SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ अभावो यदि वस्तु स्यात्तोयं स्याद्विचारणा । ततश्च तदभावेऽपि स्याद्विचार्यमिदं पुनः ॥७६।। અભાવને જે પદાર્થ માનવામાં આવે તે ઉપરની વિચારણું શકય બને. અભાવનો અભાવ માનતાં (પણ) તે જ વિચાર ફરીવાર કરવો પડે. (૬) अवस्तु स्यादतीत यद् व्यवहारस्य गोचरः ।। तत्र वस्तुगतो भेदो न निर्वचनमर्हति ॥७७॥ અવતુ હોવાથી જે વિષય બનતું નથી તે અભાવ) વ્યવહારમાં જ સમજાય છે. તે (અભાવ)માં પદાર્થનિષ્ઠ ભેદનું નિરૂપણ જરૂરી નથી. (૭૭) ઉપરના અનુવાદમાં કચવાર ગોવર: ! એવો પાઠ લીધો છે; તેથી ચટૂ (માવજaહવ) કવસ્તુવાદ્ન વિષયત્વમતોતં સ (કમાવ:) Aવાર0 (4) થોચર: એ અવય થશે. આવા પાઠને બદલે વિરમ એવો પાઠ લેવાથી ચઢ (કમાવવ૬) મવડતુવા ગ્યારહ્ય રોવર (નોરd) પ્રતીતઃ એવો અન્વય થશે. अपदेऽर्थे पदन्यासः कारणस्य न विद्यते । अथ च प्रागसद्भावः कारणे सति दृश्यते ॥७८॥ શબ્દ વિનાના (કાર્યરૂપ) અથમાં કારણની પ્રવૃત્તિ હોતી નથી, અને કારણનું અસ્તિત્વ હોય ત્યારે પણ કાયન (તેની ઉત્પત્તિ પહેલાં) અભાવ જણાય છે.(૭૮) ઉત્પત્તિની પહેલાં કાર્યરૂપ અર્થનું અસ્તિત્વ ન હોવાથી તેને વાચક શબ્દ પણ પ્રાપ્ત થતી નથી. તેવા કાર્યરૂ૫ અર્થની બાબતમાં કારણની પ્રવૃત્તિ થતી નથી. ઉત્પત્તિ રૂપી ક્રિયા સાથે સંબંધ માટે યોગ્ય હોય તેવા પદાર્થરૂપ કાર્યમાં જ કારણેનો પદન્યાસ અર્થાત પ્રવૃત્તિ થાય છે. અસત્ કાર્ય અંગે કારણની પ્રવૃત્તિ થતી નથી. નિરૂપ કાર્ય માટે કારણ પ્રવૃત્ત થતું નથી, કારણ કે ઉદ્દેશ્યત્વનો તેમાં અભાવ છે. આમ હાઈને કાર્યકારણભાવ માત્ર પ્રતિભાસરૂપ છે, વાસ્તવિક હેતુફભાવરૂપ નથી. સત્કાર્યપક્ષ અસ્વીકાર્ય બનતો હોવાથી, કાર્યકારણુભાવ પણ યુક્તિસિદ્ધ બનતું નથી. આમ કાર્યકારભાવ અસત પક્ષમાં કે સત પક્ષમાં સ્વીકાર્ય બનતો નથી. का तस्य प्रागवस्थेति वस्त्वाश्रितमिदं पुनः । प्रागवस्थेति न ह्येतद् द्वयमप्यस्त्यवस्तुनि ॥७९॥ તેની પૂર્વ અવસ્થા કઈ એ બાબત, (સત્) વસ્તુ સાથે સંબદ્ધ છે. પહેલાંની અને અવસ્થા એવી બે બાબતો નિઃસ્વરૂપ વસ્તુને લાગુ પડતી નથી. (૭૯) કારણ એટલે કાર્યની પૂર્વાવસ્થા, એમ માનતાં અને બંને વચ્ચે પર્યાપર્યું છે એમ માનીને, કાય કારણુભાવસંબંધ સ્વીકારતાં, અસત્કાર્ય પક્ષમાં ઉત્પત્તિની પહેલાં કાર્યને અત્યંત અભાવ હોય છે, એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. સકાયપક્ષમાં પણ કાર્યને પૂર્વાવસ્થા પ્રાપ્ત થતી નથી. પૂર્વાવસ્થામાં બે અંશે પૂર્વ અને અવસ્થા છે. પૂર્વે બે પ્રકારે છે. દેશની અપેક્ષાએ અને કાલની અપેક્ષાએ અસત્કાર્ય પક્ષમાં પૂર્વ કે અવસ્થા, બેમાંથી એક પણ અંશ પ્રાપ્ત થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy