચોદ્ધાઓમાં લડવાની ગ્યતા રહેલી છે, અને તે લડતા હોય ત્યારે તેમની પ્રવૃત્તિ પ્રમાણે થનારા જય અથવા પરાજય રાજા મેળવે છે, તેમ કર્તાએ પ્રેરેલ (અને સમાન ફળ માટે પ્રવૃત્ત થનારાં (કરણ વગેરે કારક)માં, ઉત્તર કાળમાં પ્રાપ્ત થનારું કતૃત્વ, કરણ વગેરેનું વિરોધી બનતું નથી. (૨૨-૨૩)
રાજાએ લડાઈ માટે પ્રેર્યા તે પહેલાં સૈનિકો દ્ધાઓ હતા. યુદ્ધ અંગે તેમનું કર્તવ હતું, અર્થાત તે યુદ્ધને કર્તાઓ હતા; પરંતુ રાજાએ હુકમ કરવાથી તેમનું યુદ્ધ જીતવા અથવા હારવા અંગે કરણત્વ થયું. આ કતૃત્વ અને કરણત્વ પરસ્પર વિરોધી નથી, કારણ કે સમાન ફલ માટે તે કાર્ય કરનારાં છે.
अनाश्रिते तु व्यापारे निमित्त हेतुरिष्यते ।
आश्रितावधिभावं तु लक्षणे लक्षणं विदुः ॥२४॥ કેઈક વ્યાપારને આશ્રય કર્યા વિના (માત્ર સંબંધરૂપે રહેલા) નિમિત્તને હતુ કહે છે. પદાર્થના નિર્દેશ માટે અવધિરૂપ બનનારને લક્ષણ કહે છે. (૨૪)
ક્રિયાની સિદ્ધિ માટે મદદ રૂપ બને તે કારક છે એમ હોય તે હેતુ પણ કારક બનશે. આ વાત áરળuતૃતીયા ! (પા.સ. ૨.૩.૧૮ કત અથવા કરણ અર્થમાં તૃતીયા પ્રાપ્ત થાય છે) દ્વારા સિદ્ધ થાય છે, તો પછી દેતી (પા.સુ. ૨-૩-૨૩ હેતુ દર્શાવનાર શબ્દ તૃતીયામાં મૂકાય છે) સૂત્રની જરૂર શી? આવી શંકાના નિરસન માટે સાધન અને હેતુ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવે છે.
વિવક્ષિત રૂપની પ્રાપ્તિ માટે, માત્ર યોગ્યતા સંબંધરૂપે રહેલ નિમિત્તને હેતુ કહે છે. આ સંબંધ પડી વિભક્તિવડે દર્શાવાય છે. આ પઠીને | સૂત્ર વડે બાધ કરીને તૃતીયા વિભક્તિ પ્રાપ્ત થાય છે, જેમકે “અધ્યયનને કારણે તે રહે છે” (મગન વસરિ ) માં અધ્યયન હેતુ છે અને નિવાસ હેતુમાન અર્થાત કાય છે. હેતુ અને હેતુમાન વચ્ચેના સંબંધને દર્શાવનારી વષષ્ઠી તૃતીયા વિભક્તિ બાધ કરે છે.
અનુક્ષો . (પા.સુ. ૧-૪-૮૪, ચિહ્ન અથવા નિર્દેશના અર્થમાં ગન કર્મપ્રવચનીય છે) સૂત્રમાં લક્ષણનો અર્થ હેતુ પણ છે. હેતુમાં અવધિના ભાવ હોય ત્યારે તે લક્ષણ કહેવાય છે. બીજા મત પ્રમાણે કાર્ય ઉત્પન્ન કરે તે હેતુ અને જ્ઞાન ઉત્પન્ન કરે તે લક્ષણ; પરંતુ આ મત બરાબર નથી કારણ કે હેતુ પણ જ્ઞાન ઉત્પન્ન કરે છે. “શાકલ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org