SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ २८७ વાકયપદીય વિશ્વ શબ્દથી જગતના ઘટાદિ પદાર્થો સમજાય છે. જલ લાવવું વગેરે કાર્યશક્તિએના સમૂહરૂપ ઘટાદિ પદાર્થો છે. શક્તિ તેમની માત્રાએ અર્થાત્ ભાગરૂપે વ્યવસ્થિત છે. દીવાના પ્રકાશ જેવી કેટલીક અથવા જ્ઞાનના પ્રકાશ જેવી કેટલીક શક્તિએ પોતાના કાર્ય માટે પોતાની મેળે ઉત્પન્ન થાય છે, અને તેમના આશ્રયો દૂર થતાં આપોઆપ અદષ્ટ થાય છે. કેટલીક શક્તિએ આશ્રયનું અસ્તિત્વ હોય છતાં નાશ પામે છે, જેમ કે ઔષધ અથવા સારા ખોરાકથી પ્રાપ્ત થયેલ બલરૂપી શક્તિ. શરીરરૂપી આશ્રય હોય છતાં કેટલીકને પુરુષપ્રયત્નથી દૂર કરવામાં આવે છે, જેમ કે વિશ્વની મારણુશક્તિ અથવા બીજની અંકુરજનનશક્તિ, બીજી કેટલીક શક્તિએાને પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા ફેરફાર કરવામાં આવે છે, જેમ કે યેગીઓની પદાર્થોના સ્વરૂપોમાં ફેરફાર કરવાની શક્તિ. સમયના પસાર થવાથી કેટલીક શક્તિઓમાં ફેરફાર થાય છે, જેમ કે ધર્મ અને અધર્મ. પદાર્થ શક્તિસમુદાય હેવાથી કોઈક સ્થળે કઈક શક્તિ અને બીજા સ્થળે બીજી શક્તિ કાર્યનિર્વાહક બને છે. તેથી કર્તા, કરણ, કર્મ વગેરે સાધનોની સેળભેળ થઈ જતી નથી. શક્તિરૂપ સાધનોની કેઈક ચોક્કસ સંદર્ભમાં વિવેક્ષા રહે છે. साधनव्यवहारश्च बुद्धयवस्थानिबन्धनः । सन्नसन्वार्थरूपेषु भेदो बुद्धया प्रकल्प्यते ॥३॥ (ર્તા, કર્મ વગેરે) સાધનો અંગેનો વ્યવહાર (વક્તાની) બુદ્ધિામાં પ્રાપ્ત થનારી) વિવેક્ષા રૂપી અવસ્થા ઉપર આધાર રાખે છે. અભિધેય રૂપ (પદાર્થો)માં તેમના ભાવ અને અભાવ અંગેનો ભેદ બુદ્ધિ વડે કલ્પવામાં આવે છે. (૩) પદાર્થની શક્તિને જે સાધન સમજવામાં આવે તો જે શબ્દોમાં શક્તિ સમજાતી નથી, તે શબ્દ, સાધનને કેવી રીતે જણાવી શકે; તે “શક્તિને પ્રાપ્ત કરે છે (ત્તિ માધાતિ )), શક્તિ વડે સિદ્ધ કરે છે તેના સાધતિ ) વગેરે પ્રયોગોમાં કર્મસાધન અને કરણસાધન તરીકે પ્રજાતા “શક્તિ' શબ્દને શક્તિ પ્રાપ્ત નથી. તે જ પ્રમાણે તે ધનનો નાશ કરે છે (ષનવિનાશ કરોતિ ) એવા ઉદાહરણમાં, ધનવિનાશ, જે અભાવાત્મક છે, તેને શક્તિ હોઈ શકે નહિ અને તેથી તે સાધન બની શકે નહિ, આવી શંકાના જવાબમાં જણાવવાનું કે શબ્દો વક્તાની વિવક્ષારૂપ બુદ્ધિને કારણે પ્રયોજાય છે. શબ્દદ્વારા વાચ બનતા, વિવક્ષારૂપ બુદ્ધિના, અવસ્થાવિશેષને કારણે કર્તા, કર્મ વગેરે વ્યવદ્ધાર સમજાય છે. પદાર્થના બુદ્ધિગત નિરૂપણ પ્રમાણે શબ્દને પ્રવેશ થાય છે. (નિદfપતે શબ્દએનાથથાનિહાળે રાવપત્તિઃ ) પદાર્થનું બાહ્ય અસ્તિત્વ હોવા છતાં જ્યાં સુધી બુદ્ધિ વડે તે નિરૂપિત ન બને ત્યાં સુધી તેનો શબ્દ વડે વ્યવહાર થતો નથી. તેથી ઉપરના પ્રથમ ઉદાહરણમાં “શક્તિ બુદ્ધિમાં, દ્રવ્યરૂપ બનીને, તેનું સ્વતંત્રપણે નિરૂપણ થતાં બીજી શક્તિ સાથે તેનો સંબંધ પ્રાપ્ત થાય છે. શક્તિને પદાથરૂ૫ ન માનીએ તે શક્તિની શક્તિ એમ અનવસ્થા થશે. ધનવિનાશવાળા ઉદાહરણમાં ધનાભાવ પણ બુદ્ધિ વડે નિરૂપિત બનતાં દ્રવ્યરૂપ ધારણ કરીને શબ્દ વડે વાચ્ય બને છે. તપેલીમાં રાંધે છે (થાન્યાં પતિ )માં તપેલી અધિકરણ છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy