SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ ત્રીજુ કાંડ કારિકામાં સઃ શબ્દથી ક્રિયાની ઉત્પત્તિમાં મદદ કરનાર અને શક્તિરૂપે રહેલ નિમિત્ત અર્થાત્ હેતુ સમજાય છે. આ અંગે પદાર્થો અને તેમની શક્તિઓ વચ્ચે ભેદ છે, અને તે બને વચ્ચે એકત્વ છે, એવા બે મતો છે. પહેલા મતમાં પદાર્થનું સ્વરૂપ એ જ શક્તિ છે. સહકારી કારણોના સંનિધાન રૂપી મદદથી પદાર્થ કાર્યને ઉત્પન્ન કરે છે, તેથી અદષ્ટ એવું શક્તિતત્વ માનવાની જરૂર નથી. શક્તિ, ક્રિયાની ઉત્પત્તિ માટે ઉપકારક અને પદાર્થથી અભિન એવું તત્ત્વ છે, એ બીજો મત છે. આ કારિકામાં બંને મતોને સ્વીકાર કરવામાં આવ્યો છે. કોઈ પણ એક પક્ષ અંગે વૈયાકરણનો આગ્રહ નથી. શબ્દને જ પ્રમાણુ માનનારા તેઓ (ાવવમાન:) સાધનને પદાર્થોથી ભિન્ન સમજે છે. संदर्शन प्रार्थनायां व्यवसाये त्वनन्तरा। व्यवसायस्तथारम्भे साधनत्वाय कल्पते ॥१६॥ पूर्वस्मिन्या क्रिया सैव परस्मिन्साधनं मता। संदर्शने तु चैतन्य विशिष्टं साधनं विदुः ॥१७॥ ફળની ઈચ્છા માટે તે (ફળ વિષે) સંકલ્પ, (ફળસિદ્ધિના) નિશ્ચય માટે તે (નિશ્ચય)થી જુદી નહિ એવી ઈચ્છા અને (ફળપ્રાપ્તિના) પ્રયત્ન માટે તે નિશ્ચય સાધનરૂપે સમજાય છે. અગાઉના વ્યાપારમાં જે ક્રિયારૂપ હોય છે તે પછીના (સાધ્યરૂ૫) વ્યાપારમાં સાધન રૂપે સમજાય છે. પરંતુ ફળવિષયક સંક૯પમાં તે આત્માને વિશિષ્ટ સાધન તરીકે જણાવવામાં આવ્યું છે. (૧૬-૧૭) - સાધ્ય અને સાધનની વ્યવસ્થામાં ક્રિયા પણ સાધનરૂપે સમજાય છે તે અંગે પતંજલિને આધારે આ કારિકાઓ રજૂ કરવામાં આવે છે. વિચારશીલ મનુષ્ય મનમાં કંઈક બાબતને વિચારે છે. આને સંદનક્રિયા કહે છે. વિચાર કર્યા પછી તે અંગે તેનામાં ઇચ્છા (પ્રાર્થના) થાય છે, ઈચ્છા થયા પછી તે ક્રિયા કરવાને તે આરંભ કરે છે. આરંભ કર્યા પછી તેની સમાપ્તિ કરે છે અને ત્યાર બાદ તેને ફલપ્રાપ્તિ થાય છે. સરખાવે : હૃ૪ : મનુષઃ ક્ષાપૂર્વારા મવતિ સ યુદ્ધથી તાવત વિર્થ સંપશ્યતિ, સંજે ૬ प्रार्थना, प्रार्थना यामध्यवसाय: अध्यवसाये आरम्भः, आरम्भे नित्तिनिवृतौ फलावाप्तिः । (भलीભાષ્ય, પા.સુ. ૧-૪-૩૨). સંદશન એટલે ફળવિષયક સંકલ્પ. તે ફળના ઉપાય અંગેની ઇચ્છા માટે સાધનરૂપ બને છે. વ્યવસાય એટલે દૃઢ નિશ્ચય. તેનાથી જુદી નહિ એવી ઇચ્છા તેના સાધનરૂપે પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે દૃઢનિશ્ચય ક્રિયાની સિદ્ધિ માટેના પ્રયત્નનું સાધન બને છે. આમ પૂર્વ પૂર્વ વ્યાપારમાં જે ક્રિયારૂપે હોય છે તે ઉત્તરોત્તર ક્રિયામાં સાધનરૂપ બને છે, તે પછી સંદર્શન ક્રિયા અર્થાત્ ફળવિષયક સંકલ્પરૂપ ક્રિયાનું સાધન શું? ફળની અભિલાષા માટે સુયોગ્ય એવો ચૈતન્યરૂપ આત્મા સાધનરૂપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy