________________
૨૭૦
વાકયપક્ષીય
વોતો કુળવચનાત છે ઉપરના ભાગ્યમાં બે કારિકાઓ પ્રાપ્ત થાય છે :
सत्वे निविशतेऽपैति पृथग्जातिषु दृश्यते ।
आधेयश्चाक्रियाजश्च सोऽसस्वप्रकृतिर्गुणः ।। દવ્યમાં રહેનાર, કેઈક વાર તેનાથી દૂર જનાર, જુદાં જુદાં દ્રામાં દેખાતે, ઉત્પાદ્ય, અનુત્પાદ્ય અને સ્વભાવથી જે દ્રવ્ય નથી તેને ગુણ કહે છે.”
उपत्यन्यज्जहात्यन्यद् दृष्टो द्रव्यान्तरेष्वपि ।
वाचकः सर्वलिङ्गानां द्रव्यादन्यो गुणः स्मृतः ॥ “કઈક (દ્રવ્ય)ની પાસે જનાર, કઈક બીજાને ત્યાગ કરનાર, જુદી જુદી જાતિઓ વાળાં દ્રવ્યમાં દેખાતો, બધાં લિંગને વાચક અને દ્રવ્યથી જુદે (તે) ગુણ કહેવાયો છે.” ભાષ્યમાં પ્રાપ્ત થતી આ કારિકામાં વશેષિક મતમાં પ્રાપ્ત થતાં ગુરુનાં લક્ષણે જેવાં લક્ષણે મળે છે. આ કારિકાઓને પૂવપક્ષ તરીકે સમજવામાં આવી છે, કારણકે તેમનું વ્યાખ્યાન આપવામાં આવ્યું નથી
આ કારિકાઓ પ્રમાણે ગુણમાં ક્રિયા, જાતિ અને દ્રવ્યને અંતર્ભાવ થતું નથી.
આ કારિકાઓને સમજાવતાં નાગેશ ગુણ અને ગુણવચનને સરખાં ગણે છે. નાગેશના મત પ્રમાણે મારા સંજ્ઞા (પા સૂ. ૧,૪.૧ આ સૂત્રથી શરા: મંધારા વ.સ્. ૨.૨.૨૮ સુધી દરેકની એક જ સંજ્ઞા સમજવાની છે.) ઉપરના ભાષ્યમાં જેમની ગુણવચને સંજ્ઞા કહી છે તેમનું જ અહીં કથન છે. ત્યાં કૃદન્ત તદ્ધિતાત, સર્વનામ, જાતિ, સંખ્યા અને સંજ્ઞાચબ્દ સિવાયના શબ્દોની ગુણવચનસંજ્ઞા સમજવામાં આવી છે. પહેલા પદથી સંજ્ઞાનો નિરાસ થાય છે, પૃથાનાતિવુ ટસ્થ તે થી સર્વનામનો, સાથઃ થી સંખ્યા શબ્દને, પ્રક્રિયાથી કૃદન્તને, સરસ્વતિ થી તદ્ધિતાન્તને, બીજી કારિકામાં છથી સર્વનામને અને વાચક્ર: જિનામથી જાતિનો અને સંખ્યાને નિરાસ થાય છે.
ગુણ શબ્દો બે પ્રકારના છે : રૂ૫, ગધ, શબ્દ વગેરે ગુણો તેમના આધાર અર્થાત દ્રવ્યોથી ભિનપણે તેમને અર્થ દર્શાવે છે, અર્થાત્ તે તસ્થ ગુણ દર્શાવે છે. બીજા પ્રકારના ગુણ શબ્દો જેવા કે શુક્લ, રક્ત, મૃદુ, તેમના આધાર એવા દ્રવ્યથી ભિન્નપણે અથ દર્શાવતા નથી. તેમના ગુણુવચન અથવા ગુણે પસર્જનદ્રવ્યવચન શબ્દો કહીશું..
તૈયાર હમેશાં લેકવ્યવહારને પિતાના આધાર તરીકે સ્વીકારે છે અને વ્યવહારગત શબ્દપ્રોગ ઉપરથી સિદ્ધાન્તસ્થાપન કરે છે. તેથી તેમના સિદ્ધાતો કેટલીક વાર સાંખ્યવૈશેષિકાદિ દશનના સિદ્ધાતે સાથે સામ્ય દર્શાવે છે અને કેટલીક વાર ભિન્નતા દર્શાવે છે. પા.મૂ ૨.૧.૧. વાર્તિક ૨૧ ઉપરના ભાષ્યમાં તથા પા.સુ.૫.૧.૧૧૯, વાતિક ૫ ઉપરના ભાષ્યમાં ગુણ અંગેની લૌકિક ક૯૫ને સપષ્ટ કરવામાં આવી છે. પાણિનિ સૂત્રમાં જ્યાં
જ્યાં ગુણ શબદ મળે છે ત્યાં ભાષ્યકારે તેને તે તે સંદર્ભમાં જુદા જુદા અર્થ સમજાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org