SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ सर्वत्र तस्य कार्यस्य दर्शनाद्विभुरिष्यते । विभुत्वमेतदेवाहुरन्यः कायवतां विधिः ।।१७॥ તેનું (ભાગભેદરૂપ) કાર્ય સર્વત્ર દેખાતું હોવાથી, તે (દિફ)ને વિભુ કહે છે. આવા કાર્ય સંપાદકત્વ)ને વિભુત્વ કહે છે. મૂત પદાર્થો અંગે જુદે પ્રકાર છે. (૧૭) દિફનું અવયવવિભાગરૂપ કાર્ય, સાર્વત્રિક હોવાથી તેને વિભુ અર્થાત્ વ્યાપિની કહે છે. દિક, કાલ, આકાશ વગેરે અમૂર્ત પદાર્થોનું વિભુત્વ એટલે સર્વત્ર પિતાનાં કાર્યો ઉત્પન્ન કરવાની શક્તિ પોતાના અવય સાથે વિસ્તૃત પ્રદેશમાં વ્યાપીને રહેવાને, મૂત પદાર્થોનું વિભુત્વ કહે છે. चैतन्यवत् स्थिता लोके दिक्कालपरिकल्पना । प्रकृति प्राणिनां तां हि कोऽन्यथा स्थापयिष्यति ॥१८॥ ચૈતન્યની કલ્પનાની જેમ, દિફ અને કાલની કલ્પના જગતમાં દઢપણે સ્થાપિત થયેલી છે. પ્રાણીઓના આ સ્વભાવને કણ અન્યથા પુરવાર કરી શકે? (૧૮) અસ્તિત્વવાળા પદાર્થ પણ જ્યાં સુધી તેનું જ્ઞાન થયું ન હોય ત્યાં સુધી કઈ પણ કાર્ય કરી શકતો નથી. તેથી ચૈતન્યને બધા દાર્શનિકોએ સ્વીકાર્યું છે, આ ચૈતન્ય અત્માનું સ્વરૂપ છે, તેનો વિરોધ કરી શકાતું નથી. તે પ્રમાણે દિક અને કાલનો પણ વિરોધ કરી શકાતો નથી. પદાર્થોમાં ભેદાભેદ, ભાવાભાવ વગેરે હેતા નથી, પરંતુ અનાદિ અવિદ્યાને કારણે આવો વિચિત્ર લોકવ્યવહાર પ્રાપ્ત થાય છે. તદર્શાઓ પણ તેને અન્યથા સમજાવી શકતા નથી; અર્થાત પદાર્થોનાં સ્વરૂપ, જે પરાપરતાદિ સ્વભાવવાળાં છે, તેમને પરાપરત્વ વિનાનાં સમજાવી શકાતાં નથી. લોકવ્યવહારમાં જેમ ગૌતન્ય રૂઢ થયેલું છે, તેમ દિફ અને કાલ પણ રૂઢ છે. તેમના વિના પ્રાણીઓનાં કાર્યોની નિષ્પત્તિ થતી નથી. તેથી વ્યવહાર પ્રસિદ્ધ દિફ અને કાલનું પ્રત્યાખ્યાન યોગ્ય નથી. संकरो व्यवहाराणां प्रकृतिः स्याद्विपर्यये । तस्मात् त्यजन्निमान्भावान्पुनरेवावलम्बते ॥१९॥ સ્વભાવ(રૂપ બનેલ આ દિફકાલની કલ્પના)ને અસ્વીકાર કરવામાં આવતાં ક)વ્યવહારની અવ્યવસ્થા થશે, તેથી (પૂર્વપરાદિ વિભાગવાળા) આ વ્યવહારને ત્યાગ કરીને પણ ફરીવાર તેનો આશ્રય કરવામાં આવે છે. (૧૯) વહેલાં ઉઠવું, સ્નાન કરવું, સંધ્યોપાસના કરવી વગેરે લોકવ્યવહારો દષ્ટાદષ્ટ - વાળા હોય છે. આવાં વ્યવહારકાર્યો અંગે દિકાલની અથવા પૂર્વપરાદિ ભાવની કહપના સ્વીકારવી જ જોઈએ, કારણ કે તે સર્વ પદાર્થોની પ્રકૃતિ અથવા સ્વભાવ બનેલ હોય છે. જે તેને સ્વીકાર કરવામાં ન આવે તો બધા વ્યવહારમાં ગેટાળે થાય. તેથી તવદર્શી તેમના ત્યાગને * * ગણતા હોવાં છતાં ફરીવાર તેમને સ્વીકારે છે. વા-૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy