SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય निष्पत्तिमात्रे कर्तृत्व सर्वत्रैवास्ति कारके । व्यापारभेदापेक्षायां करणत्वादिसंभवः ॥१८॥ ક્રિયાની સિદ્ધિ માટેનું કતૃત્વ બધાં કારકોમાં હોય છે જુદા જુદા વ્યાપારની અપેક્ષા હોય ત્યારે કરણ વગેરે કારકો સંભવે છે. (૧૮) ક્લિાની સામાન્ય નિષ્પત્તિ માટે બધાં કારકે પ્રવૃત્ત હોય છે. મુખ્ય ક્રિયા અંગે કેઈક વિશિષ્ટ કાર્ય કરવાને કારણે કારક, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન એમ જુદી જુદી રીતે ઓળખાય છે. पुत्रस्य जन्मनि यथा पित्रोः कर्तृत्वमुच्यते । अयमस्यामिय त्वस्मादिति भेदो विवक्षया ॥१९॥ જેમ કે, પુત્રનો જન્મ અંગે માતાપિતા બંને)નું કર્તુત્વ જણાવાય છે, વિવક્ષાને કારણે તેણે પિતાએ), તે (માતા)નામાં અને તેણે (માતાએ) તે (પિતાથી) તેને ઉત્પન્ન કર્યો એમ ભેદ સમજવામાં આવે છે. (૧૯) - પહેલા વાક્યમાં જન્મની ક્રિયાના કવને અનુભવતી માતા અધિકરણ રૂપે અને પિતા કર્તા રૂપે છે. બીજા વાક્યમાં પિતા અપાદાન રૂપે છે અને માતા કર્તા રૂપે છે; આમ બંનેની પ્રવૃત્તિ વચ્ચે ભેદ સમજવામાં આવે છે, गुणक्रियाणां कर्तारः का न्यकृतशक्तयः । न्यक्तायामपि संपूर्णे : स्वैर्व्यापारैः समन्विताः ॥२०॥ करणत्वादिभिमा॑ताः क्रियाभेदानुपातिभिः । स्वातन्त्र्यमुत्तर लब्ध्वा प्रधाने यान्ति कर्तृताम् ॥२१॥ (મુખ્ય ક્રિયાના) કર્તા વડે ગૌણ બનાવેલ શક્તિઓવાળા, ગૌણભાવમાં પણ પિતાના સંપૂર્ણ વ્યાપારીવાળા, અને જુદી જુદી ક્રિયાઓને અનુસરનારા કર્તા, કરણ વગેરે વડે ઓળખાતા, ગૌણ ક્રિયાઓના કર્તાએ, પોતાના વ્યાપારમાં સ્વતંત્ર બનીને, મુખ્ય કાર્યના કર્તાઓ રૂપે સમજાય છે. (૨૦-૨૧) -- મુખ્ય ક્રિયાના સંદર્ભમાં કર્મ, કરણ વગેરે બાબતો જણાવવામાં આવી. હવે, કર્મ કરણ વગેરે, મુખ્ય ક્રિયાના સંદર્ભમાં અસ્વતંત્ર હવા છતાં ગૌણ ક્રિયાના સંદર્ભમા તે સ્વતંત્ર છે, એ વાત અહીં જણાવવામાં આવી છે. અહીં પા સૂ. ૧-૪-૨૩ ઉપરનાં પતંજલિનાં ભાષ્યવચનોને આધાર લેવામાં આવ્યું છે. સામાન્ય અર્થાત્ મુખ્ય ક્રિયાના સંબંધમાં કર્મ, કરણ, સંપ્રદાન વગેરે કારકે પરતંત્ર છે, પરંતુ પોતાની ક્રિયાઓના સંદર્ભમાં સ્વતંત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy