________________
G
साधनसमुद्देशः
૭
સાધનસમુદ્દેશ
स्वाश्रये समवेतानां तद्वदेवाश्रयान्तरे ।
क्रियाणामभिनिष्पत्तौ सामर्थ्य साधन विदुः ॥ १ ॥
પોતાના આશ્રય સાથે અથવા ખીજ આશ્રયેા સાથે સમવાયમાં રહેલી ક્રિયાઓનો સિદ્ધિ માટેની (પદ્યાર્થીની) શક્તિને સાધન કહેવામાં આવ્યુ છે. (૧)
ધાતુના અ ક્રિયા છે. જેના વડે ક્રિયા સિદ્ધ અને તે સાધન સમજવું. ક્રિયાની સિદ્ધિ માટે પાની જે શક્તિ તે સાધન છે. શક્તિને ભાષ્યકારે ગુણ કહી છે, અર્થાત્ ગુણસમુદાયને સાધન તરીકે સમજવામાં આવ્યે છે (૬.મા.. વા.મૂ.રૂ.૧,૧૧૧). ગુણુરૂપ શક્તિ તેના આશ્રય દ્રવ્યમાં રહેલી છે. આવી શક્તિને કારણે તેના આશ્રયરૂપે રહેલ પદા બીજા પદાથી જુદા સમજાય છે.
.
શક્તિને આશ્રય દ્રવ્ય હાવાથી દ્રવ્ય સાધનરૂપે પણ સમાય છે. તેથી દ્રવ્યને ક્રિયાની સિદ્ધિ માટે જવાબદાર ગણી શકાય. ધ્રૂજ્ય યામિનિવૃત્તિ પ્રતિ સાધનમાવવઐત્તિ ! મ.મા. ૩. પૃ. ૫૭, લી. ૯). મહાભાષ્યનું આ કથન અગાઉના તેના કથન, ગુણસમુદાય અર્થાત્ સાધનને ક્રિયાની સિદ્ધિ માટે જવાબદાર ગણી શકાય'નું વિરાધી નથી, કારણ કે દ્રવ્ય ગુણુ– રૂપ શક્તિના આશ્ચય છે.
Jain Education International
ગુણસમુદાય અથવા શક્તિસમુદાયને સાધન માનવામાં આવે તે સાધન અનુમાનગમ્ય બનશે, કારણ કે શક્તિ અપરિદૃષ્ટ અર્થાત્ અદૃષ્ટ છે, વર્નાન્જીસિ ચાથે (પા.સ્. ૬.૭.૧૧૮, વૈદિક પ્રયાગામાં, ધાતુના અમાં, ઉપસ ને ત્તિ પ્રત્યય લાગે છે.) ઉપરના ભાષ્યમાં સાધનને શક્તિવિશિષ્ટ દ્રવ્ય સમજવામાં આવ્યું છે, કારણ કે દ્રવ્યમાં વૃદ્ધિ (પ્રક) કે ક્ષય (અ) હેાતાં નથી. અહીં શક્તિ અને શક્તિમાન(દ્રય) વચ્ચે અભેદ સમજવામાં આવ્યે છે. ભાષ્યકારનાં આવાં કથનાને વ્યવસ્થિત કરીને ભર્તૃહરિએ સાધનની વિસ્તૃત ચર્ચા આ સમુદ્દેશમાં કરી છે.
शक्तिमात्रा समूहस्य विश्वस्यानेकधर्मणः ।
सर्वदा सर्वथा भावात्क्वचित्किञ्चिद्विवक्ष्यते ||२||
શક્તિરૂપ ભાગેાના સમૂહવાળા અને અનેક ધર્મવાળા જગતનું હંમેશાં, સર્વ પ્રકારે, અસ્તિત્વ હાવાથી કયાંક કોઈક (શક્તિ)ને માટે વિવક્ષા થાય છે. (ર)
For Private & Personal Use Only
www.jainelibrary.org