________________
गुणसमुद्देशः।
ગુણસમુદેશ
संसर्गि भेदक यद्यत्सव्यापारं प्रतीयते ।
गुणत्वं परतन्त्रत्वात्तस्य शास्त्र उदाहृतम् ॥१॥ જે જે, (આધાર સાથે) સંસવાળું અને (તેને) જુદું સમજાવનારું છે અને જે તેવા વ્યાપારવાળું સમજાય છે, તે, પરતંત્ર હોવાથી, શાસ્ત્રમાં ગુણ કહેવામાં આવ્યું છે. (૧)
સંસગ એટલે આધાર સાથે તાદાની કલ્પના. આધાર સાથેના સંસગને કારણે ગુણ તેના આશ્રય અર્થાત આધારને બીજા આધારાથી જુદું સમજાવે છે, જેમકે, આ સફેદ છે, કાળું નથી. કારિકામાં “જે જે' એવા શબ્દો સામાન્ય વગેરેને પણ ગુણ તરીકે દર્શાવે છે. “આ ગાય છે, અશ્વ નથી,' એવા વાક્યમાં બીજા આધાર અર્થાત અશ્વથી જk પડતું ગત્વ ગુણ બને છે. પરતંત્રપણું ગુણની બીજી વિશેષતા છે. તે ધર્મ અર્થાત આધારના વિશેષરૂપે ગણત્વ દર્શાવે છે.
તw માવત્રા (૧.ટુ...૧૧૧, તેનો ભાવ એ અર્થમાં પશ્યન્ત શબ્દને તક અને તન્દ્ર પ્રત્યય લાગે છે) અને વોતો ગુળવચનાત (૧.સૂ..૧.૪૪, ગુણ દર્શાવનાર ઉકારાન્ત પ્રકૃતિને રીન્ પ્રત્યય લાગે છે.) સૂત્રે ઉપરનાં વાર્તિકમાં અને ભાષ્યમાં ગુણની વિગતપૂર્ણ છણાવટ કરવામાં આવી છે. વા., ૫.૧.૧૧ ઉપરના વારિક ૪ ઉપરના ભાગ્યમાં પતંજલિ જણાવે છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગધ ગુણ છે. ગુણોનું અસ્તિત્વ હોવાથી દ્રવ્યને તે તે ગુણ અંગે શબ્દ પ્રાપ્ત થાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણની અપેક્ષાએ દ્રવ્ય જુદું છે.
ગુણ શબ્દના લોકવ્યવહારમાં ઘણું અર્થ છે : (૧) સમાન અવયવ : જેમકે, બેવડી દોરી, ત્રેવડી દરી. (૨) દ્રવ્ય : “આ દેશ ગુણવાન છે, અર્થાત તેમાં ગાયો, ઘાસ વગેરે ઘણું દ્રવ્ય છે. (૩) ગૌણત્વ : જેમ કે, “અહીં અમે ગૌણ બન્યા છીએ.” (૪) આચાર : જેમ કે, આ બ્રાહ્મણ ગુણવાન છે, અર્થાત્ આચારસંપન્ન છે. (૫) સરકાર : જેમ કે, આ અન્ન ગુણવાળું છે અર્થાત્ સારી રીતે રાંધેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org