________________
વાષપદીય અનંશ વાયના બધા શબ્દોને એક સાથે સ્પષ્ટ અર્થ જાણવો મુશ્કેલ હેઈને વાકથાર્થ સમજવા માટે હંમેશાં અપોદ્ધારરૂપે મનની પ્રવૃત્તિ હોય છે. શરબત પીનારે માણસ તેમાં ગળપણ કેટલું, તીખાં દ્રવ્ય કયાં અને કેટલાં એ બધું સમજી શકે છે. આવી સમજણ તેની અદ્ધારબુદ્ધિને કારણે છે.
જેમ પદને પ્રકૃતિ અને પ્રત્યય એવા વિભાગમાં વિભક્ત સમજવામાં આવે છે તેમ નિરંશ વાકયને પણ જુદા જુદા શબ્દોમાં વિભક્ત સમજવામાં આવે છે. આ શોના અર્થે લોકપ્રચલિત છે. વ્યાકરણશાસ્ત્ર અર્થો વિષે આદેશ આપતું નથી કારણ કે આવો આદેશ આપી શકાતું નથી. (અનાશનાત નટ્ટ સાથ માહિશ્યન્ત મ.મા. ૨.૧,૧) શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થોને તે તે શાસ્ત્રની પરંપરા પ્રમાણે સમજવામાં આવે છે, જેમ કે સાળાનેરશેષ પવિમil | (ા. સુ. ૧.૨.૬૪) ઉપરથી શબ્દોને અર્થ દ્રવ્ય છે અને મેઘ અર્થાત્ વ્યાવત્ય છે એમ સમજાય છે. તે પ્રમાણે તસ્ય માવતી ! (વા. . ૫.૧,૧૧3) સૂત્ર ઉપરના વાર્તિક ચહ્ય ગુહ્ય હિ માવાત્ zથે શનિવેશદ્ધમિધોને રાત ! ઉપરથી ગુણના સ્વરૂપનું અનુમાન થાય છે. મત, વર્તમાન, મવિથતિ વગેરે શબ્દો સાથે પાણિનિએ જે વ્યાખ્યાન આપ્યું છે તેનાથી કાલ એટલે ક્રિયા એ અર્થ સૂચિત થાય છે. ઉન્નયામ, ઉંતિ, નપુંસમેં વગેરે સૂત્રવ્યવહત શબ્દ ઉપરથી સંસ્થાન, પ્રસવ, અને સ્થિતિને બંધ થાય છે અને લિંગને સમજવામાં તે અનિવાર્ય છે, કારણ કે પ્રસિદ્ધ લિંગવ્યાખ્યાઃ રતનશરતી સ્ત્રી ચારોમા: gs: મૃત: I નથી.
પદેના અર્થો વાગ્યાથમાંથી વિભક્ત રૂપે સમજાય છે એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પદના અર્થો એટલે જાતિ, દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરે. આમ હોવાથી પદાર્થબોધની વ્યવસ્થા અને વિચારણામાં દ્રવ્ય, ગુણ, ક્રિયા, જાતિ, લિંગ, સંખ્યા વગેરેની વિચારણને પણ સ્થાન હોવું જોઈએ. તેથી તૃતીય સમુદેશમાં તેમની ચર્ચા કરવામાં આવી છે. આ દ્રવ્યગુણાદિકને વિશે અન્ય ન્યાયસાંખ્યાદિ શાસ્ત્રોમાં પણ ચર્ચા કરવામાં આવી છે. વિયાકરણ પરંપરા આવી શાસ્ત્રા-તરપ્રાપ્ત ચર્ચાનું પણ ધ્યાન રાખે છે, કારણ કે તેને આદર્શ છે “ર્વવારિષä શાન્ ! ” તેમ છતાં અન્યશાસ્ત્ર પ્રાપ્ત સિદ્ધાંતચર્ચાનું સીધુ અનુસરણ કરવામાં આવ્યું નથી. પાણિનિ વગેરે આચાર્યોનાં સૂત્રોમાં મળતા વ્યાકરણના ઉલ્લેખો ઉપરથી સૂચવાતા સિદ્ધાંત અર્થાત્ વ્યાકરણઆગમ વડે સ્વીકૃત સિદ્ધાંતને જ ભર્તુહરિ સ્વીકારે છે.
वस्तूपलक्षण' यत्र सर्वनाम प्रयुज्यते ।
द्रव्यमित्युच्यते सोऽर्थो भेद्यत्वेन विवक्षितः ॥३॥ જેને અંગે પદાર્થમાત્રનું અભિધાન કરનારું સર્વનામ પ્રજાય છે તે અને દ્રવ્ય કહે છે. તે વિશિષ્ટરૂપે વિવક્ષિત હોય છે. (૩)
સર્વનામે બે પ્રકારે વપરાય છે. સર્વ વગેરે સર્વનામે વસ્તુમાત્રનું અભિધાન કરે છે. અન્ય વગેરે સર્વનામે વિશિષ્ટ વસ્તુઓના વાચક છે. આ કારિકામાં સર્વનામ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org