________________
વાકય૫રીય
बुद्धिप्रवृत्तिरूप च समारोप्याभिधातृभिः ।
अर्थेषु शक्तिभेदानां क्रियते परिकल्पना ।।६।। (આ પ્રમાણે) પોતાની બુદ્ધિની પ્રવૃત્તિના સ્વરૂપને પદાર્થોમાં આરોપીને, વક્તાઓ વડે (તે પદાર્થોની જુદી જુદી શક્તિઓની કલ્પના કરવામાં આવે છે. (૬)
ब्यक्तौ पदार्थे शब्दादेर्जन्यमानस्य कर्मणः ।
साधन तथा सिद्ध बुद्धिरूपप्रकल्पितम् ।।७।। પદનો અર્થ વ્યક્તિ માનવામાં આવતા, ઉત્પન્ન થનારા શબ્દ વગેરે કાર્યનું સાધનપણું, બુદ્ધિમાં પ્રાપ્ત થનારા રૂપવડે સિદ્ધ થાય છે. (૭)
કર્મના ત્રણ વિભાગ સમજવામાં આવ્યા છે: નિર્વસ્ત્ર, વિકાર્ય અને પ્રાય. આ ત્રણમાં નિર્વ કર્મને જાતિ અને વ્યકિત એમ બે રીતે સમજાવી શકાય. વ્યકિત પક્ષમાં, “તે શબ્દ કરે છે” “તે, સંયોગ કરે છે એવાં ઉદાહરણોમાં શબ્દ, સંયોગ વગેરે નિર્વત્ય કર્મ છે. આ શબ્દ વગેરે, તેમની ઉત્પત્તિ પહેલાં, બુદ્ધિમાં પ્રાપ્ત થતાં હોવાથી તેમનું બદ્ધ રૂ૫ જ સાધનરૂપે અર્થાત કર્મરૂપે સમજાય છે.
स्वतन्त्रपरतन्त्रत्वे क्रमरूप च दर्शितम् ।
निरीहेष्वपि भावेषु कल्पनोपनिबन्धनम् ॥८॥ - ક્રિયા વિનાનાં દ્રમાં પણ, સ્વાતંત્ર્ય, પારતન્ય(રૂપ ર્તા, કમ, કરણ વગેરે કારકોને અને ક્રિયારૂ૫) કેમને (બુદ્ધિગત) કલ્પનાને આધારે જણાવવામાં આવ્યાં છે. (૮)
અત મતનું અનુસરણ કરનારા વ્યાકરણદર્શનમાં પણ બધા પર્દાર્થોનું પારમાર્થિક ક્રિયારહિતત્વ સ્વીકારવામાં આવ્યું છે, તેમ છતાં અનાદિ વાસનાને કારણે સ્વતંત્ર અને પરતંત્ર એવાં કર્તા, કર્મ વગેરે કારકો અને ક્રિમમાં પ્રાપ્ત થતો કમ પદાર્થોમાં આરોપવામાં આવે છે. ક્રિયાકારકભાવ, ક્રમ, દિફ વગેરે બધુ મિશ્યા અવભાસરૂપ છે.
ફાઢતા: શક્તિમત્ત સર્વે સંસવાહિનામાં
भावास्तेष्वस्वशब्देषु साधनत्वं निरूप्यते ।।९।। સંસવાદીઓના મતમાં બધા પદાર્થો શક્તિઓ અને શક્તિમાન છે. તેમનું સાધનત્વ તેમના (માટેના અપાદાન વગેરે) શબ્દ સિવાયના (વિભક્તિ વગેરે) વડે નિરૂપાય છે. (૯)
ધમ અને ધર્મ વચ્ચે ભેદ હોવા છતાં સમવાયને કારણે અભેદ સમજવામાં આવે છે. આ મત સંસર્ગવાદી વૈશેષિકોને છે. તેમના મતમાં પદાર્થોનાં રૂપ અને તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org