SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર વાક્યપદીય सर्वस्यैव प्रधानस्य न विना भेदहेतुना । प्रकर्षो विद्यते नोपि शब्दस्योपैति वाच्यताम् ॥३॥ ભિન્નતા દર્શાવતા નિમિત્ત વિના, બધાં પ્રધાન દ્રામાં પ્રકર્ષ હેતે નથી અને શબ્દ વડે (તે) વાચ્ય પણ બનતું નથી. (૩) જેમ જાતિ, ગુણ, ક્રિયા વગેરે ઉપાધિ વિનાના દ્રવ્ય પ્રકર્ષ હતું નથી તેમ દ્રવ્યથી સ્વતંત્ર રહેનારા ગુણનો પણ પોતાનો પ્રકષ હોતો નથી. જાતિરૂપ અને પ્રકર્ષ કે અપકર્ષ હોતો નથી, કારણકે જાતિ હમેશાં સજાતીમાં સમાન હોવાથી તેમાં ભિન્નતાને અભાવ હોય છે. જાતિ નિત્ય હોવાથી દ્રવ્યની જાતિશૂન્ય અવસ્થા હોતી નથી. દ્રવ્યના જન્મકાળે પણ જાતિ હોય છે. તેથી દ્રવ્યમાં જાતિ સાથે સમાનાધિકરણમાં રહેલ કેઈક બીજો ગુણ, પ્રકર્ષનું કારણ બને છે. “શુતર પમ્'માં શુકલ ગુણ મુખ્યપણે દર્શાવાયો છે, પરંતુ શુકલગુણમાંને ભાસુર– ગુણુ કે વમલ્ય ગુણ, પ્રકર્ષ દર્શાવે છે. બીજી રીતે કહીએ તે પ્રકહેતુ એવો ગુણ જે સ્વતંત્ર રીતે દર્શાવવામાં આવે તે તે ગુણને આશ્રયે રહેલા બીજા ગુણુ વડે પ્રકષ સમજવામાં આવે છે. સર ખાવો : વ. ૧. ૧. ૬. ગુજ: પ્રત: વાતનો હિશ્યતે | तस्याश्रिताद् गुणादेव प्रकृष्टत्व प्रतीयते ।। विद्यमानाः प्रधानेषु न सर्वे भेदहेतवः । विशेषशब्दैरुच्यन्ते व्यावृत्तार्थाभिधायिभिः ॥४॥ મુખ્ય દ્રવ્યમાં રહેલા બધા ધર્મો, (તે દ્રવ્યની બીજા દ્રવ્યથી) ભિન્નતા દર્શાવવાનાં કારણે બનતા નથી. ભિન્નતા દર્શાવનારા અર્થોનું અભિધાન કરનારા વિશિષ્ટ શબ્દો વડે તે જણાવાય છે. (૪) પ્રધાન દ્રવ્યમાં અનેક–જાતિ, ગુણ, ક્રિયા વગેરે-ધર્મો તે તે દ્રવ્યને સજાતીય કે વિજાતીય દ્રવ્યોથી જુદા દર્શાવનારા હોય છે. આ બધાને કોઈ એક શબ્દ વડે દર્શાવવાનું શકય નથી, કારણ કે એવો એક શબ્દ પ્રાપ્ત થતો નથી. કેઈ એક વિશિષ્ટ ધર્મનું અભિધાન તે તે દ્રઢ્યાદિકના કોઈક વિશેષણ વડે જ કરવામાં આવે છે અને આવા શબ્દ પ્રકર્ષને જણાવે છે. ઋતરે હમધ્ય | (એનું રૂપ વધારે ધળું છે) એવા ઉદાહરણમાં શબ્દવડે અવારા અને પ્રતીયમાન એવા ભસુરત્વ ધમને કારણે પ્રકષ સમજાય છે. સુરતઃ વટ: (વધારે ધેાળું વસ્ત્રોમાં શબ્દવડે વાચ્ય શુકલગુણ પ્રકર્ષનું કારણ બન્ને છે. वस्तूपलक्षणे तत्र विशेषो व्यापृतो यदि । प्रकर्षों नियमाभावात्स्यादविज्ञानहेतुकः ॥५॥ વસ્તુને (માત્ર) વિશિષ્ટ રીતે જણાવવામાં (જ) જે વિશિષ્ટ ધર્મ ચરિતાર્થ બનતો હોય તે, (પ્રકષ અંગે) કશું નિ ચયાત્મક ન હોવાથી પ્રકર્ષ તેને જણાવનાર હેતુ વિનાનો રહેશે.(૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy