________________
વા કષ૫દીય
इन्द्रियार्थमनःकर्तृ संबन्धः साधन क्वचित् ।
यद्यदा यदनुग्राहि तत् तदा तत्र साधनम् ॥१२॥ ઈન્દ્રિય, પદાર્થ, મન અને આત્માનો સંગ, (શક્તિરૂપ સાધન તરીકે કઈ વાર હોય છે. જ્યારે જે જેની મદદરૂપે પ્રાપ્ત થાય છે ત્યારે તે તેના સાધનરૂપે હોય છે. (૧૨)
રૂપ વગેરેનું જ્ઞાન ઈન્દ્રિય, પદાર્થ, મન અને આત્માના સંનિકર્ષથી થાય છે. આ સંનિકર્ષ અર્થાત સંગ, જેવા માટે શક્તિરૂપ સાધન બને છે. આવી ગણતરી કરવાની પણ જરૂર નથી. જે જેના જ્ઞાન માટે ઉપકારવાળું બને છે તે તેની શક્તિરૂપ સાધન બને છે. આમ બધાં દ્રવ્યો એકબીજાની શક્તિરૂપે છે.
स्वशब्दैरभिधाने तु स धर्मो नाभिधीयते ।
विभक्तथादिभिरेवासावुपकारः प्रतीयते ॥१३॥ (દ્રવ્યનું) તેના પિતાના, અપાદાન વગેરે શબ્દ વડે (પ્રધાનપણે) અભિધાન થાય છે ત્યારે તેમના વડે શક્તિરૂપ) ધર્મનું અભિધાન થતું નથી. ક્રિયાની ઉત્પત્તિ માટે ઉપકારરૂપ તે (ધર્મ), વિભક્તિ (તદ્ધિત, પ્રાતિપદિક, અવ્યય) વગેરે વડે સમજાય છે. (૧૩)
કારક, સાધન, અપાદાન વગેરે વડે પદાર્થનું અભિધાન થાય છે. શકિતરૂપ સાધનનું અભિધાન તેમનથી થતું નથી. અભિધાન, વિભકિતઓ, તદ્ધિત, અવયવ વગેરે વડે કરવામાં આવે છે.
निमित्तभावो भावानामुपकारार्थमाश्रितः ।
नतिरावर्जनेत्येवं सिद्धः साधनमिष्यते ॥१४॥ (સાયરૂપ ક્રિયાની મદદ માટે પદાર્થોને નિમિત્તરૂપે માનવામાં આવ્યા છે. નતિ અર્થાત્ મદદ કરવા માટે અભિમુખ બનવું અને આવર્જન અર્થાત્ સમર્પણ એવા શબદથી સમજાતે સિદ્ધ પદાર્થ સાધન કહેવાય છે. (૧૪)
स तेभ्यो व्यतिरिक्तो वा तेषामात्मैव वा तथा।
व्यतिरेकमुपाश्रित्य साधनत्वेन कल्प्यते ॥१५।। તે (શક્તિરૂપી નિમિત્તભાવ) પદાર્થોથી જુદો અથવા તેમના આત્મારૂપે છે. ભેદને આધારે તેને સાધનરૂપે કલ્પવામાં આવે છે. (૧૫)
મીમાંસક અને વૈશેષિક મત પ્રમાણે શકિત એ સાધન છે એમ જણાવીને હવે વયાકરણ મતમાં પદાર્થો અને તેમની શકિતઓ વચ્ચે ભેદભેદ છે એવા વયાકરણ મતનું પ્રતિપાદન કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org