SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૨૮૭ પરંતુ પાતળા પતરાવાળી તપેલીમાં ઝડપથી રંધાતું હોય તો આપણે તપેલીને કર્તા સમજીને તપેલી રાંધે છે (થારી વવતિ છે એમ કહીશું. તે જ પ્રમાણે “આત્માને આત્મા વડે હણે છે' (નિત માતાનમારમા ) અને પથ્થરની મૂર્તિનું શરીર (શિસ્ત્રાગુaહ્ય શરીરમ્ !) એ ઉદાહરણમાં બુદ્ધિવડે ભેદ અને અભેદની કલ્પના કરવામાં આવે છે. ઉત્પર રજૂ કરેલાં ઉદાહરણો ઉપરથી એમ કહી શકાય કે શબ્દવ્યવહાર સાર્થક શબ્દસમૂહરૂપ વાકયને બદલે વાક્યથી અપદધૃત અર્થાત ભિન્ન શબ્દ દ્વારા પણ સ્વીકારવામાં આવે છે. આ શંકાના જવાબમાં કહી શકાય કે શબ્દો બીજા શબ્દો સાથે વાક્યરૂપે બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે. શબ્દનું સ્વરૂપ વાક્યના સંદર્ભમાં જ સમજવું જોઈએ અને તે પ્રમાણે અર્થવાન શબ્દોના વાક્યર્થ પ્રમાણે શબ્દોને કર્તા, કર્મ, કરણ વગેરે સાથે સંબંધ યોજાય છે. આમ હોવાથી તપેલીને ભાત વડે લાકડામાં રાંધે છે (થાર મોઢને છે પતિ )” એ શબ્દસમૂહ વાક્ય બનતો નથી. बुद्ध्या समीहितकैत्वान्पञ्चालान्कुरुभिर्यदा । पुनर्विभजते वक्ता तदापायः प्रतीयते ॥४॥ જ્યારે વકતા તેના) મનમાં, (પહેલાં) કુરુઓની સાથે પાંચાલોને સમાન સમજીને ફરીવાર જુદા સમજે છે ત્યારે જુદાપણું સમજાય છે. (૪) - “કુરુઓ કરતાં પાંચાલ વધારે દેખાવડા છે' (૬: વાવાચા મિતરાએવા પ્રયોગમાં સૌથી પહેલાં વક્તા બનેને, સૌંદર્યગુણને કારણે, એકસરખા સમજે છે અને પછી પાંચાલમાં સુંદર દેખાવરૂપી ગુણ ધ્યાનમાં આવતાં તેમને જુદા સમજે છે. शब्दोपहितरूपांश्च बुद्धेविषयतां गतान् । प्रत्यक्षमिव कंसादीन्साधनत्वेन मन्यते ।।५।। બુદ્ધિના વિષયરૂપ બનેલા અને શબ્દો વડે દઢ થનારા રૂપવાળા કંસ વગેરેને તે પ્રત્યક્ષ હોય તેમ (ક્રિયાની સિદ્ધિના) સાધન તરીકે સમજવામાં આવે છે. (૫) વ તૂ. રૂ.૧.૨૬ તુમતિ ૨. (કર્તાના પ્રજિક હેતુના પ્રેરણારૂપ વ્યાપારના અર્થમાં ધાતુને નિજ પ્રત્યય લાગે છે) ઉપરના વાર્તિકો ૬ થી ૧૧નું ભાષ્યકારે પ્રત્યાખ્યાન કર્યું છે, કારણ है कंसं घातयति, बलिं वन्धयति, मृगान् रक्षयति, रात्रि विवासयति, सूर्य द्गमयति, पुष्येण Tોગતિ વગેરે પ્રયોગોમાં જે જગન્ત ક્રિયાપદે છે તેમને માત્ર સૂત્ર વડે પણ સમજાવી શકાય છે. વર્ષ ઘાતાતિ વગેરે પ્રગમાં વર્તમાન કાલને ગોગ કેવી રીતે થઈ શકે એવી શંક્રા મા જવાબમ ભાયકાર જણાવે છે કે પુરાણુઓ કંસ, બલિ વગેરેનાં, તેમની ઉત્પત્તિથી માંડીને વિનાશ સુધીનાં વૃતાતોનાં વર્ણનો દ્વારા શ્રેતાઓની બુદ્ધિમાં કાઢિપનિક કૃષ્ણ, કસ, બલિ વગેરેને સ્પષ્ટ કરે છે. એ તાઓનાં મન આવાં વર્ણનો સાથે એકરૂપ બને છે. કેટલાક શ્રેતાઓ પિતાને કંસના પક્ષપાતી સમજે છે અને બીજા કેટલાક પિતાને કૃષ્ણના પક્ષપાતી સમજે છે. કંસભક્તોનાં મુખ વિષાદથી ખિન્ન બનેલાં દેખાય છે, કૃષ્ણક્તોનાં મુખ ક્રોધથી લાલ બનેલાં દેખાય છે. આમ પદાર્થના અસ્તિત્વ કરતાં મનમાં પ્રાપ્ત થનારી તેમની કલ્પનાને આધારે શબ્દપ્રયોગ સિદ્ધ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy