________________
વાકયપદીય
अदेशाश्चाप्यभागाश्च निष्क्रमा निरुपाश्रयाः ।
भावाः संसर्गिरूपात्तु शक्तिभेदः प्रकल्पते ॥१४॥ પદાર્થો દેશ વિનાના, ભાગ વિનાના, કમ વિનાના અને ઉપાધિ વિનાના છે, પરંતુ તેમની સાથે સંસર્ગવાળાં દ્રવ્યોને કારણે દિગરૂપ શક્તિભેદ સમજાય છે. (૧૪) - આકાશ વગેરે વિભુ પદાર્થોના અવયવોરૂપ દેશ હોતા નથી, કારણ કે આકાશ વગેરે વિભુ અને નિત્ય છે. પ્રવી વગેરે મૃત પદાર્થોના બીજા પદાર્થો સાથેના સંસર્ગને અવયવો કપવામાં આવતા હોવા છતાં અવયવરૂપ દેશ હોતા નથી. આમ વિભુ અને મૂત બંને પ્રકારના પદાર્થોને અવયવો હોતા નથી. તેથી, તેમનામાં ક્રમ પણ હોતો નથી. તેવી રીતે તેમના ઉપાશ્રયે પણ હેતા નથી
આવા પદાર્થો તેમની સાથે સંસર્ગવાળા પદાર્થોના પરાપરત્વને કારણે આરોપિત થતી વાદશક્તિને લીધે પરાપરત્વવાળા હોય તેમ ક૯પવામાં આવે છે.
निर्भागात्मकता तुल्या परमाणोर्घटस्य च ।
भागाः शक्त्यन्तर तत्र परिमाणं च यत्तयोः ॥१५॥ પરમાણમાં અને ઘડામાં અવયનો અભાવ સમાન છે. ત્યાં ભાગ (માત્ર) શક્તિરૂપે છે અને તેમનું જે પરિમાણ (છે તે) પણ (શક્તિરૂપ છે) (૧૫)
ઘટ અને પરમાણુ, બંનેમાં સ્વાભાવિક અવયવભાવ સરખો છે. દિફ૩૫ શક્તિ વડે ઘડાના અવયવોમાં પીર્વાર્યની કલ્પના કરવામાં આવે છે. દિશક્તિને કારણે ક૯૫વામાં આવતી ભાગવત્તા સાચી નથી. જો એમ હોય તો પરમાણુમાં પણ ભાગની કલ્પના થાય. મહત્ત્વ, અણુત્વ વગેરે પરિમાણ પણ શક્તિવિશેષની કલ્પનાને કારણે છે. ઘટ અને અણુ વચ્ચેનો ભેદ તેમના પરિમાણને કારણે છે, અયને કારણે નથી.
यतः प्रकल्पते भेदो भेदस्तत्रापि दृश्यते ।
अदृष्टोपरति भेदमतोऽयुक्ततर विदुः ॥१६॥ જેમને કારણે ભેદની કલ્પના થાય છે, તે (અવયવો)માં પણ ભેદ પ્રાપ્ત થાય છે, તેથી જેમાં સમાપ્તિ દેખાતી નથી તેવા ભેદને અત્યંત અગ્ય માનવામાં આવ્યો છે. (૧૬)
જેમ પદાર્થોના ભેદ, તેમના અવયવોને લીધે કલ્પી શકાય છે, તેમ તે અવયવોના અવયવો, અને તેમના પણ અવયવો કલ્પી શકાય છે. પરમાણુ ઓના ભેદ દિભેદને કારણે, દિગ્મદ સૂર્યસંયોગને કારણે, સૂર્ય સંયોગ પણ મેરુપ્રદેશના ભેદને કારણે એમ અનવસ્થા થાય. આમ પદાર્થોના તથા તેમની ઉપાધિઓના ભેદ કાલ્પનિક સમજવા, વાસ્તવિક નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org