SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ સત્ય જેવા સમજાય છે. હેલારાજ ઉપલબ્ધિને મધ્ય અવસ્થા કહે છે. તેની પહેલાંની પૂર્વ અને પછીની અવસ્થાને પર અવસ્થા કહે છે. વ્યવહારમાં ઉપલબ્ધિકાલની મધ્યાવસ્થા સત્ય ભાસતી હોય તો તેની પૂર્વાપર અવસ્થાએ પણ સત્યરૂપ ભાસે જ. તેથી વ્યવહારમાં કાર્યકારભાવસંબંધ પ્રાપ્ત થાય છે અને ભાવ અને અભાવ એવા બે વાસ્તવિક ભેદ સમજાય છે. આમ વ્યવહારદશામાં અસત્યોની પરંપરા પ્રાપ્ત થશે. भावशक्तिमतश्चैनां मन्यन्ते नित्यवादिनः । भावमेव क्रम प्राहुर्न भावादपरः क्रमः ॥८३॥ તેથી નિત્યત્વને માનનારાઓ તેને ભાવ(રૂપ બ્રહ્મતત્વોની શક્તિ સમજે છે. કમને ભાવ(રૂપ બ્રહ્મા) જ કહ્યું છે, ભાવથી જુદે ક્રમ (નામે પદાર્થો નથી. (૮૩) વિયાકરણમતમાં શબ્દતત્ત્વરૂપ બ્રહ્મની બે શક્તિઓ સમજવામાં આવી છે, ભાવાભાવરૂપે ભાસતી અવિદ્યાશક્તિ અને કાલભેદ તેમજ વિકારભેદ માટે જવાબદાર કાલ નામની સ્વાતન્યશક્તિ. આ બંને શક્તિઓ વાસ્તવમાં એક જ છે, અર્થાત્ ભાવરૂપ શબ્દતત્વને જ ક્રમ અને યૌગપા કહ્યાં છે; સરખા “તે શશી ને ત્રણwળો માવાવમાર્થતા મિને ઇતિ gવ તરવતઃ વાતિ, ચહ્ય તરતિળિો માસમાનતાનુવઃ I (હેલારાજ) क्रमान्न योगपद्यस्य कश्चिद् भेदोऽस्ति तत्त्वतः । यथैव भावान्नाभावः कश्चिदन्योऽवसीयते ॥८४॥ જેમ ભાવથી જુદો કોઈ અભાવ (નામે) બીજે (પદાર્થ) નિશ્ચિતપણે સમજાત નથી, તેમ ક્રમથી યૌગપદ્યને કોઈ તાત્ત્વિક ભેદ નથી. (૮૪) कालस्याप्यपरं काल निर्दिशन्त्येव लौकिकाः । न च निर्देशमात्रेण व्यतिरेकोऽनुगम्यते ॥८५॥ લૌકિક જને કાલના (વિભાગરૂપે) બીજ કાલનો નિર્દેશ કરે છે, પરંતુ (તેમના આવા) માત્ર નિદેશથી બંને વચ્ચે ભિન્નતા સમજાતી નથી. (૮૫) વર્તમાનકાળ, ભૂતકાળ, એવા કાલના જુદા વિભાગો વિષે લેકવ્યવહારમાં ઉલ્લેખ થાય છે, લોકે કાલ અને તેના પેટા વિભાગ વચ્ચે આધારાધેયભાવ સમજે છે. પરંતુ આવા લેકવ્યવહારને કારણે બંને કાલ વાસ્તવમાં જુદા છે એમ માનવાનું નથી. आधार कल्पयन्बुद्धया नाभावे व्यवतिष्ठते । बस्तुष्वपि नोत्प्रेक्षा कस्यचित्प्रतिबध्यते ॥८६॥ અભાવમાં બુદ્ધિ વડે આધારની કલપના કરવા છતાં, તેમાં આધેયની સ્થાપના કરવી નથી, અસ્તિત્વ વિનાના પદાર્થ વિશેની કોઈની કલપના અટકાવી શકાતી નથી. (૮૬) શત્રુના અભાવમાં સુખ કે મિત્રના અભાવમાં દુઃખ એમ અધિકરણરૂપ અભાવ સમજતાં, તેમાં સુખ, દુ:ખ વગેરે આધેયની કલ્પના કરવી યોગ્ય નથી. આ અસત્ય વ્યવહાર પ્રવર્તે છે. તેને અટકાવી શકાતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy